Thursday, April 30, 2009

કોઈ પણ સંજોગોમાં સ્થિર રહેવું જોઈએ





mind_breathજેણે ધીરજ સાધવી હોય અને ઇચ્છાશકિતને પ્રબળ રાખવી હોય, તેમને શ્વાસોશ્વાસને નિયંત્રણમાં રાખતા આવડવું જોઈએ. નિયંત્રિત શ્વાસ મનને અંકુશમાં રાખે છે.




પ્રતિકૂળતાઓ અને મુશ્કેલીઓમાં કાં તો માનવીનો માનસિક વિકાસ થઈ જાય છે અથવા તો તે નિરાશામાં ડૂબી જાય છે. તમે ઇચ્છો કે ન ઇચ્છો અંતરાયો, મુશ્કેલીઓ તો આવે જ છે.




આપણે જયારે સુખી, સુવિધા-સંપન્ન અને બેફિકર રહીએ છીએ ત્યારે આપણે કંઈક જુદા જ હોઈએ છીએ. આપણે સૌને સારા લાગીએ છીએ અને બધા આપણને સારા લાગે છે, પરંતુ જિંદગીમાં દુ:ખ, સમસ્યાઓ આવે છે ત્યારે આપણે બેચેન થઈ જઈએ છીએ અને કયારેક ક્રોધમાં પણ આવી જઈએ છીએ. ઘણા સૌમ્ય લોકો ચીડિયા થઈ જાય છે.




સંજોગો બદલાતા જ આપણે બદલાઈ જઈએ છીએ. વિચાર કરો કે આપણે કેમ બદલાઈ જઈએ છીએ? જેની પાસે સબળ વિચાર છે, તેઓ મુસીબતમાં પણ બદલાતા નથી અને નબળા વિચારોવાળા તત્કાલ પલટી મારી દે છે. પ્રતિકૂળ સંજોગોમાં પણ આપણે શાંતિ, સંતુલિત અને સ્થિર રહી શકીએ એ માટે શું કરવું જોઈએ?




અઘ્યાત્મ કહે છે કે બે કામ કરીએ- પ્રબળ ઇચ્છાશકિત ટકાવી રાખો અને ધીરજ ન ગુમાવો. આ બન્ને બાબતોને મૂળ સ્વભાવ બનાવી લો તો પછી સ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ, તમારી મૌલિકતા, મસ્તી કયારેય ખતમ નહીં થાય. જેણે ધીરજ સાધવી હોય અને ઇરછાશકિતને પ્રબળ રાખવી હોય, તેમને શ્વાસોશ્વાસને નિયંત્રણમાં રાખતા આવડવું જોઈએ.




નિયંત્રિત શ્વાસ મનને અંકુશમાં રાખે છે અને મન જો કાબૂમાં આવી જાય તો તે વ્યકિતત્વને સબળ કે નિર્બળ બનાવવામાં સફળ નથી થતું. શ્વાસના નિયંત્રણ માટે રોજ થોડા સમય માટે પ્રાણાયામ કરો. નિયમિત પ્રાણાયામ કરનારા નબળા પુરવાર નથી થતા.

Tuesday, April 28, 2009

Mahatma's Teachings

[gallery columns="2"]

गुजराती थेपले













विधि : 
सारी सामग्री को मिलाकर मुलायम
आटा गूंथ लें। अगर आवश्यकता पड़े तभी पानी का इस्तेमाल करें। आटे को
पन्द्रह बराबर भागों में बांट लें। फिर प्रत्येक भाग को पांच इंच व्यास
में बेल लें। नॉन स्टिक बर्तन में थेपला को दोनों तरफ हल्का सुनहरा होने
तक तलें। गर्मागर्म परोंसे।




सामग्री  : 
2 कप गेहूं का आटा, तीन चौथाई कप कसी लौकी, आधा कप कम वसा वाला दही, आधा टी
स्पून पिसी हल्दी, 1-आधा टी स्पून पिसी मिर्च, 1 टी स्पून तेल, नमक
स्वादानुसार।
कितने लोगों के लिए : 7

गुजराती कढी

सामग्री: 250ग्राम दही, 100 ग्राम बेसन, 5 ग्राम मैदा, 15 मि०ली० घी, 5 ग्राम जीरा, 5 ग्राम मेथी, 3 ग्राम दाल, 50 ग्राम चीनी, 3 ग्राम हींग, 3 ग्राम करीपत्ता, 3 ग्राम नमक, 5 ग्राम हरी मिर्च, 3 ग्राम अदरक.

विधि: दही मे बेसन, मैदा और 100 मि०ली० पाने डाल कर घोल बना लें. कडाही मे घी गरम करें और सारी सामग्री डाल कर तडका लगा लें. ओर फिर इस मे तैयार घोल डाल कर 10 मिनट तक पका लें गुजराती कढी तैयार है.

Thursday, April 23, 2009

‘ફન વકર્સ’ રમૂજ એક થેરપી

Bakul Baks


navi-nazare


કોઇ પણ કામને બે રીતે કરી શકાય છે. બહુ ગંભીર થઇને અથવા મન હળવું રાખીને. જે લોકો હસતા રમતાં કામ કરવાની ટેવ પાડી શકે છે તેમને કામનું બહુ ટેન્શન રહેતું નથી. મન હળવું રાખીને કામ કરવું એટલે બેદરકાર રહેવું તેવું નથી પણ એનાથી કામના ટેન્શનનો ભાર જરૂર ઓછો થાય છે.




કામ પ્રત્યે કેવો અભિગમ રાખવો તે દરેકના સ્વભાવને અનુરૂપ હોય છે. ઘણાં લોકો મુસીબતની સ્થિતિમાં પણ પોતાની રમૂજી વૃત્તિ જાળવી શકે છે. આવા લોકો પોતાની સમસ્યાઓનો સામનો પણ હસતાં રમતાં કરી શકે છે. પુસ્તક ‘ફન વકર્સ’માં લેખક લેઝલી યરકીસ દરેક વાચકને જીવન તથા વ્યવસાયને સરળતાથી લેવાનો સંદેશ આપે છે.




એથવા એમની પાસે સમય નથી. લેખક એન્ડિનેવિયાની એક કહેવત ટાંકે છે- જીવનમાં કોઇ પણ ઉંમરે ફરી બાળક બની શકાય છે. જે બાળકની સહજતા અને કુતૂહલને આપણા જીવનમાં ફરી લાવી શકાય તો ઘણું ટેન્શન ઓછું કરી શકાય.




કામ કરતાં મજૂરો ગીત ગાતા રહે છે. કાળી મજૂરી સામે આ એમનું રિલેકસેશન છે. સ્નો વ્હાઇટની પરિકથામાં સાત વહેંતિયાઓ હંમેશ કામ કરતા હોય છે પણ સાથે સાથે સિટી વગાડતા જાય છે. એમનો સિદ્ધાંત છે- વ્હીસલ વ્હાઇલ યૂ વર્ક. મન પ્રફુલ્લિત અને હળવું રાખવાથી કામ કરવાની ક્ષમતા વધે છે અને પરિણામ સારું આવે છે.




પોતાના વિચારો કે પ્રવૃત્તિમાં જડતા નહીં આવવા દો. જયારે પણ હળવા થવાનો મોકો મળે ત્યારે એને ઝડપી લો. જે હસે છે એની સાથે દુનિયા પણ હસે છે. ઓફિસમાં પણ એવી હળવાશ લાવી દો કે પારિવારિક વાતાવરણ બની જાય. નોકરી કે વ્યવસાય જયારે કોઇ હોબી કે શોખ જેવો લાગવા માંડે ત્યારે જ ખરેખર રિલેકસ થઇ શકાય છે.




રમૂજ જો વહેંચી શકાય તો એ ટોનિક બની જાય છે. આવા સરળ અને હળવા વાતાવરણમાં દરેકની કાર્યક્ષમતા પણ વધે છે. સારા માણસોની ટીમ બનાવી એમના પર વિશ્વાસ મૂકતાં શીખો. એમના માર્ગમાં અવરોધો ઊભા નહીં કરો તો એ લોકો સારામાં સારું પરિણામ આપશે.




થોડા સમય માટે રજા લઇ કયાંક ચાલ્યા જાઓ. કયારેક કામની ગતિને ધીમી કરી દો અને જીવનનો આનંદ માણતા શીખો. વ્યસ્ત અને કાર્યરત હોવા છતાંય રમૂજ કે આનંદનું વાતાવરણ ઊભું કરી શકશો તો ટેન્શનની અસરથી બચી શકશો, રમૂજ એક પ્રકારની થેરપી બની જશે.

Tuesday, April 14, 2009

"મારી પહેલી રચના" - "ફેનિલ કોઠારી"

આજે બેઠો છુ ચન્દ્ર નીચે,
ગરમી ના વાતવરણ મા મારા માથા મા પડેલ
પાણિ જોઇ ને લાગ્યુ કે જાણે કોઇ મોટા આંસુ એ રોવે છે,
ચન્દ્ર જાણે કહિ રહ્યો છે ઈર્ષા થાય છે મને તારુ જિવન દેખિ ને,
મે કહ્યુ શા માટે મારિ મજાક ઊડાવો છો,
ચન્દ્રે કહ્યુ તારિ જોડે તારા મિત્રો છે,
મે કહ્યુ મારિ જોડે મારા મિત્રો સિવાય બિજુ કાંઈ નથિ,
ચન્દ્રે કહ્યુ મારા મિત્રો તો યોજનો દૂર તારિ ધરતી પર છે,
જેને ચાંદની આપવા રાત્રે બહાર નિક્ળુ છુ તો મારા ૩ સાથિ જાણે મને કહિ રહ્યા છે,


૧. મ્રુગજળ કહે છે કે


હું છુ રણ માં રહેલુ તારી ચાંદની થી ચમકતુ પાણી,
જેને પીવા ધરતી ના લોકો પણ આવતા નથી,


૨. ગુલાબ કહે છે કે


હુ કાંટા ની વચમા રહેલ એક સુગંધિ સફેદ ગુલાબ છું

જેને તોડવા તો કોઈ પ્રેમી પણ નથી આવતો


૩. કમળ કહે છે કે


હું કદાચ રાજા છું ફુલો નો પરન્તુ

કાદવ માં પગ મુકી ને કમળ ને મળવા આવે કોણ,

"આભાર યારો કે તમે રણ માં આવી,કાંટા ને ખસેડિ ને કાદવ માં પગ મુકિ ને મને અપનાયો જેથી આજે ચાંદને પણ ઈર્ષા થઈ ગઈ"


"ફેનિલ કોઠારી"

Saturday, April 11, 2009

દૂધીનો હલવો

recipe of white gourd halwaસામગ્રી :

૫૦૦ ગ્રામ દૂધી, ૨ ચમચી ઘી, ૩૦૦ ગ્રામ ખાંડ, ૩૦૦ ગ્રામ માવો, અડધો લિટર દૂધ, ૨ ચમચી બદામની કાતરી, ૨ ચમચી પિસ્તાની કાતરી, એલચીના થોડા દાણા.

રીત :

સૌ પ્રથમ દૂધીને છોલી, છીણી નાખવી. હવે એક વાસણમાં ઘી ગરમ કરી, તેમાં થોડા દાણા એલચીના નાખી, છીણ વઘારવું. થોડીવાર હલાવી તેમાં દૂધ નાખવું.

તાપ ધીમો રાખવો. દૂધ બળે અને છીણ બફાય એટલે તેમાં ખાંડ નાખવી. ખાંડનું પાણી બળે અને લોચા જેવું થાય એટલે તેમાં એક ચમચો ઘી નાખવું. બરાબર ઘટ્ટ અને ઠરે એવું થાય એટલે ઉતારી, માવાને છીણી નાખવો.

માવો બરાબર મિકસ કરી ફરી થોડીવાર તાપ પર મૂકવું. તેમાં બદામ પિસ્તાની કાતરી નાખવી. માવો બરાબર મિકસ થઈ જાય એટલે તારી, થાળીમાં ઘી લગાડી હલવો ઠારી દેવો.

સાધારણ ઠંડો પડે એટલે ચાંદીનો વરખ લગાડવો. બીજે દિવસે બરાબર ઠરે એટલે કટકા કરવા

Taken from Divyabhaskar

Tuesday, April 7, 2009

ચાઇના મોબાઇલનો રણકાર બંધ થઈ જશે

સીબીઆઇએ કરેલી દરખાસ્ત માન્ય રાખવામાં આવી
- ગુજરાતમાં સૌથી વધારે ચાઇના મોબાઇલ સુરતમાં છે
- તા. ૧૫મી પછી ચાઇના મોબાઇલ પથ્થર બની જશે
- આઉટગોઇંગ અને ઇનકમિંગ બંને સેવા બંધ થઈ જશે

ભારતભરમાં ચાઇના મોબાઇલ આવતા અઠવાડિયાથી રણકતા બંધ થઇ જશે. સીબીઆઇએ કરેલી દરખાસ્ત ભારતના ટેલિકોમ વિભાગે માન્ય રાખીને આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. ગુજરાત સેલ્યુલર મોબાઇલ ટેલિકોમ સર્વિસીસના જનરલ મેનેજર બાંઝલે જણાવ્યું હતું કે આઇએમઇઆઇ (ઇન્ટરનેશનલ મોબાઇલ ઇકિવપમેન્ટ આઇડેન્ટિટી) નંબર ન હોય અથવા તો તમામ નંબર ઝીરો કરેલો હોય તેવા તમામ મોબાઇલ ગત માર્ચ માસથી જ બીએસએનએલે સિસ્ટમ લાગુ કરી દીધી હોવાથી બંધ કરી દેવામાં આવ્યા છે.

હવે આ સિસ્ટમ લાગુ કરવાની છેલ્લી તા. ૧૫મી એપ્રિલ છે. આથી આ તારીખથી તમામ મોબાઇલ કંપની સિસ્ટમ લાગુ કરી દેશે. ભારતભરમાં ચાઇનાના મોબાઇલનું ચલણ ખૂબ જ વઘ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં સુરત શહેરમાં ચાઇના મોબાઇલ ફોનનું આખું માર્કેટ છે. લોકોને પણ ચાઇનાના મોબાઇલનું ધેલું લાગ્યું છે.

અન્ય મોબાઇલ ફોનની સરખામણીમાં સાઉન્ડ મોટો તથા બે સીમકાર્ડ વાપરી શકાય તેવા ચાઇના મોબાઇલ ફોન છેલ્લાં પાંચ વર્ષથી સુરત અને ગુજરાતનાં વિવિધ શહેરોમાં ધૂમ મચાવી રહ્યાં છે. ભારતનાં અન્ય રાજ્યોમાં પણ ચાઇના મોબાઇલ ફોનની બોલબાલા વધી રહી છે.

પરંતુ સુરક્ષા એજન્સીઓ અને ખાસ કરીને સીબીઆઇના નિષ્ણાતોએ જોયું કે મોટા ભાગના ચાઇનાના મોબાઇલ ફોનમાં આઇએમઇઆઇ નંબર ખોટા હતા અથવા તો ૦૦૦૦૦૦ કરી દેવામાં આવે છે. જેનો લાભ લઇને આતંકવાદીઓ તેમજ અંડરવર્લ્ડના માણસો વાતચીત કરતા હોવાથી તેમને ટ્રેક કરી શકાતા નથી.

આથી તપાસનીશ એજન્સીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ગુનેગાર સુધી પહોંચવામાં તકલીફ પડે છે. આઠેક માસ પહેલાં સીબીઆઇએ આ અંગે ભારત સરકારના ગૃહ વિભાગને એક દરખાસ્ત કરી હતી કે આ ચાઇનાના મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂકવો જોઇએ. આથી ગૃહ વિભાગે આ અંગે ટેલિકોમ વિભાગના નિષ્ણાતો સાથે મસલત કરીને ચાઇનાના મોબાઇલ ફોન બંધ કરવા માટેનો નિર્ણય લીધો હતો.

જાણવા મળ્યા મુજબ આ નિર્ણય આવે તે પહેલાં કેટલીક મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓએ આ સિસ્ટમ લાગુ કરી દીધી છે. તા. ૧૫મીથી તમામ મોબાઇલ કંપની આ સિસ્ટમ લાગુ કરશે ત્યારે ૦૦૦૦૦૦ આઇએમઇઆઇ નંબર અને આઇએમઇઆઇ નંબર વિનાના તમામ મોબાઇલ ફોનના સીમકાર્ડ લોક થઇ જશે.

તેમાંથી આઉટગોઇંગ તેમજ ઇનકમિંગ ફોન બંધ થઇ જશે. ટેલિકોમ વિભાગના આ નિર્ણયથી ચાઈનિઝ મોબાઈલનું વેચાણ કરનાર વિક્રેતાઓના પેટમાં તેલ રેડાયું છે. રોજ લાખો કરોડો રૂપિયાના ચાઈનિઝ મોબાઈલનું શહેરમાં બે નંબરમાં પણ વેચાણ થતું હોવાનું અવરનવર જાણવા મળે છે.

છતાં પણ ગુનેગારો હાથમાં આવશે નહીં

ચાઇનાના મોબાઇલમાં આઇએમઇઆઇ નંબર ન હોવાથી ટેલિકોમ વિભાગે ભલે બંધ કરવાનો નિર્ણય લીધો હોય પણ જાણકારો કોઇપણ મોબાઇલ ફોનમાં અન્ય મોબાઇલ ઇન્સ્ટ્રુમેન્ટનો આઇએમઇઆઇ નંબર નાંખીને વાપરે તો મોબાઇલ ચાલુ રહેશે. કારણ કે વિભાગે માત્ર આઇએમઇઆઇ નંબર ન હોય અથવા તો તમામ ઝીરો હોય તો તેને બંધ કરી શકે છે, પરંતુ અન્ય મોબાઇલનો આઇએમઇઆઇ નંબર નાખેલો હોય તો તે શોધી શકાતું નથી. ગુનેગારો બોગસ નંબરનો ઉપયોગ કરશે તો પોલીસ પકડી શકશે નહીં.

આઇએમઇઆઇ નંબર સાચવીને રાખવો જોઇએ

આઇએમઇઆઇ નંબર એ દરેક મોબાઇલ ફોનની એક ઓળખ હોય છે. મોબાઇલ બનાવતી કંપનીઓ દ્વારા આપવામાં આવતો આ નંબર યુનિક હોય છે. તે જોવા માટે …૦૬ ટાઇપ કરવાથી ૧૫ ડિઝિટનો નંબર મોબાઇલના ડિસ્પ્લે પર દેખાય છે. આ નંબરના આધારે પોલીસ મોબાઇલ ફોનને ટ્રેક કરી શકે છે. સુરક્ષા એજન્સીઓ ગુનાઓ શોધવામાં સફળ થઇ શકે છે. આથી દરેક વ્યકિતએ પોતાનો ફોન રેઢો મૂકવો જોઇએ નહીં, આઇએમઇઆઇ નંબર સાચવીને રાખવો જોઇએ.

સુરતમાં ચાઇનાના મોબાઇલનું આખું બજાર છે

ગુજરાતમાં સુરત જ એક એવું શહેર છે જ્યાં ચાઇના મોબાઇલ ફોનનું એક આખું બજાર છે. માગો તેવા અને મનગમતી કિંમતમાં અહીં મોબાઇલ ફોન મળે છે, પરંતુ આ નિર્ણયથી આ તમામ બજારોને ભારે ફટકો પડશે અને જેમની પાસે મોબાઇલ છે તે પણ નકામાં થઇ જશે. જોકે, અન્ય મોબાઇલના આઇએમઇઆઇ નંબર હશે તો આવા ચાઇના મોબાઇલ ફોન ચાલુ રહેશે. પરંતુ તે લાંબો સમય ચાલશે નહીં. આજે નહીં તો કાલે આવા ફોન પણ સિસ્ટમમાં પકડાઇ જશે અને લોક થઇ જશે.

સિકયોરિટીના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે : બાંઝલ

બીએસએનએલના જનરલ મેનેજર (સેલ્યુલર મોબાઇલ ટેલિકોમ સર્વિસીસ) વિવેક બાંઝલે જણાવ્યું હતું કે આ નિર્ણય સિકયુરિટીના હેતુ માટે લેવામાં આવ્યો છે. દરેક મોબાઇલમાં આઇએમઇઆઇ નંબરથી યુનિક પેરામીટર હોય છે. જેના આધારે કોઇપણ મોબાઇલ ટ્રેસ કરી શકાય છે. જો આ નંબર સાથે જ ચેડાં કરવામાં આવેલા હોય અથવા તો આ નંબર જ ન હોય તો સિકયોરિટી જોખમાય છે. આથી સુરક્ષાના હેતુસર ટેલિકોમ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Taken From divyabhaskar