Showing posts with label Good stuff. Show all posts
Showing posts with label Good stuff. Show all posts

Tuesday, January 25, 2011

I don’t see dreams, I sow dreams - Nareandra Modi

Welcome to માનનીય મુખ્યમંત્રી શ્રી  નરેન્દ્ર મોદી  in golden city SURAT


 

http://www.narendramodi.in/images/uploads/egreetings/large/republic_day.jpg

Picture taken from www.narendramodi.in

Friday, January 7, 2011

ડાયમંડ એટલે માત્ર સુરત જ : નરેન્દ્ર મોદી

હીરા-ઝવેરાતથી ઝગમગતા અબજોના જવેલરી સ્ટોલ કરતાં સ્પાર્કલની બહાર ઊભા કરાયેલા હસ્તકલાના કારીગરોના ‘આર્ટિઝન વિલેજ’ને અદકેરું મહત્વ આપતા મુખ્યમંત્રી

સ્પાર્કલ-૨૦૧૧ એટલે સુરતના ડાયમંડની ઓળખ વિશ્વમાં ઊભી કરવાનો પ્રયાસ...માટે જ જ્યારે ડાયમંડની વાત આવે ત્યારે વચ્ચે સુરત સ્ટેશનનું સરનામું નહિ માત્ર ને માત્ર સુરત જ આવવું જોઇએ. જોકે, તેમ કરવા માટે કલ્ચર એપ્રોચ અને બ્રાન્ડનેમની આવશ્યકતા છે ત્યારે સુરત અને સ્પાર્કલનું દાયિત્ય બને છે કે સુરતના ડાયમંડને બ્રાન્ડનેમ આપો. કેમકે આજે વિશ્વમાં બિઝનેસની સૌથી મોટી કોઈ તાકાત હોય તો તે બ્રાન્ડનેમની છે તેવો લલકાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પાર્કલ-૨૦૧૧ને ખુલ્લું મુકતા કર્યો હતો.

 

Taken from Divya Bhasker

Friday, June 5, 2009

નોકરી કે એડમિશન માટે શરત એક, વ્યસન છોડો LET OTHERS

Bhaskar News, Rajkot

Tuesday, May 26, 2009 01:34 [IST]




bankરાજકોટની પીપલ્સ બેંક અને શિક્ષણ સંસ્થાનું અનોખું અભિયાન

કોઈ બેંકમાંથી લોન જોઈતી હોય, સ્કૂલમાં એડમિશન લેવાનું હોય કે નોકરી કરવાની વર્તમાન માહોલમાં એવું ચોક્કસ કહી શકાય કે, ખિસ્સાં ભરેલા હોય તો બધું સરળ છે. પરંતુ રાજકોટની એક સંસ્થાએ નવો અભિગમ અપનાવ્યો છે અને તે એ છે કે નોકરી, એડમિશન કે ટ્રસ્ટીપદ જેવી બાબતો જોઈતી હોય અને ટકાવવી હોય તો મોઢા ખાલી હોવા જોઈએ એટલે એ વ્યકિતને કોઈ પ્રકારનું વ્યસન હોવું ન જોઈએ.

વ્યસન મુકિત માટે સૂત્રો અને પ્રવચનો તો અનેક પ્રકારના પરંતુ તેનો અમલ રાજકોટ પિપલ્સ કો.ઓપ. બેંક અને સરદાર પટેલ વિધા સંકુલ વિશેષ રીતે કરે છે. આ સંસ્થાઓના સંચાલક શામજીભાઈ ખૂંટને પણ જો કે, વ્યસન છે. વ્યસન મુકિત સામે લડત આપવાનું વ્યસન છે. શામજીભાઈને એક નશો છે. તમાકુ અને અન્ય કોઈપણ પ્રકારના વ્યસન સામે ઝઝૂમવાનો !

શામજીભાઈ કહે છે, અમારી બેંકને દસ વર્ષ થયા છે કેટલીક અઘરી શરતો અમે પાડીએ અને પડાવીએ છીએ. બેંકમાં ભરતી માટેની લાયકાત ગ્રેજયુએશન વીથ ફસ્ર્ટ કલાસ છે. તે ઉપરાંત અમે ચૂસ્તપણે એવો આગ્રહ રાખીએ છીએ કે અમારે ત્યાં કામ કરતો કર્મચારી વ્યસન વગરનો હોય બેંકમાં કે અંગત જીવનમાં તેને તમાકુ, બીડી, સિગારેટ, ગુટખા દારૂ જેવી કોઈ ચીજનું બંધાણ હોવું ન જોઈએ.

આ શરત બેંકના ડિરેકર્ટસને પણ લાગુ પડે છે. અમે ૧૧ ડિરેકર્ટસ છીએ અને કોઈને વ્યસન નથી. જે વ્યકિત કે પાર્ટી લોન લે તે તો ઠીક પરંતુ અમારા ડિપોઝિર્ટસ માટે પણ એટલું ફરજિયાત છે કે, તે લોકો બેંકમાં આવે ત્યારે તો તેના મોઢામાં પાન-ફાકી કે તમાકુ ન જ હોવા જોઈએ. અને તેનું પાલન પણ થાય છે.

બેંક ઉપરાંત ૧પ૦ ફૂટ રિંગ રોડ પર આવેલું સરદાર પટેલ વિધાસંકુલ લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટીઓ ચલાવે છે ત્યાં આજ શરત છે. બાળકને સ્કૂલ અને હોસ્ટેલમાં મેરિટ પર એડમિશન મળે છે. પિતાની આર્થિક સ્થિતિ નબળી હોય તો તેની ફી ટ્રસ્ટી ભરે છે પરંતુ શરત એ છે કે, તેના પિતા કે વાલીને કોઈ વ્યસન ન હોય. તેમાં જામીન રાખીએ છીએ. એટલે કોઈ વાલીને વ્યસન હોવાનું પછીથી જાણમાં આવે તો એ જામીન પાસેથી ફી લેવાય છે. વ્યસન મુકિત માટે આવા પ્રોત્સાહનો અમે આપીએ છીએ.

વ્યસન ન હોય તેને ફીમાં રાહત !

સરદાર પટેલ વિધાસંકુલના ટ્રસ્ટી મંડળ દ્વારા એવી વિચારણા થઈ રહી છે કે, કોઈ વિધાર્થી એડમિશન લે ત્યારે જો તેમના વાલીને વ્યસન ન હોય તો તેને ફીમાં થોડી રાહત આપવી આ અંગે અંતિમ નિર્ણય થયો નથી.

વ્યસન ન છૂટયું, તો ટ્રસ્ટી પદ છોડવું પડયું

સરદાર પટેલ વિધાસંકુલના ટ્રસ્ટીઓ માટે પણ શરત છે કે, તેમને વ્યસન ન હોવું જોઈએ. એક ટ્રસ્ટી પ્રયત્ન કરવા છતાં વ્યસન છોડી ન શકયા તો તેમણે અંતે ટ્રસ્ટીપદેથી રાજીનામું આપ્યું હતું. ઉપરાંત બેંકની બહાર ફાકી ખાઈ રહેલા ત્રણ કર્મચારીઓને પણ છૂટા કરી દેવાયા હતા. તેમ શામજીભાઈ કહે છે

Monday, May 25, 2009

ગુજરાતિ માં એક ટપાલ

તારીખ : આજની જ.

પ્રતિ
તમોને જ

વિષય: જિંદગી અને તમે!

ભાઈશ્રી/બહેનશ્રી,

હું, ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. 9ું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે.


[૧] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસBટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા, મારા સમયે, તમારા સમયે નહીં!

[૨] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.

[૩] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.

[૪] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.

[૫] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.
[૬] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફ20સોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.

[૭] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર ક્યારેક આવે તો એવા લોકોને Aાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.

[૮] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !

[૯] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.

અને છેલ્લે…
હું તમારE0 પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો મારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.

એ જ લિ,

ભગવાનની આશિષ.

Monday, May 11, 2009

નિ:સ્વાર્થ પ્રેમની પરિભાષા

N. Raghuraman





girl-bald.jpgવંદના દહીં-ભાત ખાવાની ના પાડી રહી હતી. પિતાએ તેને સમજાવવાની કોશિશ કરી, બેટા, દહીં-ભાત ખાઈ લે. તારા પપ્પા માટે એટલું પણ નહિ કરે? આ સાંભળીને તેણે કહ્યું, પપ્પા, હું બધા દહીં-ભાત ખાઈ લઉ તો તમે હું જે માગું તે આપશો? પપ્પા બોલ્યા, પ્રોમિસ. તેણે પરાણે પરાણે દહીં-ભાત ખાઈ લીધાં. તેણે હાથ ધોઈને કહ્યું, પપ્પા, હું આ રવિવારે માથે મુંડન કરાવવા માગું છું. આ સાંભળતાં જ તેની મમ્મી બરાડી ઊઠી, શું બકે છે! છોકરી થઈને માથું મુંડાવવા માગે છે? હું એવું નહીં થવા દઉ. વંદુ આજકાલ બહુ ટીવી જોવા લાગી છે.

આ ટીવીએ તો આપણી સંસ્કૃતિને બરબાદ કરી નાખી છે. પપ્પાએ પણ ઢીલા સ્વરે કહ્યું, બેટી, તું બીજું કંઈ કેમ નથી માગી લેતી? તારું વાળ વિનાનું માથું જોઈને અમને કેટલું દુ:ખ થશે. તું અમારી લાગણી કેમ નથી સમજતી? વંદુ બોલી, પપ્પા તમે જોયું હતું ને કે દહીં-ભાત ખાવા મારા માટે કેટલું મુશ્કેલ હતું, છતાં મેં ખાધા અને તમે પ્રોમિસ કરેલું. હવે તમે જ વચન આપીને ફરી જાવ છો? તમે જ રામની વાર્તા કહીને અમને કહેલું કે આપેલું વચન પાળવું જોઈએ. પપ્પાએ હથિયાર હેઠાં મૂકી દીધાં, કહ્યું, હું આપેલું વચન નિભાવીશ.

રવિવારે વંદુએ મુંડન કરાવ્યું. સોમવારે તેના પપ્પા તેને શાળાએ છોડવા ગયા ત્યારે તેમની બાજુમાં એક કાર આવીને અટકી. તેમાંથી ઊતરતા છોકરાએ બૂમ પાડી, વંદુ મારા માટે ઊભી રહે! એ છોકરાને માથે એકેય વાળ નહોતો. આ જોઈને વંદનાના પપ્પા સ્તબ્ધ રહી ગયા. એટલામાં કારમાંથી ઊતરતી મહિલા ભીની આંખે બોલી, ભાઈ, તમારી દીકરી વંદના બહુ મહાન છે.

મારા દીકરા હરીશને બ્લડ કેન્સર હોવાથી તેના બધા વાળ ખરી ગયા છે. બધા તેને ખિજાવતા હોવાથી તેણે સ્કૂલે આવવાનું બંધ કરી દીધેલું ત્યારે તમારી દીકરીએ તેને વચન આપેલું કે શાળામાં કોઈ તેને ચીડવે નહિ તેનો રસ્તો કાઢીશું.

ત્યારે મને કલ્પના પણ નહોતી કે તે તેના આટલા સુંદર વાળની કુરબાની આપી દેશે. આ સાંભળીને વંદનાના પપ્પાની આંખો પણ રડી પડી. તેમના હોઠ ફફડ્યા, મારી નાનકડી પરી! તે મને આજે શીખવાડયું છે કે સાચો અને નિ:સ્વાર્થ પ્રેમ શું હોય છે.





ફંડા એ છે કે પોતાની શરતો પર જ જીવનાર લોકો સૌથી વધુ ખુશ નથી, બલકે સૌથી વધુ સુખી તો એ છે જેઓ પ્રેમ ખાતર પોતાની શરતો બદલી નાખે છે.

Saturday, May 2, 2009

મન : મુક્તિ અને બંધનનું કારણ

મન મૂર્ત, અમૂર્ત તમામ પદાર્થોના સંબંધમાં ચિંતન કરવાની ક્ષમતા ધરાવે છે. મનની આ ચંચળતા મનુષ્ય માત્ર માટે એક મોટી સમસ્યા છે કારણ કે ચંચળતાને કારણે મન એકાગ્ર થઈ શકતું નથી. મનની આ ચંચળતા સફળતામાં બાધક છે કારણ કે આવી સ્થિતિમાં મનુષ્ય નિર્ણય કરી શકતો નથી. મન એકાગ્ર થઈ જાય તો સફળતાના દ્વાર આપોઆપ ખૂલી જાય છે.

જીવનમાં જે બને છે તે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે મનનું જ કારણ હોય છે. મનમાં ઉત્પન્ન થનાર સંકલ્પ - વિકલ્પ અને વિચાર- તરંગોને જો શાંત કરી દેવામાં આવે તો અંતરમન પર તમામ બાબતો સ્પષ્ટ થઈ જાય છે. જેમ તળાવમાં ઉત્પન્ન થતાં વમળો શાંત થઈ જાય છે તેમ તળાવનું તળિયું સ્પષ્ટ દેખાય છે. મન એ એક સમસ્યા છે. મનમાં ઉત્પન્ન થનારા વિચારો ચારે બાજુ વાદળો ઉત્પન્ન કરે છે. જેમાં એક ધૂંધળું વાતાવરણ બને છે અને સ્પષ્ટતા તેમાં ક્યાય ખોવાઈ જાય છે. જ્યારે ચારે બાજુ વાદળ હોતાં નથી ત્યારે આપણે સૌ સહજ અસ્તિત્વમાં હોઈએ છીએ અને બધું સ્પષ્ટ જણાઈ આવે છે.

આવી સ્થિતિમાં મનની ચંચળતા પર કેવી રીતે નિયંત્રણ અને એકાગ્રતા લાવી શકાય ? વગેરે પ્રશ્નોના ઉત્તર મેળવતાં પહેલાં જાણી લઈએ કે આખરે મન એ શું છે ? ભારતીય દર્શનમાં મનને ખૂબ જ સ્થૂળ કહ્યું છે જ્યારે જૈનદર્શનમાં તેને પુદ્ગલ (સૂક્ષ્મ- જડ તત્ત્વ)થી બનેલું છે તેમ કહેવામાં આવ્યું છે. તે સ્થૂળ હોવા છતાં મનમાં ચંચળતા કેમ ઉત્પન્ન થઈ ? જૈનદર્શન આ પ્રશ્નનો ઉત્તર ચિત્તના માધ્યમથી આપે છે. જૈનદર્શન અનુસાર મન અચેતન છે અને ચિત્ત એ ચેતનયુક્ત છે. ચિત્ત આપણી અંદરની સમગ્ર ચેતનાનું પ્રતિનિધિત્વ કરે છે. મન પણ ચિત્તનો સ્પર્શ પામી ચેતન થઈ જાય છે.

વેદાન્ત ગ્રંથોમાં અંતઃકરણ ચતુષ્ટય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનું વર્ણન છે. ચિત્ત ચેતન છે. આ પ્રથમ અનુભૂતિ છે. ચેતના બાદ બીજી અનુભૂતિ છે. અહંકાર અર્થાત્ ‘હું’ના અસ્તિત્વનું ભાન, મન ત્રીજું ચરણ છે. જેનું કાર્ય ચિંતન કરવાનું છે, સંકલ્પ - વિકલ્પ કરવાનું છે. બુદ્ધિ અંતઃકરણ ચતુષ્ટયનું ચોથું ચરણ છે. જેનું કાર્ય મનમાં ઊભા થતા વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરવી. આ રીતે પતંજલિ યોગમાં પણ ચિત્તને જ ચેતનશક્તિ કહેવામાં આવી છે. આમ સૌથી પહેલાં ચિત્તને શાંત કરવું અનિવાર્ય હોય છે. બુદ્ધ પણ કહે છે કે મન જ એક એવું માધ્યમ છે જેના થકી મનુષ્ય પ્રકાશને પ્રાપ્ત થાય છે.

મન એ મનુષ્યમાં ઈચ્છાશક્તિનું બળ છે. આ પ્રકારનો આદર્શ રાખવાથી ઈચ્છાશક્તિને ક્રિયાશીલ બનાવી શકાય છે. આ ઈચ્છાશક્તિના માધ્યમથી મનને જે દિશામાં લઈ જવું હોય ત્યાં લઈ જઈ શકાય. મન જ આપણને જીવનરૃપી કારાગારમાં કેદી બનાવે છે અને મન જ તે કેદમાંથી મુક્ત કરાવે છે. આપણું જીવન સમ્યક દૃષ્ટિવાળું હોય તો તે ખરા અર્થમાં સફળ બને છે.

ચેતન વિભિન્ન સંસ્કારોથી પ્રભાવિત છે. તેની નિર્મળ ધારા આગળ આવે છે. રાગદ્વેષ રહિત થઈ જાય છે. ચેતનાની સાથે જે મલિનતા ભળે છે તેનાથી આસક્તિ, અજ્ઞાન, રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે. આ પ્રકારે મન-સાધનામાં જૈનદર્શન બુદ્ધદર્શનથી નજીક છે પરંતુ મનની સ્વચ્છતા માટે તે ચિત્તને આધાર બનાવે છે. મર્હિષ પતંજલિ જણાવે છે કે ચિત્તવૃત્તિઓને રોકવી અને મનને અંતર્મુખી બનાવવું તે જ યોગ છે. યોગનો અર્થ થાય છે ‘સ્વ’થી યોગ.

જ્યારે મનુષ્યને સ્વના અસ્તિત્વનું ભાન થઈ જાય છે ત્યારે મન સમાપ્ત થઈ જાય છે. આ રીતે મન - સાધના માટે પતંજલિ પણ ચિત્તસાધનાના માર્ગ ને જ બતાવે છે પરંતુ પતંજલિ ચિત્તને જ સ્થૂળ સ્વરૃપમાં સ્વીકાર કરે છે.

ચિત્ત સ્વભાવથી જડ છે પરંતુ આત્માના સંપર્કમાં રહેવાથી તે પ્રકાશિત થઈ જાય છે. આ રીતે પતંજલિ દર્શનમાં ચિત્ત અને મનની વચ્ચે કોઈ વિશેષ ભેદ નથી. ચિત્તની સાધના માટે અષ્ટાંગ માર્ગ બતાવવામાં આવેલો છે. જેમાં શારીરિક અને માનસિક શુદ્ધિ ઉપરાંત ચિત્તની એકાગ્રતાનું ચરણ આવે છે. જેને ‘ધારણા’ કહેવામાં આવે છે. ધારણાનો અર્થ છે ચિત્તનું કોઈ પણ વિષય પર એકાગ્ર થવું. આ સ્થિતિમાં ચિત્તના બધા જ સંકલ્પ - વિકલ્પ સમાપ્ત થઈ જાય છે.

પતંજલિ યોગસૂત્રની જેમ જૈનદર્શન પણ મનની એકાગ્રતાને સ્વીકારે છે. તેના અનુસાર એ બે મનની ભૂમિકાઓ છે. મનના ભટકી જવા પર નિયંત્રણ લાવીને તેની સાથે સંબંધ સ્થાપવો જરૃરી બને છે. આ ધારણાની સ્થિતિ છે.

જ્યારે આપણું મન ધ્યાનમાં નથી રહેતું ત્યારે તણાવગ્રસ્ત રહે છે. તણાવના સમયે મન એક વિચારથી બીજા વિચારમાં જલદીથી ખેંચાઈ જતું હોય છે. અશાંતિથી થાકીને તે સાવ તૂટી જાય છે. ધ્યાનથી ચંચળતા દૂર થાય છે. જ્યારે આપણે એકાગ્રતા કેળવીએ છીએ ત્યારે મનમાં અનેક વિચાર ઊઠે છે અને ચંચળતાથી છુટકારો મળે છે. જો આપણે મનની ગતિને સમજીએ તો પણ શાંતિ મળે છે. આપણે વિચારોને ઓળખવા, પરંતુ તેની સામે પ્રતિક્રિયા ન આપવી. આ પણ એક ધ્યાનનો લાભ છે.

જો આપણે એકાગ્રતા કેળવવાનો પ્રયત્ન કરીએ અને મનમાં ઊઠતા વિચારોના સાક્ષી બની રહીએ તો ધીરે ધીરે ખોટા વિચાર આવતા જ બંધ થઈ જશે. આપણા માનસિક તણાવ અને દબાણ ઘટતા જશે. પ્રત્યેક વ્યક્તિ આ રીતે એકાંતમાં બેસીને થોડો સમય એકાગ્રતા કેળવવા અંતરાત્મામાં ડૂબી જાય તો તેનામાં નકારાત્મક વિચારો આવતા બંધ થશે અને એક પ્રકારે સાકારાત્મક ઊર્જા શરીરમાં ઉત્પન્ન થવા લાગશે. ધ્યાનનું એક મહત્ત્વનું પરિણામ એ પણ છે કે અંતરાત્માના ઉંડાણમાં જતા સ્કૂરિત થતી શાંત અવસ્થાનો આભાસ આપણને થવા લાગે છે.

આજનો યુગ એ ટેકનોલોજીનો યુગ છે, બીજું કે લોકો સતત પોતાની નોકરી અને વ્યવસાયમાંથી સમય કાઢી શકતા ન હોવાથી સતત માનસિક તણાવમાં જ રહેતા હોય છે. સતત ભાગદોડવાળી જિંદગીમાં ફુરસદનો સમય મેળવવો એ પણ તેમના માટે અઘરો બની ગયો છે ત્યારે તણાવમાંથી મુક્ત થવા એકાગ્રતા કેળવવી એ ખૂબ જ જરૃરી બની રહે છે.

જેઓ નિયમિત રીતે ધ્યાન કેળવતા રહે છે તેઓને અવશ્ય શાંતિ મળે છે. શાંત મન એ કોઈ પણ જાતનું કાર્ય પૂરું કરવા માટે સક્ષમ હોય છે. આમ શાંત મગજ ધરાવનારને કાર્યમાં જલદીથી સફળતા મળે છે. જ્યારે અધીરા અને ચંચળ, અસ્થિર મનવાળી વ્યક્તિઓને સફળતા મેળવવી ખૂબ જ અઘરી બની રહે છે. આમ આ ભાગદોડમાં ધ્યાન ધારણા એ શાંતિપદ વિરામ છે. ક્યારેક આપણે અમુક પરિસ્થિતિઓમાં માનસિક સમતુલા ગુમાવી દઈએ છીએ ત્યારે ચિત્તની એકાગ્રતા આપણા મનને શાંત પાડે છે.

Thursday, April 30, 2009

કોઈ પણ સંજોગોમાં સ્થિર રહેવું જોઈએ





mind_breathજેણે ધીરજ સાધવી હોય અને ઇચ્છાશકિતને પ્રબળ રાખવી હોય, તેમને શ્વાસોશ્વાસને નિયંત્રણમાં રાખતા આવડવું જોઈએ. નિયંત્રિત શ્વાસ મનને અંકુશમાં રાખે છે.




પ્રતિકૂળતાઓ અને મુશ્કેલીઓમાં કાં તો માનવીનો માનસિક વિકાસ થઈ જાય છે અથવા તો તે નિરાશામાં ડૂબી જાય છે. તમે ઇચ્છો કે ન ઇચ્છો અંતરાયો, મુશ્કેલીઓ તો આવે જ છે.




આપણે જયારે સુખી, સુવિધા-સંપન્ન અને બેફિકર રહીએ છીએ ત્યારે આપણે કંઈક જુદા જ હોઈએ છીએ. આપણે સૌને સારા લાગીએ છીએ અને બધા આપણને સારા લાગે છે, પરંતુ જિંદગીમાં દુ:ખ, સમસ્યાઓ આવે છે ત્યારે આપણે બેચેન થઈ જઈએ છીએ અને કયારેક ક્રોધમાં પણ આવી જઈએ છીએ. ઘણા સૌમ્ય લોકો ચીડિયા થઈ જાય છે.




સંજોગો બદલાતા જ આપણે બદલાઈ જઈએ છીએ. વિચાર કરો કે આપણે કેમ બદલાઈ જઈએ છીએ? જેની પાસે સબળ વિચાર છે, તેઓ મુસીબતમાં પણ બદલાતા નથી અને નબળા વિચારોવાળા તત્કાલ પલટી મારી દે છે. પ્રતિકૂળ સંજોગોમાં પણ આપણે શાંતિ, સંતુલિત અને સ્થિર રહી શકીએ એ માટે શું કરવું જોઈએ?




અઘ્યાત્મ કહે છે કે બે કામ કરીએ- પ્રબળ ઇચ્છાશકિત ટકાવી રાખો અને ધીરજ ન ગુમાવો. આ બન્ને બાબતોને મૂળ સ્વભાવ બનાવી લો તો પછી સ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ, તમારી મૌલિકતા, મસ્તી કયારેય ખતમ નહીં થાય. જેણે ધીરજ સાધવી હોય અને ઇરછાશકિતને પ્રબળ રાખવી હોય, તેમને શ્વાસોશ્વાસને નિયંત્રણમાં રાખતા આવડવું જોઈએ.




નિયંત્રિત શ્વાસ મનને અંકુશમાં રાખે છે અને મન જો કાબૂમાં આવી જાય તો તે વ્યકિતત્વને સબળ કે નિર્બળ બનાવવામાં સફળ નથી થતું. શ્વાસના નિયંત્રણ માટે રોજ થોડા સમય માટે પ્રાણાયામ કરો. નિયમિત પ્રાણાયામ કરનારા નબળા પુરવાર નથી થતા.

Thursday, April 23, 2009

‘ફન વકર્સ’ રમૂજ એક થેરપી

Bakul Baks


navi-nazare


કોઇ પણ કામને બે રીતે કરી શકાય છે. બહુ ગંભીર થઇને અથવા મન હળવું રાખીને. જે લોકો હસતા રમતાં કામ કરવાની ટેવ પાડી શકે છે તેમને કામનું બહુ ટેન્શન રહેતું નથી. મન હળવું રાખીને કામ કરવું એટલે બેદરકાર રહેવું તેવું નથી પણ એનાથી કામના ટેન્શનનો ભાર જરૂર ઓછો થાય છે.




કામ પ્રત્યે કેવો અભિગમ રાખવો તે દરેકના સ્વભાવને અનુરૂપ હોય છે. ઘણાં લોકો મુસીબતની સ્થિતિમાં પણ પોતાની રમૂજી વૃત્તિ જાળવી શકે છે. આવા લોકો પોતાની સમસ્યાઓનો સામનો પણ હસતાં રમતાં કરી શકે છે. પુસ્તક ‘ફન વકર્સ’માં લેખક લેઝલી યરકીસ દરેક વાચકને જીવન તથા વ્યવસાયને સરળતાથી લેવાનો સંદેશ આપે છે.




એથવા એમની પાસે સમય નથી. લેખક એન્ડિનેવિયાની એક કહેવત ટાંકે છે- જીવનમાં કોઇ પણ ઉંમરે ફરી બાળક બની શકાય છે. જે બાળકની સહજતા અને કુતૂહલને આપણા જીવનમાં ફરી લાવી શકાય તો ઘણું ટેન્શન ઓછું કરી શકાય.




કામ કરતાં મજૂરો ગીત ગાતા રહે છે. કાળી મજૂરી સામે આ એમનું રિલેકસેશન છે. સ્નો વ્હાઇટની પરિકથામાં સાત વહેંતિયાઓ હંમેશ કામ કરતા હોય છે પણ સાથે સાથે સિટી વગાડતા જાય છે. એમનો સિદ્ધાંત છે- વ્હીસલ વ્હાઇલ યૂ વર્ક. મન પ્રફુલ્લિત અને હળવું રાખવાથી કામ કરવાની ક્ષમતા વધે છે અને પરિણામ સારું આવે છે.




પોતાના વિચારો કે પ્રવૃત્તિમાં જડતા નહીં આવવા દો. જયારે પણ હળવા થવાનો મોકો મળે ત્યારે એને ઝડપી લો. જે હસે છે એની સાથે દુનિયા પણ હસે છે. ઓફિસમાં પણ એવી હળવાશ લાવી દો કે પારિવારિક વાતાવરણ બની જાય. નોકરી કે વ્યવસાય જયારે કોઇ હોબી કે શોખ જેવો લાગવા માંડે ત્યારે જ ખરેખર રિલેકસ થઇ શકાય છે.




રમૂજ જો વહેંચી શકાય તો એ ટોનિક બની જાય છે. આવા સરળ અને હળવા વાતાવરણમાં દરેકની કાર્યક્ષમતા પણ વધે છે. સારા માણસોની ટીમ બનાવી એમના પર વિશ્વાસ મૂકતાં શીખો. એમના માર્ગમાં અવરોધો ઊભા નહીં કરો તો એ લોકો સારામાં સારું પરિણામ આપશે.




થોડા સમય માટે રજા લઇ કયાંક ચાલ્યા જાઓ. કયારેક કામની ગતિને ધીમી કરી દો અને જીવનનો આનંદ માણતા શીખો. વ્યસ્ત અને કાર્યરત હોવા છતાંય રમૂજ કે આનંદનું વાતાવરણ ઊભું કરી શકશો તો ટેન્શનની અસરથી બચી શકશો, રમૂજ એક પ્રકારની થેરપી બની જશે.

Thursday, December 25, 2008

નાતાલનો સંદેશ માણસ પરનો ઇશ્વરનો પ્રેમ

ishuદુનિયાભરમાં જાણીતું થયેલું ચલચિત્ર છે ‘ધ ગ્રેટેસ્ટ સ્ટોરી એવર ટોલ્ડ’. એ ફિલ્મમાં ઇસુનું પાત્ર ભજવનાર માકર્સ વોન સિડોએ મુખ્ય અભિનેતા તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે.

આ ફિલ્મમાં બે હજાર વર્ષ પહેલાં ઇઝરાયલના બેથલેહેમ ખાતે એક ગમાણમાં જન્મેલા ઇશ્વર પુત્ર ઇસુની કથા છે. ૧૯૬૫માં બહાર પડેલું એ રંગીન ચલચિત્ર જોતજોતામાં ખૂબ લોકપ્રિય બન્યું હતું અને ઘણા અવોર્ડોજીત્યું છે.વારંવાર જોવી ગમે એવી આ ફિલ્મની વાત ખૂબ જાણીતી છે. બાઈબલના નવા કરારમાં સંત માથ્થી જણાવે છે તેમ, ઇશ્વર પુત્ર ઇસુ બેથલેહેમમાં જન્મ્યા છે, તેમ જાણીને રાજા હેરોદ અને મળતિયાઓ ભય પામ્યા અને બધા યરુશાલેમવાસીઓ ચિંતામાં પડી ગયા.

પૂર્વમાંથી આવેલા પંડિતો (માગી રાજાઓ) પાસેથી યહૂદીઓના નવા જન્મેલા રાજાની વાતથી રાજા હેરોદનો ‘રોષ એકદમ ભભૂકી ઊઠયો, અને તેણે પંડિતો પાસેથી જે સમય ખાતરીપૂર્વક જાણી લીધો હતો તેને આધારે બેથલેહેમ અને તેની આસપાસના પ્રદેશમાંનાં બે વર્ષનાં અને તેથી નાનાં બધાં છોકરાઓનો વધ કરવાનો હુકમ છોડયો’.

રોમન ઇતિહાસ દર્શાવે છે તેમ, નિર્દોષ માસૂમ બાળકોની હત્યા પછી હેરોદ યહૂદિયાના રાજા તરીકે લાંબો સમય ટકી શકયા નહીં. એમના મૃત્યુ પછી તેમનો પુત્ર આર્ખિલાઉસ રાજગાદી પર આવ્યો.

‘ધ ગ્રેટેસ્ટ સ્ટોરી એવર ટોલ્ડ’ની કથા મુજબ યહૂદિયામાં આર્ખિલાઉસ ખૂબ ક્રૂર રીતે યહૂદી લોકો પર રાજય ચલાવતો હતો. એટલે રોમન સત્તાએ રાજા આર્ખિલાઉસને નાથવાનો નિર્ણય કર્યો. રોમન બાદશાહનો એ સંદેશ લઈને એક રોમન સૂબેદાર આર્ખિલાઉસના રાજમહેલ પહોંચ્યો.

રાજા આર્ખિલાઉસ અને રોમન સૂબેદાર રાજમહેલમાં વાતો કરતા હતા ત્યારે તેમને યહૂદી મંદિરમાંથી પ્રાર્થનાના અવાજો અથડાયા. યહૂદી લોકો યરુશાલેમ મંદિરમાં ઇશ્વર પાસે એક મુકિતદાતાને મોકલવાની વિનવણી-પ્રાર્થના કરતા હતા.

ભકતોના અંતરાત્માના આર્તનાદની પ્રાર્થના સાંભળીને રોમન સૂબેદારે રાજા આર્ખિલાઉસને પૂછ્યું કે, ‘આ લોકો કયા મુકિતદાતા માટે પ્રાર્થના કરે છે?’

આર્ખિલાઉસે તરત જ સૂબેદારને કહ્યું કે, ‘કદી નહીં આવનાર એક મુકિતદાતા માટે યહૂદી લોકો વિનવણી-પ્રાર્થના કરે છે.’ સદીઓથી યહૂદી પ્રજા પોતાના મુકિતદાતાની પ્રતીક્ષા કરતી હતી. મુકિતદાતાના આગમનની તૈયારીઓ કરતા હતા, પરંતુ મુકિતદાતાની રાહ જોનાર લોકો વચ્ચે રાજા આર્ખિલાઉસની જેમ ‘મુકિતદાતા કદી નહીં આવે’ એમ માનનાર લોકો પણ હતા.

આર્ખિલાઉસે માન્યું હશે કે પોતાના પિતાએ મુકિતદાતાના જન્મની વાતથી ડરી જઈને બેથલેહેમ અને આસપાસમાં હત્યા કરેલાં બાળકો સાથે, કોઈ મુકિતદાતા જન્મ્યો હોય તો તેનો પણ વધ થઈ ગયો હશે, પરંતુ આર્ખિલાઉસ અને તેના એ સાથીદારો ખોટા પડયા.

ખ્રિસ્તી લોકો માને છે કે, દૈવી યોજનાનો સમય પાકયો ત્યારે ઇશ્વરપુત્ર ઇસુનો જન્મ થયો. સમગ્ર માનવજાત જેની આતુરતાથી પ્રતીક્ષા કરતી હતી તે મુકિતદાતા બાળ ઇસુનો જન્મ યહૂદિયાના બેથલેહેમમાં થયો. શુભસંદેશકાર યોહાનના શબ્દોમાં કહીએ તો, ‘ઇશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો’.

બાળ ઇસુનો જન્મ થયો ત્યારે એનો ઇન્કાર કરનાર રાજા આર્ખિલાઉસ જેવા લોકો વરચે સ્વર્ગ અને ધરતી જ નહીં પણ સમગ્ર બ્રહ્માંડ આનંદથી પુલકિત થયું. સંત લૂકે આપલા ઇસુના જન્મના વૃતાંત મુજબ જયારે સગર્ભા મરિયમ અને એમના પતિ દાવિદના વંશના યોસેફ બાદશાહ ઓગસ્તસે ફરમાવેલી વસ્તીગણતરીમાં પોતાનાં નામ નોધવા માટે યહૂદિયાના નાસરેથ ગામથી સ્વવતન બેથલેહેમ પહોંચ્યાં હતાં. ‘એ દરમિયાન જ તેમની પ્રસૂતિનો સમય આવી પહોંચ્યો અને તેમણે પોતાના પહેલા ખોળાના પુત્રને જન્મ આપ્યો. બાળકને વસ્ત્રમાં ઢબૂરીને ગમાણમાં સુવાડયો, કારણ કે ઉતારામાં તેમને માટે જગ્યા નહોતી’.

ઇસુનો જન્મ થતાં જ પૃથ્વી પર નાસરેથ પાસે ખુલ્લા મેદાનમાં રાતે પોતનાં ધેટાંની વારા-ફરતા ચોકી કરતા કેટલાક ભરવાડો આગળ અચાનક એક દેવદૂત પ્રગટ થયો અને દૂતે તેમને સંદશ આપ્યો કે ‘ડરશો નહીં, સાંભળો, હું તમને ભારે આનંદના શુભસમાચાર આપવા આવ્યો છું.

આખી પ્રજાને પણ એથી આનંદ આનંદ થઈ રહેશે, આજે દાવિદના નગરમાં મારો મુકિતદાતા અવતર્યો છે. એ જ ખ્રિસ્તી અને પ્રભુ છે. એની એધાણી એ કે, તમે એક બાળકને કપડામાં લપેટીમાં ગમાણમાં સુવાડેલો જોશો’.

બેથલેહેમ ખાતે ગમાણના દ્રશ્ય સાથે આકાશમાં ભરવાડોને સંદેશ આપતા દેવદૂત સાથે એક બીજા દ્રશ્યનું પણ લૂકે વર્ણન કર્યું છે. ‘પલકારામાં એ દેવદૂતની સાથે બીજા સ્વર્ગીય દૂતોનો સમૂહ ઇશ્વરની સ્તુતિ ગાતો નજરે પડયો, પરમધામમાં ઇશ્વરનો મહિમા, અને પૃથ્વી ઉપર ઇશ્વરની પ્રીતિપાત્ર માણસોમાં શાંતિ!’.

આજે ઇસુના જન્મનાં બે હજાર વર્ષ પછી ખ્રિસ્તી લોકો સમગ્ર દુનિયામાં નાતાલ ઊજવતાં દેવદૂતો જોડે ઇશ્વરની સ્તુતિ ગાય છે અને ભરવાડો સાથે કે અદનામાં અદના લોકો સાથે ભળી જઈને ઇશ્વરપુત્ર ઇસુના જન્મનું રહસ્ય મનથી સંપૂર્ણપણે ગ્રહણ કરવા મથે છે.

એટલે ખ્રિસ્તી ભકતો પોતાના ઘરે કે દેવળમાં બાંધેલા ગમાણ અને એમાં મૂકેલી બાળ ઇસુની મૂર્તિ આગળ ઘૂંટણિયે પડીને બાળ ઇસુને પ્રશ્ન પૂછી શકે છે ‘અદનામાં અદના માણસ તરીકેના તારા જન્મનું રહસ્ય શું છે?’ કે, ‘તું બેથલેહેમના ગમાણમાં જન્મ લઈને મને શો સંદેશ પાઠવે છે?’

હા, ખ્રિસ્તી લોકો માને છે કે સમગ્ર માનવજાત પર -મારા-તમારા જેવા દરેક માનવી પર ઇશ્વરપિતાનો અઢળક પ્રેમ છે અને એ અસીમ પ્રેમને પ્રગટ કરવા માટે જ ઇસુએ માનવ-અવતાર લીધો છે. ગમાણનો બાળ ઇસુ તમારા-મારા માટેના ઇશ્વરપિતાના પ્રેમની ઘોષણા કરે છે.

તો મૂળભૂત પ્રશ્ન એ છે કે, માણસમાત્ર માટેના ઇશ્વરના અગાધ પ્રેમને આપણે ઓળખીએ છીએ? અને ઓળખતા હોઈએ તો તેનો સ્વીકાર કરીએ છીએ?
Father Vargis Paul

Wednesday, December 24, 2008

जड़ी-बूटियों के लिए भी प्रसिद्ध है पन्ना

पन्ना। मध्यप्रदेश के बुंदेलखण्ड क्षेत्र का पन्ना जिला बेशकीमती रत्न हीरे के लिए ही नहीं बल्कि प्रचुर संख्या में दुर्लभ जड़ी बूटियों के लिए भी जाना जाता है।

जिले में सारंग मंदिर की पहाड़ि‍यों से लेकर कालिंजर तक वनौषधियों का अकूत भण्डार है। जिले के दक्षिण में आदिवासी बहुल कल्दा पठार पवई और शहनगर दो विकासखण्डों के सीमा को घेरता है। यहां के समृद्ध वन क्षेत्र में प्राकृतिक रूप से प्रचुर मात्रा में दुर्लभ जड़ी-बूटियां पाई जाती हैं।

Tuesday, December 16, 2008

વિચારો બદલી જીવન બદલો

આપણું જીવન આપણા વ્યવહાર, આપણી પરિસ્થિતિને લીધે જવાબદાર નથી. પરંતુ આપણા નિર્ણયોનું પરિણામ છે. તમે અત્યારે જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છો. એ માટે તમારી વિચારશ્રેણી જવાબદાર છે.

પોઝિટિવ વિચારો તમને પ્રગતિના પંથે લઇ જશે અને નકારાત્મક વિચારો તમે જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છો તેનાથી પણ ખરાબ સ્થિતિ તરફ લઇ જશે. તો સ્વભાવિક છે કે તમે પ્રગતિના પંથે જ જવા માંગશો. એ માટે એક બે દિવસ સુધી તમે તમારી અને તમારી આસપાસના લોકોની ભાષા પર ઘ્યાન આપો. તમે દિવસમાં કેટલી વખત નકારાત્મક શબ્દો ઉરચારો છો તેની નોંધ લો. કોઇ એવી પરિસ્થિતિનું અનુમાન કરો જેનો તમારે ટૂંક સમયમાં સામનો કરવો પડે તેમ હોય. તે સ્થિતિની કલ્પના કરી તમે કેવું વર્તન કરશો એ અંગે વિચારો. તમારા વ્યકિતગત જીવનમાં તમને સતાવી રહી હોય એવી સમસ્યાઓને પહેલાં સમજો. તેનું નિરાકરણ પ્રત્યક્ષ રીતે કરવાનો જ આગ્રહ રાખો.

આમ પોઝિટિવ એટિટયૂડને આપનાવી જીવનમાં પરિવર્તન લાવો. તો હવે તેનો અમલ કયારથી કરવાનું વિચારો છો?

Monday, December 15, 2008

શિયાળામાં તબિયત બનાવો

ગુજરાતી પત્રકારત્વમાં ભારતીય લશ્કરના ઇતિહાસથી માંડીને ડિફેન્સની તમામ વાતોના સૌથી વધુ જાણકાર પત્રકાર ડો. અરુણકુમાર ભટ્ટ હતા. એમને ડિફેન્સના વિષયમાં ડોકટરેટની પદવી મળી હતી પણ થોડા મહિના પહેલાં માત્ર ૪૯ વર્ષની ઉંમરે એમને હૃદયરોગનો હુમલો આવ્યો અને આણંદની હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા. ચંદ્રકાન્ત બક્ષી એમના બાથરૂમમાં હૃદયરોગનો હુમલો આવતાં મરણને શરણ થયા હતા. દેવ ગઢવી પછીના અરછા કાર્ટૂનિસ્ટ મહેન્દ્ર ત્રિવેદી ઉર્ફે નારદ હૃદયરોગથી મૃત્યુ પામ્યા. મહાન અર્થશાસ્ત્રી ડો. નરોત્તમ શાહ, મુકુન્દ આયર્નના મેનેજર કનુભાઇ ગોરડિયા, અભિનેતા આઇ.એસ. જોહર, ઉરુલીકાંચનના ગાંધી આશ્રમના મેનેજર અને મેગસાયસાય એવોર્ડના વિજેતા અને અરવિંદ મફતલાલના પરમમિત્ર મણિભાઇ દેસાઇના મૃત્યુનું કારણ એક જ હતું, હૃદયરોગ.

આ લેખ હું હૃદયરોગ ઉપર લખવા માગતો નથી. આ લેખ આપણા ગુજરાતીઓની સમૃદ્ધિ વધી છે તે સાથે એમનો આહાર પણ વધુપડતી સમૃદ્ધિવાળો થયો છે તે વિષે અને હવે શિયાળાનો લાભ લેવા શરીરને કેવી રીતે અંદરથી શુદ્ધ કરવું તે વિષેનો છે. ગરીબ માણસે સમૃદ્ધ ખોરાક ખાવો જોઇએ અને સમૃદ્ધ માણસે ‘ગરીબ’ ખોરાક ખાવો જોઇએ. અમેરિકા જેમ જેમ ધનમાં સમૃદ્ધ થયું તેમ તેમ આરોગ્યમાં ગરીબડું થઇ રહ્યું છે. હવે અમેરિકનો જાગ્રત થઇ જંકફૂડ ઓછો ખાય છે.

‘અવર ટોકિસક વલ્ર્ડ’ નામના તાજા પુસ્તકમાં ડો. ડોરિસ રેપે આંકડા આપ્યા છે તે અમેરિકાના છે, પણ આપણો અમુક ગુજરાતી વર્ગ ખાનપાનમાં અમેરિકનાઇઝડ થતો જાય છે. તેણે ચરબીવાળા, તેલવાળા તળેલા પદાર્થો, મેંદાના પદાર્થોઅને જંકફૂડથી દૂર રહેવું જોઇએ. પણ ડો. ડોરિસ રેપ કહે છે કે અમેરિકનોના ખોટા આહારવિહારને કારણે તેમ જ હિન્દુઓની જેમ તહેવારના કે અગિયારસના ઉપવાસ કે આયુર્વેદનું ભાન નહીં હોઇને દરેક ૨.૧૮ અમેરિકનમાંથી ૧ને કેન્સર થશે. ૬૨ ટકા અમેરિકનો અદોદળા (બ્ણુફૂસ્ન્ફૂ) છે. ૧.૬ કરોડને ડાયાબિટીસ છે. ૨ કરોડને ક્રોનિક કિડનીના રોગ છે. ૨.૧ કરોડ અમેરિકનોને પેટ, આંતરડાં, ગેસ અને અલ્સરના રોગ છે. ૪૯ ટકા અમેરિકનો રાત્રે ઊંઘી શકતા નથી. તાત્પર્ય કે આખું અમેરિકા અમુક અપવાદ સિવાય રોગિષ્ઠ છે.

આજે અમેરિકા નાહકનું ટેરરિસ્ટથી ડરે છે. અમેરિકનોનો ખોટો આહાર જ એમનો મોટો ઇન્ટરનલ ટેરરિસ્ટ-આંતરિક દુશ્મન છે. અમેરિકા કરતાં અમુક દૃષ્ટિએ આપણા ગુજરાતીઓ વધુ ભયમાં છે, કારણ કે અમેરિકનો તો જાગ્રત થયા છે — હેલ્થ કોન્સિયસ થયા છે. વધુ ને વધુ અમેરિકનો ડાયેટ-આહારનું ઘ્યાન રાખે છે. આપણે ભાદરવો આસો મહિનામાં વડવાઓનાં શ્રાદ્ધ તેમ જ શ્રાવણના તહેવારોમાં અને દિવાળીમાં કેટલાં દૂધ, રબડી, દૂધપાક ખાધાં છે — અરે, ઝાપટયાં છે. દિવાળીની મીઠાઇઓ ખાધી છે. હવે સ્વાદુ જીભવાળો ગુજરાતી વધુ આત્મઘાતક આહાર લઇને હૃદયરોગ કે પેટની એસિડિટીનો રોજનો ગ્રાહક બનશે. શીલા ભટ્ટને રિડિફની એકિઝકયુટિવ એડિટરશિપ મળી છે. વડા પ્રધાન સાથે દેશદેશ ફરે છે. ઘરનું ખાવાનું નસીબ નથી. ફરિયાદ કરે છે કે તેને સખત-સખત (બે વખત બોલે છે) એસિડિટી છે. દિલ્હીમાં શિયાળો શરૂ થઇ ગયો છે. મુંબઇમાં શિયાળો આવી રહ્યો છે. તેનો લાભ તો જ લઇ શકાય છે જૉ પેટની શુદ્ધિ થાય.

આયુર્વેદના રયવનપ્રાશની જાહેરખબરો હવે આવવા માંડશે તે જોઇને ઘણા ‘તાકત’ મેળવવા શિયાળામાં નાહકના રયવનપ્રાશ આરોગશે. કઠણાઇ એ છે કે હવે મુંબઇમાં ચારેય ઋતુમાં ઉનાળો જ ઉનાળો છે. કોઇ ગુજરાતી(વયસ્ક)ના પેટ રયવનપ્રાશ માટે હરગિઝ લાયક નથી. ગુજરાતીનાં પેટ વખતોવખત ઉપવાસ અને શનિવારે એકટાણાં કરવા માટે લાયક રહ્યા છે.

શરદઋતુ વિદાય લે અને હેમંત ઋતુના આગમન સાથે ઋતુ પરિવર્તનકાળમાં શરીરનું ઘ્યાન રાખીને સૌએ પ્રથમ તો એ પરિવર્તનકાળ વખતે ઉપવાસ કરવા જોઇએ. ઋતુ પરિવર્તન વખતે આજે મુંબઇમાં શરદી, તાવ, ઉધરસ, અને સાંધાના દુખાવા શરૂ થઇ ગયા છે. દમના દર્દી જેને આસો-ભાદરવામાં રાહત હતી એને હવે શિયાળામાં દમની તકલીફ વધશે. મૂળ સતારાના ડો. નટરાજ દ્રવિડ મુંબઇ આવ્યા ત્યારે મને કહ્યું કે ‘હવે હું એલોપથીની દવા આપતો નથી. હર્બલ દવાઓ એટલે કે આયુર્વેદના ઔષધીય છોડમાંથી બનેલી દવા જ આપુ છું, પરંતુ દર્દીના આહાર ઉપર ખાસ ઘ્યાન આપું છું. અડધા બીમાર લોકોએ અને દમના દર્દીએ થોડો સમય મુંબઇ છોડી દેવું જોઇએ, અગર તો જૂના ઋષિઓ જેવા ફળફૂલનો આહાર એક ટાણે લેવો જોઇએ.’

હવે મુંબઇમાં કે અમદાવાદમાં પણ પર્યાવરણ ખરાબ છે, તેમાં દિવાળીના ફટાકડા આ વખતે શેરબજારની મંદી છતાં એવા ને એવા ખૂબ ખૂબ ફૂટયા અને પર્યાવરણને વધુ બગાડયું છે. દિવાળીનું ફટાકડાનું બાહ્ય પોલ્યુશન, ઉપરાંત દિવાળીના સ્પેશિયલ તળેલાં ફરસાણો અને મીઠાઇનો ઉપભોગ તેમ જ ધંધાની હડિયાપટ્ટી થકી આંતરિક પોલ્યુશન વધેલું છે. ગુજરાતીઓ એના આહારમાં તેલ અને ગોળનો પાગલની માફક ઉપયોગ કરે છે. હવે માત્ર ગાંિઠયામાં ગોળ નાખવાનું બાકી છે. પૂરીમાં ગોળ, ચેવડામાં ગોળ, થેપલામાં ગોળ, દાળમાં ગોળ અને દરેક ફરસાણમાં ગોળ વાપરે છે. આ લેખ વાંચી થોડીક ગુજરાતણો શાક-દાળમાં ગોળ નાખવાનું બંધ કરે તોય લેખે લાગશે. શાકદાળમાં ગોળ નાખવાથી દુ:પારય બને છે. યુઝર્સ કાઉન્સિલનું મિડિયા રિસર્ચ કહે છે કે ગુજરાતીઓ ભારતમાં સૌથી વધુ તેલ આરોગે છે. ગુજરાતમાં માથાદીઠ તેલનો વપરાશ વર્ષે સરેરાશ ૨૫ કિલો છે. ઉત્તરપ્રદેશમાં માત્ર ૮ કિલો છે. ચીનાઓ શાકભાજીમાં એક ટીપુંય તેલ નાખતા નથી. આપણા ગુજરાતીનાં શાક તો તેલમાં ઝબકોળ્યાં હોય તેવાં પીરસાય છે.

‘ઇન્ટર હાર્ટ’ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ૨૦૦૮ની શરૂઆતમાં પિશ્ચમના લોકોના આહાર વિષે સંશોધન કર્યું તો માલૂમ પડયું કે વેસ્ટર્ન-ડાયેટ થકી હૃદયરોગનું જોખમ ૩૫ ટકા વધી જાય છે. જગતભરમાં નમકવાળા, તેલવાળા અને ચરબીવાળા આહારનો ઉપભોગ વધી પડયો છે. ‘ઇન્ટર હાર્ટ’ સંસ્થા કહે છે કે ૧૬૦૦૦ જેટલા હાર્ટએટેકના દર્દીને તપાસતાં માલૂમ પડયું કે એમના આહારમાં તળેલા અને મીઠાવાળા પદાર્થો વિપુલ પ્રમાણમાં હતા. જે ગુજરાતી પૂરીપકોડીભેળ, તેલવાળા પરોઠા અને ઊંધિયું ખાતા હોય એમને રયવનપ્રાશ ફાયદો કરવાને બદલે નુકસાન કરે છે.

ઇન્ટર હાર્ટ સંસ્થાએ પ્રુડન્ટ ડાયેટની ફોમ્ર્યુલા આપી છે. ડહાપણ ભરેલો ખોરાક એ જ છે જેમાં લીલાં બાફેલાં અને તેલ વગરનાં શાકભાજી હોય, પાંદડાંવાળી ભાજી હોય, કાચાં કચુંબર હોય તેમ જ ફળો હોય અને રોટલી કે રોટલાનું પ્રમાણ આહારમાં માત્ર ૨૦ ટકા હોય. ડો. જોસેફ મેરકોલાએ તો અમેરિકનો માટે ‘નો ગ્રેઇન ડાયેટ’ની ભલામણ કરી છે. એટલે કે આહારમાં અનાજ બિલકુલ ન લેવું. ઉરુલીકાંચન આશ્રમમાં વિનોબા ભાવેના નાના ભાઇ બાલકોબા ભાવે અનાજ લેતા જ નહીં. આજે ઘઉંની રોટલી મુંબઇગરાએ તો માત્ર ૧થી ૨ જ ખાવી જોઇએ. મહેમાનોને ગરમ ગરમ રોટલીઓ પીરસવાનો આગ્રહ જંગલી ગણાવો જોઇએ. જમતી વખતે જ બે રોટલી લઇને એને નિરાંતે ચાવીને કચુંબર-શાક ખાવાં જોઇએ. પીરસવાની પ્રથા બંધ થવી જોઇએ. તે બાબતમાં જૈન સાધુ બનવું જોઇએ.

શરીરસંપત્તિ સારી નહીં હોય તો શેરબજારના ઊંચા ઇન્ડેકસ કે તેમાંથી થયેલી દસગણી કમાણીનો કોઇક અર્થ નથી. પિશ્ચમના લોકો આ વાત સમજી ગયા છે. અમેરિકા-યુરોપમાં તમામ અખબારો રોજરોજ આરોગ્યની કટારો છાપવા માંડયાં છે. લંડન ટાઇમ્સમાં દર શનિવારે ૨૦ પાનાંની આરોગ્ય પૂર્તિ (સપ્લિમેન્ટ) પ્રગટ થાય છે. આપણે ત્યાં ઓછા તેલવાળો ખોરાક ખાવાનો પ્રચાર કરનારું કોઇ મંડળ છે? બ્રિટનમાં ચરબીવાળો ખોરાક ન ખાવો તેનો પ્રચાર કરનારું કોરોનરી પ્રિવેન્શન ગ્રુપ છે. લંડનમાં ‘એન્ટીસ્મોકિંગ ગ્રુપ’ છે. અમેરિકાની સરકાર અને ‘અમેરિકા હાર્ટ લંગ એન્ડ બ્લડ ઇન્સ્ટિટયુટ’ નામની સંસ્થાના પ્રચારને કારણે અમેરિકન લોકો આજકાલ ચરબી વગરનું દૂધ લેતા થયા છે અને આહારમાંથી મીઠું, બટર અને ખાંડ ઓછાં પ્રમાણમાં લેતા થયા છે.

આજે મેરેજ બ્યુરોમાં કન્યાને જોવા ગુજરાતી મુરતિયો જાય છે ત્યારે ઘણી ગુજરાતી કન્યા તો કેવી કેવી સ્વાદિષ્ટ વાનગી અને તળેલા નાસ્તા બનાવી શકે છે તેની બડાઇ મારે છે — મને કટલેટ આવડે છે, પકોડા, કચોરી આવડે છે, અરે હું ઘરે પિત્ઝા પણ બનાવી શકુ છું. ખરેખર તો હવે કન્યાને મુરતિયાએ પૂછવું જોઇએ:-

તને બિલકુલ ઓછા તેલવાળું શાક બનાવતાં આવડે છે?

પતિ કે સસરા-સાસુ બીમાર પડે એને ખાવા માટે બાજરાની ધેંશ કે ઘઉં અગર ચોખાના લોટની રાબ બનાવતાં આવડે છે?’

સ્વાદિષ્ટ મગની દાળ જેમાં બિલકુલ ગોળ કે ખાંડ ન હોય તેવા મગ કે આખા મગ બનાવતાં આવડે છે? મગને ફણગાવીને તેનું શાક બનાવતાં આવડે છે? મગને ફણગાવતાં આવડે છે?

દરેક અગિયારશે તું ઉપવાસ કરી શકે છે? જૈન ધર્મ પ્રમાણે એકાસણાં કે પર્યુષણમાં અમુક ઉપવાસ કરી શકે છે? આવા સવાલો પૂછવાનો સમય આવ્યો છે.

આયુર્શકિત નામના ઉપચાર કેન્દ્રમાંથી મોટેભાગે ડો. પંકજ નરમ પરદેશ હોય છે ત્યારે તેનો ચાર્જ સંભાળનારા વૈધને મેં પૂછ્યું કે ઋતુના પરિવર્તન વખતે શરીરશુદ્ધિ માટે અને શિયાળાના પૌષ્ટિક આહારને પચાવવા માટે શરીરને કેમ તૈયાર કરવું? ત્યારે આ પ્રમાણેનો જવાબ મળ્યો:

બની શકે તો બે ઉપવાસ કરવા. ઉપવાસમાં સૂંઠનું ઉકાળેલુ પાણી અગર તુલસીનાં પાન અને આદુનો ઉકાળો બે ચમચા મધ સાથે લેવો. (જેની પિત્તપ્રકૃતિ હોય એણે તુલસીના પાનનો ઉપયોગ વૈધને પૂછીને કરવો.)

જો અનાજ વગરનો ઉપવાસ ન થઇ શકે તો જમવામાં મગનું પાણી એકદમ મુલાયમ ભાત અને એકટાણે મેથીની ભાજી લેવી. માત્ર સંતરાં-મોસંબી જેની ઋતુ હવે આવી છે તેનો રસ ગ્લાસ ભરીને ત્રણ વખત પીને વધુ સારો ‘ઉપવાસ’ થઇ શકે છે. સંતરાં-મોસંબીનો રસ માત્ર સવારે જ પીવો.

જૂના જમાનામાં આ ઋતુમાં કરિયાતુંનો ઉકાળો પીવાતો હતો. કરિયાતુંને પલાળીને સવારે ગરમ કરીને એક સપ્તાહ સુધી પીવું.

ગાજર, બીટ, કાકડી, કોબી કે પાલકનો રસ પીવાની આ સિઝન છે. ખાસ કરીને મુંબઇમાં હવે ઘઉંના જવારાનો તૈયાર રસ મળે છે (અમદાવાદમાં પણ મળે છે), તે સવારે માત્ર ૫૦થી ૧૦૦ ગ્રામ લેવો. મગના પાણીમાં એમિનો એસિડ નામનાં પોષક દ્રવ્ય છે. હવે ૫૦ની ઉપરની ઉંમરવાળાએ તુવેરદાળ છોડીને આખા મગ કે મગની દાળનું જ સેવન કરવાનો સમય આવ્યો છે.

આરોગ્યની રત્નકણિકાઓ

૧. ‘બિઝનેસ વીક’ જેવું વ્યાપારને લગતું સાપ્તાહિક પણ આરોગ્યના લેખો છાપવા માંડયું છે. ૨૩-૭-૨૦૦૮ના અંકમાં લખ્યું છે કે સોયાબીન્સનો ઉપયોગ અમેરિકા-યુરોપ પછી ભારતમાંય અજાણતાં વઘ્યો છે. હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના રિસર્ચફેલો ડો. જયોર્જ કહે છે કે સોયાબીનનો આહાર પુરુષોના શુક્રાણુ ઘટાડે છે. ઉપરાંત તેની એસ્ટ્રોજનની એકિટવિટી વધારે છે. અર્થાત્ તેના હોર્મોન બેલેન્સમાં ફેરફાર કરે છે. ખાસ કરીને અદોદળા પુરુષે સોયાબીનનો આહાર ન ખાવો.

૨. ‘ન્યુ સાયન્ટિસ્ટ’ નામના વિજ્ઞાનના સાપ્તાહિક(૮-૩-૦૮)માં લખ્યું છે કે કેટલાક લોકો ડિપ્રેશન માટેની દવા લે છે, તેમ જ ઘણા માનસિક ઉપચાર વખતે દવા લે છે તે દવા થકી ચરબી વધે છે. એલીલીલી નામની દવા કંપનીએ કબૂલ કર્યું છે કે મિજાજને ઠેકાણે રાખવાની દવા કે મૂડ સ્ટેબિલાઇઝર માટેની દવા ઝાયપ્રેકસા થકી દર્દીનું વજન ખૂબ વધી જાય છે. ૧ વર્ષમાં ૧૦ કિલો વજન વધે છે! બકરું કાઢતાં ઊંટ પેસે છે. એલોપથની તમામ દવા આડઅસર કરે છે.

૩. છેલ્લે યુનિવર્સિટી ઓફ ન્યુ ઓર્લિયન્સના અભ્યાસ પ્રમાણે પૂર્ણચંદ્ર અગર પૂનમનો ચાંદ માનવીને અસર કરે છે! છેલ્લે ૧૯૭૮માં એક પુસ્તક ડો. આર્નોલ્ડ લિબરે પ્રગટ કરેલું તેનું નામ હતું ‘હાઉ ધ મૂન અફેકટસ યુ’ તેમાં લખે છે કે પૂનમને કારણે ગુનાઓ વધી શકે છે, માનવીની વર્તણૂક બદલી શકે છે અને... અને... શેરબજારમાં પણ મોટી થલપાથલ થાય છે. ૧૯મી સદીમાં તો ઇંગ્લેંડના વકીલો કોર્ટમાં બચાવ કરતા કે મારો અસીલ આ ગુનો કરી ચૂકયો છે તે પૂનમની ચાંદનીની અસર હતી! માનવીનું શરીર ૬૫ ટકા પાણી છે. જેમ દરિયાની ભરતીને પૂનમ અસર કરે છે તેમ માનવીના શરીરમાં પૂનમ જ ભરતી-ઓટ લાવી શકે છે. ૮૧ ટકા જેટલા માનસ-ઉપચારકો માને છે કે ચંદ્રની માનવીની વર્તણૂક ઉપર અસર થાય છે. પણ સિડની યુનિવર્સિટી તેમ જ કેનેડાની યુનિવર્સિટી ઓફ સાસ્કા ચેવાનના ડો. ઇવાન કેલી માને છે કે ચંદ્રની કોઇ ખાસ અસર નથી. હા, જૂના જમાનામાં વીજળીના દીવા નહોતા ત્યારે આવી અસર થતી!’ એનો અર્થ એમ કે વીજળીના દીવા આજુબાજુ ન હોય તેવા સ્ત્રી કે પુરુષને પૂનમની અસર થાય છે—થઇ શકે છે.
Kanti Bhatt

Friday, September 5, 2008

ઇન્ટરનેટની સોશિયલ લાઇફ પર અસર

[caption id="attachment_199" align="alignright" width="300" caption="ઇન્ટરનેટની સોશિયલ લાઇફ પર અસર"]ઇન્ટરનેટની સોશિયલ લાઇફ પર અસર[/caption]

એક બાજુ ઇન્ટરનેટ દ્વારા લોકોને ટેક્નિકલ જ્ઞાન અને વિવિધ જાણકારીઓ મળી રહે છે,

તો બીજી બાજુ

ઇન્ટરનેટ લોકોને વ્યકિતગત જીવનમાં એકલતા તરફ લઈ જઈ રહ્યું છે. આનાથી વિધાર્થીઓના પરફોર્મન્સ ઉપર ખૂબ ખરાબ અસર પડી રહી છે, અને તેઓ પરિવારના લોકોને પણ વધુ સમય આપી શકતા નથી.

- શિક્ષણ સંસ્થાએ પણ પ્રતિબંધ લગાવ્યો

આઇઆઇટી મુંબઈની હોસ્ટેલોમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે, આનાથી વિધાર્થીઓ નેટ સિર્ફંગ, ગેમિંગ અને બ્લોગિંગના એડિકટ બની જાય છે અને તેના કારણે ભણતર

માં તેની અસર દેખાય છે. નેટ પર વધારે સમય વીતાવવાથી તેઓ વધારે સમય એકલા રહે છે. આ રીતે તેઓ સમાજથી દૂર થતા જાય છે. આજે ઘણા લોકો માટે નેટ પર સિર્ફંગ અને ચેટિંગ જિંદગીનો સમય પસાર કરવાનું સાધન બની ગયું છે.

આજની ઝડપી દુનિયામાં એ વાત સાચી છે કે વરર્યુઅલ વર્લ્ડ પોતાની એક અલગ ઓળખ બનાવી ચૂકયું છે, તેને સરળતાથી અવગણી શકાય નહીં. મનોવૈજ્ઞાનિક દર્શન શાહ કહે છે કે, નેટનો ઉપયોગ કરવા માટે તેનો સમય નક્કી કરી શકાય છે, તેને એકદમ બંધ કરી શકાય નહીં. નેટ દ્વારા લોકોમાં એકલતાની લાગણી જન્મે છે. લેટેસ્ટ ટેક્નોલોજીનો ફાયદો મેળવવા માટે નેટનો ઉપયોગ કરવો જરૂરી છે પરંતુ તે જરૂરિયાત પ્રમાણે જ કરવો જોઈએ.