Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

Friday, July 1, 2011

આ બાબતમાં તમારું શું કેવું છે

હું હેલમેટ મારા માટે પહેરું છે, નિયમ માટે નહિ


Friday, January 7, 2011

ડાયમંડ એટલે માત્ર સુરત જ : નરેન્દ્ર મોદી

હીરા-ઝવેરાતથી ઝગમગતા અબજોના જવેલરી સ્ટોલ કરતાં સ્પાર્કલની બહાર ઊભા કરાયેલા હસ્તકલાના કારીગરોના ‘આર્ટિઝન વિલેજ’ને અદકેરું મહત્વ આપતા મુખ્યમંત્રી

સ્પાર્કલ-૨૦૧૧ એટલે સુરતના ડાયમંડની ઓળખ વિશ્વમાં ઊભી કરવાનો પ્રયાસ...માટે જ જ્યારે ડાયમંડની વાત આવે ત્યારે વચ્ચે સુરત સ્ટેશનનું સરનામું નહિ માત્ર ને માત્ર સુરત જ આવવું જોઇએ. જોકે, તેમ કરવા માટે કલ્ચર એપ્રોચ અને બ્રાન્ડનેમની આવશ્યકતા છે ત્યારે સુરત અને સ્પાર્કલનું દાયિત્ય બને છે કે સુરતના ડાયમંડને બ્રાન્ડનેમ આપો. કેમકે આજે વિશ્વમાં બિઝનેસની સૌથી મોટી કોઈ તાકાત હોય તો તે બ્રાન્ડનેમની છે તેવો લલકાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પાર્કલ-૨૦૧૧ને ખુલ્લું મુકતા કર્યો હતો.

 

Taken from Divya Bhasker

Wednesday, April 28, 2010

સુરત ને શાગરવાનું ચાલુ, કારણ કે.....

લગભગ ૫૦ વર્ષ થવા આવ્યા ગુજરાત મહારાષ્ટ્ર હતું  એને પણ હવે તો ગુજરાત જ છે.

બસ આ ખુશી માં અત્યારે સુરત ના દરેક પુલ પર રોશની નો સરસ શણગાર સજાવી રહવાયો છે. રસ્તાઓ સાફ  થઇ રહા છે. સુરતમાં  એક અનેરું વાતવરણ ઉપસી આવતું લાગે છે. જો કે સુરત તો પહેલેથી સુદેર સ્વસ્થ અને શાંતિ ભરું શહેર છે. અને હવે સુરત મેગા city તરફ વળતું હોય આવું નથી લાગતું ? આ નવા પુલો નું નિર્માણ, નવું હવાઈ મથક, city બસ ની શરૂઆત અને આવું તો બીજું ધણું

જો કઈ ભૂલ હોય તો ધ્યાન દોરવા વિનતી

Monday, May 25, 2009

ઠંડાપીણાંથી ‘કેન્સર’નો ખતરો

Ketan Dave, Ahmedabad

આગ ઝરતી ગરમીમાં કુલ થવાનો ફન્ડા ઠંડાપીણાં પીવાનો જ છે. કમનસીબે કયા ઠંડાપીણાં પીવાથી બળબળતી ગરમીમાં શરીરને ટાઢક મળે તેની ભેદરેખા ભૂંસાઈ જવા પામી છે. એક સમયે વરિયાળીનું શરબત, લસ્સી, છાશ, લીંબુ પાણી વગેરેનો મહિમા હતો.

વિવિધ ફ્રૂટ જયૂસ અને ફ્રૂટ ડીશ હજુ પણ એક વર્ગમાં ફેવરિટ છે. પણ ખાસ કરીને યુવાવર્ગ દેખાદેખીમાં અને અંજાઈને કેટલાક એવા ઠંડાપીણાં પીવે છે જે વાસ્તવમાં ગરમી સામે રક્ષણ આપી શકતા નથી. ઊલટાનું લાંબાગાળે શરીરને હાનિ પહોંચાડી શકે છે.

છેલ્લા કેટલાક સમયથી દરેક બાબતોમાં પિશ્ચમનું આંધળું અનુકરણ કરતા દેશના યુવાનોને ઠંડાપીણાંનું વળગણ એટલી હદે વળગી ગયું છે કે હવે આ પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. નિયમિત ઠંડાપીણાંના સેવનથી કેન્સર જેવી બીમારીઓ પણ થવાની શકયતા હોવાનું શહેરના તબીબો જણાવી રહ્યા છે, માત્ર દેખાદેખી ખાતર જ પીવાતા આ ઠંડાપીણાંથી શારીરિકની સાથે સાથે ઘણી માનસિક આડઅસરો પણ થઇ શકતી હોવાથી તબીબો શહેરના યુવાધનને હવે ઠંડાપીણાંથી દૂર રહેવા જણાવી રહ્યા છે.

ફિઝિશિયન ડો. અશ્વિન ગઢવીએ જણાવ્યું હતું. કે ઠંડાપીણાં પીવાથી શરીરને કોઇ જ વિટામિન, કેલ્શિયમ કે પ્રોટીન મળતાં નથી, પરંતુ તેમાં રહેલા સ્યુગર તથા કેફીન જેવાં તત્ત્વોને કારણે શરીરને અતિશય નુકસાન થાય છે. જો નિયમિત રીતે ઠંડાપીણાં પીવામાં આવે તો તેમાં રહેલા આ જોખમી તત્ત્વોને લીધે શરીરમાંથી કેલ્શિયમ વિટામિન તથા પ્રોટીન ઘટે છે. એટલું જ નહીં ઠંડાપીણાંના અતિશય સેવનને લીધે પેશાબની કોથળીનું કેન્સર થવાની પણ શકયતા હોવાનું ડો.અશ્વિન ગઢવીએ જણાવ્યું હતું.

જયારે શહેરના અગ્રણી ડોકટરના જણાવ્યા અનુસાર ઠંડાપીણાંની કંપીઓનું હાલમાં ટાર્ગેટ માત્ર યુવા વર્ગ જ છે. અને યુવા વર્ગને પણ હવે સ્ટેટસ સિમ્બોલ તરીકે માત્ર ફાસ્ટ ફૂડ તથા ઠંડાપીણાં જ દેખાતાં હોય શહેરના યુવાનો વધારે પ્રમાણમાં ઠંડાપીણાંનું સેવન કરી રહ્યા છે. જેને કારણે તેમાં રહેલાં તત્ત્વોથી ઘણી વખત પેટમાં ચાંદા પડવા, આંતરડા તથા પાચનતંત્ર નબળું પડી જવું. તથા તેમાં રહેલા કેટલાક પદાર્થોને લીધે ઠંડાપીણાંનું એક પ્રકારનું વ્યસન થઇ જાય છે જે પણ ખૂબ જ જોખમી છે.

આ ઉપરાંત ઠંડાપીણાંથી માણસોનો સ્વભાવ ચીડિયો થઇ જાય છે માટે હવે બને ત્યાં સુધી યુવાનોએ ઠંડાપીણાંથી દૂર રહેવું જોઇએ મનોચિકિત્સક હેમાંગ દેસાઇના મતે આ પીણાંના સેવનથી તેમાં રહેલા કેફીન જેવાં તત્ત્વોને લીધે મગજની ઉત્તેજના વધી જાય છે. જેનાથી જે તે વ્યકિતની માનસિકતા સ્થીર રહેતી નથી અને સ્વભાવ પણ ચીડિયો થઇ જવાની શકયતા રહે છે. તેવા વિદેશોમાં સંશોધનો થયાં હોવાનું ડો. દેસાઇએ જણાવ્યું હતું.

તો બીજી તરફ ઓનેસ્ટ રેસ્ટોરંટના સંચાલક વિજય ગુપ્તાએ જણાવ્યું હતું કે કયારેય કોઇને ઠંડાપીણાં પીવાની ઇરછા થતી નથી, પરંતુ યુવાવર્ગ ફિલ્મસ્ટાર્સ, ખેલાડીઓ તથા અન્ય સેલિબ્રિટીને જે તે ઠંડાપીણાંની જાહેરાતમાં ઠંડાપીણાં પીતા જોઇ તેમનું અનુકરણ કરવા દેખા દેખીમાં તેઓ ઠંડાપીણાં પીતા હોય છે. જેનાથી શરીરને કોઇ ફાયદો થતો નથી, માત્ર નુકસાન જ થાય છે.

ઘણી વખત આ ઠંડાપીણાંની બોટલોમાંથી ગુટખા કે અન્ય કચરા ઉપરાંત મરેલા જીવજંતુઓ પણ મળી આવ્યાં હોવાના બનાવો પ્રકાશમાં આવવા છતાં યુવાવર્ગ ઠંડાપીણાંના વળગણમાંથી મુકત થતો નથી તે ચિંતાનો વિષય હોવાનું કન્ઝ્યુમર એજયુકેશન રિસર્ચ સેન્ટરના સંચાલક પ્રીતિબહેન શાહે જણાવ્યું હતું.

પ્રીતિબહેને જણાવ્યું હતું કે દુનિયાભરમાં આ ઠંડાપીણાંમાં રહેલાં અમુક તત્ત્વોથી શરીરને ખૂબ જ નુકસાન થતું હોવાના સંશોધનો થયાં હોવાં છતાં સેલિબ્રિટી તથા પિશ્ચમી દેશોનું આંધળું અનુકરણ કરી રહેલા દેશના યુવાનો ઠંડાપીણાંનું સેવન કરી પોતાના શરીરને નુકસાન કરી રહ્યા છે.

Tuesday, April 7, 2009

ચાઇના મોબાઇલનો રણકાર બંધ થઈ જશે

સીબીઆઇએ કરેલી દરખાસ્ત માન્ય રાખવામાં આવી
- ગુજરાતમાં સૌથી વધારે ચાઇના મોબાઇલ સુરતમાં છે
- તા. ૧૫મી પછી ચાઇના મોબાઇલ પથ્થર બની જશે
- આઉટગોઇંગ અને ઇનકમિંગ બંને સેવા બંધ થઈ જશે

ભારતભરમાં ચાઇના મોબાઇલ આવતા અઠવાડિયાથી રણકતા બંધ થઇ જશે. સીબીઆઇએ કરેલી દરખાસ્ત ભારતના ટેલિકોમ વિભાગે માન્ય રાખીને આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. ગુજરાત સેલ્યુલર મોબાઇલ ટેલિકોમ સર્વિસીસના જનરલ મેનેજર બાંઝલે જણાવ્યું હતું કે આઇએમઇઆઇ (ઇન્ટરનેશનલ મોબાઇલ ઇકિવપમેન્ટ આઇડેન્ટિટી) નંબર ન હોય અથવા તો તમામ નંબર ઝીરો કરેલો હોય તેવા તમામ મોબાઇલ ગત માર્ચ માસથી જ બીએસએનએલે સિસ્ટમ લાગુ કરી દીધી હોવાથી બંધ કરી દેવામાં આવ્યા છે.

હવે આ સિસ્ટમ લાગુ કરવાની છેલ્લી તા. ૧૫મી એપ્રિલ છે. આથી આ તારીખથી તમામ મોબાઇલ કંપની સિસ્ટમ લાગુ કરી દેશે. ભારતભરમાં ચાઇનાના મોબાઇલનું ચલણ ખૂબ જ વઘ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં સુરત શહેરમાં ચાઇના મોબાઇલ ફોનનું આખું માર્કેટ છે. લોકોને પણ ચાઇનાના મોબાઇલનું ધેલું લાગ્યું છે.

અન્ય મોબાઇલ ફોનની સરખામણીમાં સાઉન્ડ મોટો તથા બે સીમકાર્ડ વાપરી શકાય તેવા ચાઇના મોબાઇલ ફોન છેલ્લાં પાંચ વર્ષથી સુરત અને ગુજરાતનાં વિવિધ શહેરોમાં ધૂમ મચાવી રહ્યાં છે. ભારતનાં અન્ય રાજ્યોમાં પણ ચાઇના મોબાઇલ ફોનની બોલબાલા વધી રહી છે.

પરંતુ સુરક્ષા એજન્સીઓ અને ખાસ કરીને સીબીઆઇના નિષ્ણાતોએ જોયું કે મોટા ભાગના ચાઇનાના મોબાઇલ ફોનમાં આઇએમઇઆઇ નંબર ખોટા હતા અથવા તો ૦૦૦૦૦૦ કરી દેવામાં આવે છે. જેનો લાભ લઇને આતંકવાદીઓ તેમજ અંડરવર્લ્ડના માણસો વાતચીત કરતા હોવાથી તેમને ટ્રેક કરી શકાતા નથી.

આથી તપાસનીશ એજન્સીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ગુનેગાર સુધી પહોંચવામાં તકલીફ પડે છે. આઠેક માસ પહેલાં સીબીઆઇએ આ અંગે ભારત સરકારના ગૃહ વિભાગને એક દરખાસ્ત કરી હતી કે આ ચાઇનાના મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂકવો જોઇએ. આથી ગૃહ વિભાગે આ અંગે ટેલિકોમ વિભાગના નિષ્ણાતો સાથે મસલત કરીને ચાઇનાના મોબાઇલ ફોન બંધ કરવા માટેનો નિર્ણય લીધો હતો.

જાણવા મળ્યા મુજબ આ નિર્ણય આવે તે પહેલાં કેટલીક મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓએ આ સિસ્ટમ લાગુ કરી દીધી છે. તા. ૧૫મીથી તમામ મોબાઇલ કંપની આ સિસ્ટમ લાગુ કરશે ત્યારે ૦૦૦૦૦૦ આઇએમઇઆઇ નંબર અને આઇએમઇઆઇ નંબર વિનાના તમામ મોબાઇલ ફોનના સીમકાર્ડ લોક થઇ જશે.

તેમાંથી આઉટગોઇંગ તેમજ ઇનકમિંગ ફોન બંધ થઇ જશે. ટેલિકોમ વિભાગના આ નિર્ણયથી ચાઈનિઝ મોબાઈલનું વેચાણ કરનાર વિક્રેતાઓના પેટમાં તેલ રેડાયું છે. રોજ લાખો કરોડો રૂપિયાના ચાઈનિઝ મોબાઈલનું શહેરમાં બે નંબરમાં પણ વેચાણ થતું હોવાનું અવરનવર જાણવા મળે છે.

છતાં પણ ગુનેગારો હાથમાં આવશે નહીં

ચાઇનાના મોબાઇલમાં આઇએમઇઆઇ નંબર ન હોવાથી ટેલિકોમ વિભાગે ભલે બંધ કરવાનો નિર્ણય લીધો હોય પણ જાણકારો કોઇપણ મોબાઇલ ફોનમાં અન્ય મોબાઇલ ઇન્સ્ટ્રુમેન્ટનો આઇએમઇઆઇ નંબર નાંખીને વાપરે તો મોબાઇલ ચાલુ રહેશે. કારણ કે વિભાગે માત્ર આઇએમઇઆઇ નંબર ન હોય અથવા તો તમામ ઝીરો હોય તો તેને બંધ કરી શકે છે, પરંતુ અન્ય મોબાઇલનો આઇએમઇઆઇ નંબર નાખેલો હોય તો તે શોધી શકાતું નથી. ગુનેગારો બોગસ નંબરનો ઉપયોગ કરશે તો પોલીસ પકડી શકશે નહીં.

આઇએમઇઆઇ નંબર સાચવીને રાખવો જોઇએ

આઇએમઇઆઇ નંબર એ દરેક મોબાઇલ ફોનની એક ઓળખ હોય છે. મોબાઇલ બનાવતી કંપનીઓ દ્વારા આપવામાં આવતો આ નંબર યુનિક હોય છે. તે જોવા માટે …૦૬ ટાઇપ કરવાથી ૧૫ ડિઝિટનો નંબર મોબાઇલના ડિસ્પ્લે પર દેખાય છે. આ નંબરના આધારે પોલીસ મોબાઇલ ફોનને ટ્રેક કરી શકે છે. સુરક્ષા એજન્સીઓ ગુનાઓ શોધવામાં સફળ થઇ શકે છે. આથી દરેક વ્યકિતએ પોતાનો ફોન રેઢો મૂકવો જોઇએ નહીં, આઇએમઇઆઇ નંબર સાચવીને રાખવો જોઇએ.

સુરતમાં ચાઇનાના મોબાઇલનું આખું બજાર છે

ગુજરાતમાં સુરત જ એક એવું શહેર છે જ્યાં ચાઇના મોબાઇલ ફોનનું એક આખું બજાર છે. માગો તેવા અને મનગમતી કિંમતમાં અહીં મોબાઇલ ફોન મળે છે, પરંતુ આ નિર્ણયથી આ તમામ બજારોને ભારે ફટકો પડશે અને જેમની પાસે મોબાઇલ છે તે પણ નકામાં થઇ જશે. જોકે, અન્ય મોબાઇલના આઇએમઇઆઇ નંબર હશે તો આવા ચાઇના મોબાઇલ ફોન ચાલુ રહેશે. પરંતુ તે લાંબો સમય ચાલશે નહીં. આજે નહીં તો કાલે આવા ફોન પણ સિસ્ટમમાં પકડાઇ જશે અને લોક થઇ જશે.

સિકયોરિટીના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે : બાંઝલ

બીએસએનએલના જનરલ મેનેજર (સેલ્યુલર મોબાઇલ ટેલિકોમ સર્વિસીસ) વિવેક બાંઝલે જણાવ્યું હતું કે આ નિર્ણય સિકયુરિટીના હેતુ માટે લેવામાં આવ્યો છે. દરેક મોબાઇલમાં આઇએમઇઆઇ નંબરથી યુનિક પેરામીટર હોય છે. જેના આધારે કોઇપણ મોબાઇલ ટ્રેસ કરી શકાય છે. જો આ નંબર સાથે જ ચેડાં કરવામાં આવેલા હોય અથવા તો આ નંબર જ ન હોય તો સિકયોરિટી જોખમાય છે. આથી સુરક્ષાના હેતુસર ટેલિકોમ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Taken From divyabhaskar

Monday, February 9, 2009

‘આસીમ’ હવે એ વાત ગઈ, રંગ પણ ગયો, તાપી તટે થતો જે હતો તે સંગ પણ ગયો

સવારે સુબેદાર સ્ટ્રીટથી નીકળેલી અંતિમ યાત્રા ગોરેગરિમા કબ્રસ્તાન પહોંચી : એક દિવસે રાંદેરથી બે દિવ્ય જયોતની અંતિમ યાત્રા નીકળી હતી

Asim Randeri ગુજરાતમાં ગુજરાતી મુશાયરાના સ્થાપકો પૈકી એક પ્રસદ્ધિ સાહિત્યકાર આસીમ રાંદેરીની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળી ત્યારે શહેરભરના સાહિત્યકારો તેમના અંતિમ દર્શન માટે ઊમટી પડયા હતા. સુરતે તેના કવિરત્નોમાંના એક આસીમને ગુમાવ્યાની લાગણી બધાના ચહેરા પર સ્પષ્ટ પણે જોઈ શકાતી હતી.

મહમુદમિયાં મહમ્મદ ઇમામ સુબેદાર એટલે આસીમ રાંદેરીનું ગુરુવારે મોડી સાંજે ૧૦૪ વર્ષની જૈફ વયે તેમના નિવાસસ્થાન સુબેદાર સ્ટ્રીટ ખાતે નિધન થયું હતું. તેમના નિધનથી માત્ર સુરત જ નહીં પણ સમગ્ર ગુજરાતના સાહિત્યજગતમાં શોક છવાઈ ગયો હતો.

તા. ૧૫-૮-૧૯૦૪ના રોજ જન્મેલા આસીમ રાંદેરીએ તેમની યાદ રૂપે ગઝલસંગ્રહો ‘લીલા’ અને ‘તાપી તીરે’ આપ્યા છે. બે વર્ષ પૂર્વે પ્રતિષ્ડિત વલી ગુજરાતી એવોર્ડ વિજેતા આસીમ રાંદેરીની અંતિમયાત્રા શુક્રવારે સવારે ૧૧.૦૦ વાગ્યે રાંદેરના સુબેદાર સ્ટ્રીટથી નીકળી રાંદેરના ગોરેગરિમા કબ્રસ્તાન સુધી પહોંચી હતી. રાંદેરીના અંતિમ દર્શન કરવા માટે શહેરના સાહિત્યકારો ઉપરાંત શહેરની જાણીતી હસ્તીઓ ઊમટી પડી હતી જેમાં ભગવતી કુમાર શર્મા, જનક નાયક, નાનુભાઈ નાયક અને બકુલેશભાઈ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

રાંદેરના સમાજસેવક બોટાવાલાનું નિધન

એચઆઇએમએસ બોટાવાલા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા હાજીવાલા સુલેમાન અહેમદ બોટાવાલાનું શુક્રવારે સવારે નિધન થયું હતું. ૭૭ વર્ષની ઉંમર ધરાવતા સુલેમાન બોટાવાલા છેલ્લા કેટલાક દિવસોથી હૃદયની બીમારીથી પિડાતા હતા. મોરાભાગળસ્થિત બોટાવાલા ચેરિટેબલ ટ્રસ્ટે શહેરીજનોને સવલતો મળી રહે તે માટે અસંખ્ય પ્રયત્નો કર્યા છે. જરૂરિયાતમંદોને સહાય કરવાના હેતુસર બોટાવાલા ટ્રસ્ટની સ્થાપના ૧૯૩૨માં કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ દ્વારા રાંદેર વિસ્તારમાં રસ્તાઓ તેમજ આજથી ચાલીસ વર્ષ પહેલા જયારે રસ્તાઓ અંધકારમય હતા ત્યારે ટ્રસ્ટ દ્વારા રસ્તાઓ પર લાઇટ પણ મૂકવામાં આવી હતી.

સુરતે છેલ્લા ૧૦ દિવસમાં ત્રણ પ્રતિભા ગુમાવી

સુરત માટે ગર્વસમાન ગણાતી ત્રણ હસ્તીઓ જેવી કે હવામાન આગાહીકાર નટુભાઇ નાતાલી, ગુજરાતી મુશાયરાના સ્થાપક સાહિત્યકાર મહમુદમિયાં મહમ્મદ ઇમામ સુબેદાર એટલે આસીમ રાંદેરી બાદ શુક્રવારે સુરતના મોભી સમાન સુલેમાન બોટાવાલાના નિધનથી સંસ્કારજગતને આંચકો લાગ્યો છે. સાહિત્યકાર આસીમ રાંદેરીનું ગુરુવારે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. બહાર આવે તે પહેલાં બોટાવાલા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી હાજીવાલા સુલેમાન અહેમદ બોટાવાલાનું ૭૭ વર્ષની વયે હૃદયની બીમારીથી અવસાન થયું છે.

Monday, February 2, 2009

સુરતને ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાશે

ઔધોગિક નગરી સુરતની ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકેની ઓળખ વિકસાવવામાં આવશે. શહેરના ઔધોગિક સંગઠનો તથા હોટલ રેસ્ટોરન્ટ એસોસિયેશન દ્વારા શહેરના ફરવાલાયક સ્થળો, ઐતિહાસિક સ્મારકો તથા વાનગીની ખાસિયતોનો પ્રચાર કરી સુરતને રાષ્ટ્રીય ફલક પર ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે રજૂ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશને ૬ અને ૭ ફેબ્રુઆરીના રોજ દ્વિ-દિવસીય હોસ્પિટાલિટી અને ટુરિઝમ મીટ યોજી દેશભરમાંથી ૫૦ યુગલોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

ચેમ્બર ઓફ કોમર્સની ટુરિઝમ કમિટીના ગ્રુપ ચેરમેન પરેશ પટેલના જણાવ્યા મુજબ ઔધોગિક નગરી સુરત એક પ્રવાસન સ્થળ પણ છે. સુરતમાં અંગ્રેજોની કોઠી (કિલ્લો), મુઘલસરાઈ, ડચ સિમેટ્રી, ઇસ્લામિક મોન્યુમેન્ટ્સ સહિતના અનેક સ્થળો છે.

ઉપરાંત વિશ્વ વિખ્યાત જેમ-જવેલરી ઇન્ડસ્ટ્રી તથા સમગ્ર ભારતમાં સિન્થેટિક ફેબ્રિકસ પૂરું પાડતી ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી લોકોનું આકર્ષણ બની શકે છે. જયારે સુરતનું જમણ વિશ્વવિખ્યાત છે. આ તમામ બાબતો ટેકસટાઇલ, ડાયમંડ, ફૂડ (વાનગી) અને કલ્ચર (સંસ્કતિ)નો સમન્વય કરી એક ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે સુરતને વિકસાવી શકાય છે.

જે આશયસર ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, સુરત શહેર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન, રાજય સરકારના ટુરિઝમ વિભાગ તથા અન્ય સંસ્થાઓ દ્વારા સંયુકત રીતે ‘ડિસ્કવર સુરત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

પોંક અને ઊધિયાનો રસાસ્વાદ માણશે

સુરતના મહેમાન બનનારા દેશભરમાંથી આવનારા ૫૦ યુગલોને સુરતી ભોજનનો રસથાળ પીરસવામાં આવશે. જેમ-જવેલરી સંસ્થા, ટેકસટાઇલ માર્કેટ, ઐતિહાસિક સ્થળોની મુલાકાત બાદ આમંત્રિત મહેમાનોને પોંક તથા સુરતી ઊધિયા સાથેગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે.

Tuesday, January 13, 2009

મકરસંક્રાંતિ માટે સુરતીઓનો થનગનાટ

kitesમંદી અને નીરસતાની બુમરાણ વચ્ચે પતંગ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. મકરસંક્રાંતિ આડે માત્ર ગણતરીના બે દિવસ રહી જતાં ડબગરવાડ-કોટસફિલ રોડ, ટાવર રોડ સહિતનાં બજારોમાં પતંગ અને દોરી-માંજાની ખરીદીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગના જથ્થાબંધ વિક્રેતા ઘનશ્યામભાઈ છત્રીવાળાના જણાવ્યા મુજબ ૮ જાન્યુઆરીથી બજારમાં ચહલપહલ જોવા મળી રહી છે.

ગુરુવારે મોહરમની રજામાં તથા શનિ-રવિના રોજ બજારમાં પતંગની સારી ખરીદી નોંધાઈ રહી છે. લોકો દ્વારા પતંગની ખરીદીમાં ઉત્સાહ દર્શાવવામાં આવી રહ્યા છે. શહેરના ઘણાં જથ્થાબંધ પતંગ વિક્રેતાઓને ત્યાં પતંગનો સંગ્રહિત જથ્થો પૂર્ણ થઈ ગયો છે.

માંજો ઘસાવવામાં પણ પડાપડી

ડબગરવાડમાં બોબિન વિક્રેતા અને માંજો ઘસનારા રાજેશ છત્રીવાલાના જણાવ્યા મુજબ પ્રારંભિક તબક્કાની નીરસતા બાદ અંતિમ દિવસોમાં લોકોએ દોરી પર કાચનો માંજો ચઢાવવા ધસારો કર્યો છે.

ચાઇનીઝ પતંગની માગ ઘટી

પતંગવિક્રેતા સતીશભાઈ છત્રીવાલાના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે બજારમાં ચીલ-ખંભાતી તથા ગોળ પતંગની ડિમાન્ડ છે. થોડાં વર્ષોથી ચાઇનીઝ પતંગનું આકર્ષણ હતું. પરંતુ ચાલુ વર્ષે બજારમાં ચાઇનીઝ પતંગની માગ ઘટી છે.

પતંગના ભાવ ૨૦ ટકા ઊચા

ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પતંગના ભાવ ૨૦ ટકા ઊચા છે, જે માટે કાગળના વધતા ભાવ, પતંગમાં વપરાતી કામળી તથા કાગળ પર વેટ ભારણ જેવાં પરિબળો જવાબદાર છે.

મંગળવારે રાત્રે હરાજીબજાર જામશે

શહેરના વિસ્તરણ સાથે જુદા જુદા વિસ્તારોમાં પણ પતંગ-દોરી વિક્રેતાઓ ખૂલ્યા છે. પરંતુ મકરસંક્રાંતિના પર્વ માટે રાજમાર્ગ પર બજાર ભરાય છે. ખાસ કરીને મકરસંક્રાંતિની પૂર્વ રાત્રિએ દિલ્હીગેટથી લાલગેટ સુધીના માર્ગ પર શહેરભરના પતંગવિક્રેતાઓ રેંકડી ખોલે છે.

જેઓ દ્વારા છેલ્લી ઘડીનો સંગ્રહિત જથ્થો બજારની ચાલ અને પતંગની ડિમાન્ડના આધારે વેચવામાં આવે છે. આ બજાર હરાજીબજાર તરીકે પણ ઓળખાય છે. મકરસંક્રાંતિની પૂર્વસંઘ્યાએ હકડેઠઠ જામતી ભીડના કારણે રાજમાર્ગ પર ટ્રાફિક બંધ કરવાની પણ ફરજ પડે છે.

મકરસક્રાંતિનો સંપૂર્ણ મહિનો ફળદાયી

૧૪મી મકરસંક્રાંતિ, ૧૬મીએ ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, ૧૭મીએ હસ્ત નક્ષત્ર, ૨૧, ૨૫ અને ૨૬મી એ સર્વાર્થ સિદ્ધિ યોગ

kites૧૪મી જાન્યુઆરીએ આખો દેશ જયારે મકર સંક્રાન્તિ ઊજવશે ત્યારે યોગાનુયોગે આ જ દિવસે સંકટ ચતુર્થી પણ છે. છેલ્લાં ૧૯ વર્ષ પછી પહેલી વખત બનતો આ યોગ હવે આવનારાં પચાસ વર્ષ બાદ બનવાનો છે. આ જાન્યુઆરીનું છેલ્લું પખવાડિયું દરેક ઉત્તમ કાર્યો માટે ખાસ કરીને ખરીદી કરવા માટે શુભ મુહૂર્ત લઈને આવી રહ્યું છે.

વિદ્વાન જયોતિષીઓના મતાનુસાર આ દિવસોમાં જે કોઈ કામકાજનો આરંભ કરવામાં આવે તે સ્થાયી અને ફળદાયી નીવડે. ૧૪મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ અને ૩૧મી જાન્યુઆરીએ વસંત પંચમીની વરચેના સમયમાં મહાચતુર્થીએ સર્વાર્થ સિઘ્ધિયોગ, દ્વિપુષ્કર યોગ, ષટ્તલા એકાદશી, દ્વાદશી તેમજ સોમવતી અમાસે વિશેષ ફળદાયી યોગોનો સંયોગ બને છે.

સૂર્યની ઉત્તરાયણમાં ગતિની સાથેજ શુભ કાર્યોનો આરંભ થઈ જશે. મકરસંક્રાંતિએ કરવામાં આવેલાં શુભ કાર્યોનું ફળ વસંત પંચમી અને અક્ષય તૃતીયા જેવું મળશે. આ દિવસો દરમિયાન સોના, ચાંદી તેમજ જમીન જેવી ખરીદી ખુબ જ શુભ બની રહે છે.

જયોતિષી મુકેશભાઈ રાવલ (મહેસાણા)ના જણાવ્યા અનુસાર મકરસંક્રાંતિના દિવસે સંકટ ચતુર્થી પણ છે જે મહિલાઓ માટે મહત્ત્વપૂર્ણ છે. આ પ્રકારનો સંયોગ ૧૯ વર્ષ પછી આવ્યો છે અને હવે ૫૦ વર્ષ પછી આવશે.

સંયોગ અને ખરીદી માટેનાં શુભ યોગ

જયોતિષી કર્દમ દેવેએ જણાવેલા મુહૂર્ત અનુસાર નીચે મુજબના યોગો શુભ છે.

૧૪ જાન્યુઆરી.....મકરસંક્રાંતિ, તલ ચતુર્થી અને બુધવારનો સંયોગ
૨૧ જાન્યુઆરી.....અમૃત સિદ્ધિ યોગ
૨૬ જાન્યુઆરી.....સોમવતી અમાસ
૩૧ જાન્યુઆરી.....વસંત પંચમી : સોનું
૭ ફેબ્રુઆરી.......શનિ પ્રદોષ
૮ ફેબ્રુઆરી.......ગુરુ પુષ્યનો સંયોગ

Wednesday, December 31, 2008

૩૧ ની રાત ને સુરતીઑ ખુશી

આજે સુરતીઑ રાતે નાચસે ગાશે અને સાથે ઝુમ્શે. અને hotel જમવાના તો દીવાના તો ખરા જ ને. આજે આખી નીશા સુરતી રૉડ રોમીયૉ બની ને ૩૧ ની મોજ લુટશે.

વાર અને તહેવાર કંઈ પણ હોય સુરતીઓ તેને પોતાની ‘અસ્સલ’ સ્ટાઈલમાં ઊજવવા માટે જાણીતાં છે. ઊજવણી અને ઉત્સવપ્રિય સુરતીઓ માટે થર્ટી ફસ્ર્ટનું અદકેરું મહત્ત્વ છે. અને તેથી જ એની ઊજવણીમાં પણ વર્ષોવર્ષ વૈવિઘ્ય ઊમેરવા જાન લગાવી દેતાં હોય છે. સુરતીઓએ પાર્ટી પ્લોટ્સ, હોટેલ્સ અને મલ્ટીપ્લેકસમાં ડીજેના તાલે ડાન્સ કરવાની તૈયારી કરી જ લીધી છે. કેટલાક લોકો શહેરમાં રહીને જ શહેરની ભીડથી દૂર રહેવા આજકાલ લોકો ફાર્મ હાઉસ, ટેરેસ, પેન્ટ હાઉસ કે ઈન હાઉસ પાર્ટી કરે છે.

વિવાદોમાં ધેરાયેલી રાખી સાવંત પણ સુરત આવશે. કન્ટ્રી કલબ દ્વારા આયોજિત માન સરોવરની પાર્ટીમાં રાખી સાવંત ધૂમ મચાવશે.આ સિવાય શહેરમાં ઘણી જગ્યાએ પાર્ટીઓની તૈયારી થઇ ગઇ છે. ગેટવે માં યુરોપથી ડાન્સ ટ્રુપ અને મુંબઇથી ડીજે રાહુલ આવશે. ગેટવે, વેલેન્ટાઇન, રાજ એમ્પાયર, સિટી પ્લસ, રોયલ પાર્ક, વગેરેમાં મોટી પાર્ટીનાં આયોજનો શહેરમાં થયાં છે.

Saturday, December 20, 2008

ઇન્ટરનેટ એકસપ્લોરર અસુરક્ષિત

internet explorer unsafeખુદ માઈક્રોસોફટે જ તેના સોફટવેરની સુરક્ષામાં ખામીઓની કરેલી કબૂલાત

ઇન્ટરનેટ બ્રાઉઝરમાં ખામી હોવાના કારણે કમ્પ્યૂટર હાઇજેક થવાનું જોખમ

માઇક્રોસોફટ કોર્પોરેશનના ઇન્ટરનેટ એકસપ્લોરરનો ઉપયોગ કરી રહેલા લોકોના કમ્પ્યૂટર હાઇજેક થવાનું જોખમ ઊભું થઇ ગયું છે. કંપનીએ સ્વીકાર કર્યોછે કે, તેના સોફટવેરની સુરક્ષામાં રહેલી ખામીઓ છે, તેને સુધારવાના તમામ પ્રયાસો છતાં પણ તે નિષ્ફળ રહી છે.

માઇક્રોસોફટના એકસપ્લોરર સોફટવેરમાં સુરક્ષા ખામીઓના કારણે ગુનેગારો અને હેકરોને સાધારણ પ્રયત્નથી જ કોઇ પણ વ્યકિતના કમ્પ્યૂટરમાં ઘૂસવાની તક મળી જાય છે. આ માટે તેણે ફકત તે વ્યકિતને લલચાવીને દૂષિત પ્રોગ્રામ કોડવોળી કોઇ વેબસાઇટ ખોલવા માટે મજબૂર કરવાનો રહેશે. નિષ્ણાતોના અનુસાર આમ કરવું કોઇ કપરું કામ નથી.

એન્ટી વાઇરસ સોફટવેર નિર્માતા ટ્રેન્ડ માઇક્રોસોફટના અનુસાર આ ખામીના કારણે છેલ્લા એક સપ્તાહમાં લગભગ ૧૦ હજાર વેબસાઈટોનો આ કામ માટે ઉપયોગ થઇ ચૂકયો છે. જેમાં મોટાભાગની ચીનની વેબસાઈટ છે, જેનો ઉપયોગ કમ્પ્યૂટર ગેમનો પાસવર્ડ ચોરવા માટે કરવામાં આવે છે. જેને કાળા બજારમાં ઊચા ભાવે વેચવામાં આવે છે.

કેવી રીતે પકડાયું :

ટ્રેન્ડ માઇક્રોસોફટની સકિયોરિટી રિસર્ચ કરનાર પોલ ફગ્ર્યુસનના અનુસાર સામાન્ય રીતે સોફટવેર આ પ્રકારની ખામીઓ સુધારવામાં ચૂક ખાઇ જાય છે. આ ખામી ફકત એટલા માટે પકડાઈ ગઇ, કેમકે આઈઈ નામનો ડિફોલ્ટ બ્રાઉઝર દુનિયાના લગભગ તમામ કમ્પ્યૂટર સેટોમાં ઉપયોગમાં લેવાય છે. પરંતુ, કંપની ફકત તેના સાતમા વર્ઝન પર થનાર હુમલાને જ શોધી શકી છે. બીજા વર્ઝન પરનું જોખમ જેમનું તેમ છે. કંપનીએ જણાવ્યું છે કે, તે સમસ્યા દૂર કરવાના પ્રયાસો કરી રહી છે.

બીજા વિકલ્પ સુરક્ષિત

‘જયાં સુધી સમસ્યાનો ઉકેલ નથી આવતો ત્યાં સુધી આઈઈનો ઉપયોગ કરતા લોકો માટે મોજિલાનું ફાયરફોકસ, ગૂગલનું ક્રોમ, ઓપેરા સોફટવેરનો ઓપરા અને એપલના સફારી વિકલ્પનો ઉપયોગ કરવું ઉચિત રહેશે.’ -સુરક્ષા નિષ્ણાત.
Agency, San Francisco

Wednesday, December 10, 2008

‘સ્પાર્કલ’માં સુરતનો ૬૦૦ વર્ષ જૂનો ભવ્ય ઇતિહાસ રજૂ કરાશે

સરકાર દ્વારા ૨૬થી ૨૮ ડિસેમ્બર દરમિયાન યોજાનારા જેમ એન્ડ જવેલરી પ્રદર્શન સ્પાર્કલમાં રજૂ થનારા મેગા કલ્ચરલ ઇવેન્ટમાં સુરતના વેપાર અને વાણિજયનો ભવ્ય ઇતિહાસ, સુરતને એક વ્યાપાર કેન્દ્રનો દરજજો અપાવનાર શ્રેષ્ઠીઓ અને રાજનૈતિક પ્રભુત્વ સુરતની સિમાચિહ્ન રૂપ ઐતિહાસકિ ઘટનાઓ સાંપ્રત સમયના સુરત શહેરના વિકાસની તવારીખ, હીરાઉધોગનો વિકાસ, વર્ચસ્વ અને પ્રદાન વગેરે બાબતોને નાટય અને નૃત્ય દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ૫૦ નાટય કલાકારો, ૪૦ નૃત્ય કલાકારો અને ૨૦૦ જેટલા વિધાર્થી કલાકારો તેમની કલા દર્શાવશે. જેમ એન્ડ જવેલરી પ્રદર્શનમાં સહયોગી સંસ્થા તરીકે ભાગ લેનાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ચેતન શાહે જણાવ્યું હતું કે સુરતના ભવ્ય ઈતિહાસ અને વેપાર ધંધાનો ચિતાર આંતરરાષ્ટ્રીયસ્તરે સ્થાપિત કરવા માટે કલ્ચર ઇવેન્ટમાં સુરતની દરેક બાબતને આવરી લેવામાં આવી છે.

સમગ્ર કાર્યક્રમનું સંકલન ડેપ્યુટી કલેકટર (પ્રોટોકોલ) રાજેન્દ્રભાઈ ગઢવી કરી રહ્યા છે. લેખન અને નિર્દેશન કપિલદેવ શુકલ, વિઝ્યુઅલ ડિરેકટર મનીષ બારડિયા અને સંગીત મેહુલ સુરતીનું હશે.

આ કાર્યક્રમમાં શહેરના ઉદ્ભવની ગાથા, તાપી પ્રદેશના પ્રાગેતિહાસકિ ઉલ્લેખો, ઇ.સ. ૧૫૧૧માં થઈ ગયેલા સુરતના આધ વ્યાપરીશાસક ગોપી મલિકની ગાથા, વ્યાપાર વિકાસ ખાતેનું પ્રદાન ઇ.સ. ૧૫૨૯ના વ્યાપારીશાસક ખ્વાજા સફર સલમાનીનું સુરતને લશ્કરીમથક બનાવવા પ્રદાન, ૧૫૪૧માં સુરત કિલ્લાનું નિર્માણ, ૧૭મી સદીમાં સુરતનું વ્યુહાત્મક બંદર, આર્થિક રાજધાની, કેન્દ્ર સાથે સીધું જોડાણ, લશ્કરી થાણું કિલ્લો, વિદેશ વ્યાપાર, તે સમયના આધ વેપારીઓ વિરજી વોરા , હરિ વૈશ્ય, મોહનદાસ પારેખ, હાજી ઝાહીદ બેગ, તાપીદાસ પારેખ, રૂસ્તમ માણેક વગેરેની વાતો. ઇ.સ. ૧૬૬૪ અને ૧૬૭૦ એમ બે વખત શિવાજી દ્વારા સુરતને લૂંટવાની ઘટના, ૧૭૮૨નું પવનનું તોફાન, ૧૮૨૨ની મહારેલ, ૧૮૩૭ની આગ વગેરે બાબતો કાર્યક્રમમાં વણી લેવામાં આવી છે.

ઔધોગિક ક્રાંતિ બાદ ૧૮૬૧માં શરૂ થયેલી જાફર મિલ, ૧૮૭૫માં માણેકજી દોરાબજીનું લોખંડનું કારખાનું, આઝાદી બાદ ખાતર, ઊર્જા, રેયોન, પેટ્રોકેમિકલ્સનું સુરત હબ બન્યું અને સાથોસાથ હીરાઉધોગની પણ શરૂઆત થઈ. હીરાઉધોગને વેગ આપનાર રત્નકલાકારો વગેરે બાબતોનું પણ નિરૂપણ કરવામાં આવશે.

Thursday, September 18, 2008

Rang Upvan

Booking Form


View Photo Gallery


Rang Upvan C.C. Mehta Natya Gruh which was an open air theatre is now covered applying a steel structure. This facilitate an audience of nearly 1400 persons to seat. The arena is stepped with floor made up of kota stone. It has a covered wooden stage with dressing rooms, stage area is 127.40 sq.mts. and audience area is 1351.90 sq. mts. The arena is enclosed with a decorative wall on all the four sides. This theatre is in the dead centre of the city.


It provides the most appropriate place to host various events like School Cultural Programmes, College's Musical Evening,, Drama, Belay, Classical Music, Classical Dance, Folk Dance, Ras-Garba, Light Music, Songs, Gazzals, Mushayra, Kawali, Daira, Poet Gathering, Business Meeting, Magic Show, Social Gathering, etc.



















BOOKING / RESERVATION:



Interested Organisation or Persons shall contact the following for booking or reserving the hall for their programmes etc. except on Public holidays between 10.30 am to 2.00 pm.



The Manager,
Gandhi Smriti Bhavan,
Nanpura,
Surat
Tel no. 91-261-2472643.

Booking of Rang Upvan on hire basis is done by the Manager- Gandhi Smruti Bhavan and the Rates and other details is as follows.














































Sr.No.Nature of ProgrammeRate for one sessionAmount of Deposit for one session
1Programme Without Ticket800/-3000/-
2Programme With Ticket2000/-5000/-
3Pre-primary Rehearsal [1st Session]400/-1500/-
4Pre-primary Rehearsal [2nd Session]800/-3000/-
5Rates for the programme exceeding than the stipulated time to the extent of one hour.1/2 hour250/-
6Rs.4/- per Fiber Chair and Rs.200/- for 100 nos. of steel chairs
A separate deposit of Rs.4000/- will have to be paid in advance for hiring chair.

Note:


  • Rs.7/- per unit will be charged for electricity consumption. If the programme runs beyond one hour exceedig the stipulated time-limit, organizer will have to pay full charge of a session.

  • Rs.50/- will be charged extra for Booking Form. Booking Form is available from Manager

  • Two sessions are available in Rang Upvan C.C. Mehta Natya Gruh.

    • 9.00 am to 1.00 pm

    • 5.30 pm to 9.30 pm



  • Organization / Persons wants to use Rang Upvan chairs should lift up from Godown & put them back properly at their own cost..

  • Light Effect & Sound arrangements is as per organizers choice.

  • Booking can be done two months in advance on the 1st working day of every month.

  • No programme shall be allowed to conduct unless permission from Police Authorities is obtained both for performance and license for sale of Tickets.

  • All parties / organizers have to observe the rules.



Booking Form


View Photo Gallery

Sunday, July 6, 2008

Schools and Colleges in Surat

Most of the schools in the Surat have Gujarati as the medium of instruction, and there are a number of English medium schools as well. St. Xaviers and Lourdes Convent are the two Catholic schools in Surat and are often viewed as elite schools though Sir J.J. English school which was once amongst the best has now degraded due to its poor management. Other private schools like the S.V. Rao New Model School continue to have success and often are recognized by the state and local governments. Regardless of medium of instruction, most schools are part of the Gujarat State Education Board. The Seventh Day Adventist school in Athwa Lines is part of the national ICSE board and Delhi Public school, Surat is affiliated to CBSE. There is a school in Surat called Lancers Army School. It is a good school to make children physically and mentally strong. It is affiliated to GBSE and CBSE.

Surat has a large concentration of colleges under the Veer Narmad South Gujarat University in the Athwa Lines area on the banks of the Tapti river. It has a medical college and three engineering colleges, including the prestigious Sardar Vallabhbhai National Institute of Technology, Surat(SVNIT formerly svrcet or svr, among the 17 NIT's of India), some private colleges like Sarvajanik College of Engineering and Technology (SCET), and the C K Pithawala College of Engineering and Technology (CKPCET). SCET is one of the few institutions in the country to offer engineering degrees in Surat's main industry, Textiles. The 'Sir K.P.College of commerce' and MTB Arts and PT Science colleges are among the oldest in the state of Gujarat with PT Science being the only English Science college in the city. V.T. Choksi Sarvajanik College of Education is another well known educational institution.

Sheth P T Mahila college of Arts and Homescience is exclusively for girls. [1]. This grant in aid college is affiliated to SNDT Women's university, Mumbai (NAAC accredited 5 star).

Surat has one of Private Medical College SMIMER - Surat Municipal Institute of Medical Education & Research, Dr.S & S.S.Gandhi College of Polytechnic Engineering, Majuragate, Surat

 

Schools
---------------------------------------------------




Colleges
--------------------------------------------------




Tuesday, June 24, 2008

જનક ના જય શ્રી ક્રીષ્ના

શુ દોસ્તો તમે   SURAT CITY (surat3856.wordpress.com)  પર કઈક નવા પરિવર્તન મગો છો તો મને ઈમીલ કરો મારુ ઈમીલ mustdeein@yahoo.com છે. અને જો તમારી પાસે સુરત ની કોઇ મહિતી હોય તો મને મોક્લી આપો

ધન્યવાદ
જનક ગજેરા

Wednesday, May 28, 2008

સુરત રાત કી બાહોંમે...

સુરતને ખરેખર સોનાની મૂરતના સ્વરૂપમાં હવે જોઇ શકાય છે. રિંગ રોડના તમામ ઓવરબ્રિજ તૈયાર થતાં રાત્રિએ આવો સુંદર કોઇ પરદેશી નજારો જોતા હોઈએ એવું લાગે છે.

Surat Raat ki Bahoma

Tuesday, May 27, 2008

સુરત એપીએમસી ફળ અને શાકભાજીની નિકાસ કરશે

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સુરત (એપીએમસી સુરત)ને ફળફળાદી તથા શાકભાજીની નિકાસ કરવા રાજય સરકારે મંજૂરી આપી છે. ફળ-શાકભાજીની નિકાસ મંજૂરી મેળવનાર દેશની સૌપ્રથમ એપીએમસી દ્વારા ૨૨ મે ૨૦૦૮ને ગુરુવારે ૪.૫ ટન કેસરી કેરીનું સૌપ્રથમ કન્સાઇન્મેન્ટ લંડન ખાતે રવાના કરવામાં આવશે.

જોકે, અત્યાધુનિક સુવિધાની સજજ એગ્રોફૂડ પાર્ક કાર્યરત થાય તે પૂર્વે વિશ્વભરના બજારોમાં નિકાસ માર્કેઠ વિકાસવાવના હેતુસર એપીએમસીએ રાજય સરકાર પાસે નિકાસ પરવાનગી માંગી હતી રાજય સરકારે સુરત એપીએમસી અરજીને માન્ય રાખીને ફળ ફળાદી શાકભાજીની નિકાસ કરવા ઔધોગિક મંજૂરી આપી છે.

જે આ પ્રકારે ફળફળાદી શાકભાજીની નિકાસ કરવા મંજૂરી મેળવનાર સુરત એપીએમસી, દેશની એકમાત્ર એપીએમસી બની છે. ખેતપેદાશોની વિદેશમાં નિકાસ કરવાની તૈયારીરૂપે એપીએમસીએ નિકાસ પ્રક્રિયા માટેના જરૂરી તમામ લાઇસન્સ મેળવી લીધા છે. ઉપરાંત રાજય સરકારની પણ મંજૂરી પ્રાપ્ત થતાં નિકાસ પ્રક્રિયા હાથ ધરાશે.

વધુમાં જણાવ્યું હતું કે નિકાસની મંજૂરી મળતાં જ સંસ્થાએ ખેત પેદાશની નિકાસ શરૂ કરવા તજવીજ હાથ ધરી છે. જેના ભાગરૂપે ૨૨ મે ૨૦૦૮ને ગુરુવારે મુંબઇ પોર્ટથી ૪.૫ ટન કેસર કેરીનું કન્સાઇન્મેન્ટ લંડન ખાતેના એટીજી હોલસેલર્સને રવાન કરવામાં આવશે. અમદાવાદ અને મુંબઇથી નિકાસની મંજૂરી મેળવવામાં આવી છે.

હવે ફકત કિસયરન્સ મેળવવાના રવાના થયા બાદ આગામી દિવસોમાં અન્ય પેદાશોની પણ નિકાસ કરવામા આવશે. એપીએમસીના સેક્રેટરી નિલેશભાઇ ખોરાટે જણાવ્યું હતું કે લંડન ખાતે એકસપોર્ટ બાદ મીડલ ઇસ્ટના ૪૪ દેશોમાં શાકભાજી ફળોની નિકાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Taken from Divyabhaskar

Sunday, May 4, 2008

NRI Section

Why choose Surat


Choosing which city to invest in property becomes a though decision to make by NRI's. A lot of factors have to be looked at. Some of the points are discussed below, telling you why Surat would be the perfect destination to live in and to invest your money.

1.The major reason for choosing Surat would be of the investment opportunity here. The returns from real estate are high as it is a growing city.

2. Surat is ranked first among the top 10 cities for earning, investing and residing. Surat has been ranked as the top destination for those seeking employment and doing business. It is a great place to start a new business.

3. Surat is a booming industrial center for textiles, Jari, brocades and is a very important diamond processing centre. Surat has a great export market. Surat is situated on the banks of the Tapi and was one of the greatest Indian Ports during the Mughal regime.

4. Surat has the advantage of being around 300km. from Bombay International Airport. Bombay and Surat are well connected by a busy rail line or road transport. NRI's would be having frequent visitors from abroad so, a home close to Bombay International Airport is then desired.

5. After staying in foreign for a couple of years, NRI's get used to living in a clean environment. Surat is one of the cleanest cities in India.

6. Surat has the most number of flyovers in Gujarat and is also know for its wide roads. It gets easy to move from one place to another as the traffic is well maintained.

7. Surat is rich in culture. Yearly, a large number of traditional and cultural events take place in Surat. All festival are celebrated with great charm and respect. NRI's would love the cultural aspect Surat has to offer.

8. One can never get bored in such a place because of the places to visit in and around Surat. There are great places to go to near Surat for a weekend. There are multiplexes and a number of cinemas located in Surat.

9. Surat has a great climate throughout the year. It never gets too cold or too hot in Surat.

 

Legal Aspects


It is legal for NRI's to invest in India. The Indian government has allowed 100% repatriation for NRIs. The Reserve Bank has granted a blanket permission to NRIs to purchase immovable property in India for their residential and commercial purposes. There is also no limit on the number of investments or the quantity of investments that can be made in real estate. However, the amount should not be more than the foreign exchange in to hold the property. The property can be purchased from any place outside India or through funds maintained in NRI accounts in the banks within the country.

There are some rules regarding the SALE of property purchased by an NRI. NRI is allowed to sell property only after three years from the date of acquisition for the property or from the date of payment of the final installment of the consideration for its acquisition, whichever is later.

For more details on the purchase or sell of property by NRI's it would be best if you seek legal professional help.

Wednesday, February 27, 2008

सस्ते हैं सूरत के कपड़े

Surat market

सूरत के व्यापारी देश-विदेश में अपना कपड़ा भेजते हैं। यहां छोटे से छोटे कारोबारी का धंधा भी खूब होता है क्योंकि इन्होंने स्थानीय मॉडल को लेकर अपने विज्ञापन बनाए हैं, जिससे इनका खर्च भी बच रहा है और इनके उत्पादन का प्रसार भी हो रहा है।