Tuesday, December 29, 2009

Surat 3856 LOGO

[caption id="attachment_558" align="aligncenter" width="127" caption="sruat3856, surat india"]સુરત સૉનાની મુરત & જનક ના વિચાર[/caption]

Wednesday, July 29, 2009

ગૂગલ અને ગુજરાતી

<a href='http://ads.indiainfo.com/www/delivery/ck.php?n=a7aed65a' target='_blank'><img src='http://ads.indiainfo.com/www/delivery/avw.php?zoneid=110&n=a7aed65a' border='0' alt='' /></a>

CYBER-SAFARતમને યાદ હશે કે અહીં એક વાર આપણે ઇન્ટરનેટને ગુજરાતીમાં કઈ રીતે પૂછી શકાય કે ‘કેમ છે?’ એની વિગતવાર ચર્ચા કરી હતી. યુનિકોડ આવ્યા પછી આ કામ પ્રમાણમાં ઘણું સહેલું થઈ ગયું હતું અને એટલે તો ગુજરાતીમાં બ્લોગ્સની સંખ્યા, છપાઈ છપાઈને પુસ્તકાલયોમાં ખડકાતાં પુસ્તકોને શરમાવે એ ઝડપે વધી રહી છે. હવે આ કામ ગૂગલે હજી વધુ સહેલું બનાવી દીધું છે.

થોડું પુનરાવર્તન કરીએ તો, તમારા કમ્પ્યૂટરમાં કે ઇન્ટરનેટ પર ગુજરાતીમાં ટાઈપ કરવાના મુખ્ય બે રસ્તા છે - એક તો ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રોનિકસે નિિશ્ચત કરેલા કી-બોર્ડ અને તેને સપોર્ટ કરતા સોફટવેરની મદદથી, અથવા તો ટ્રાન્સલિટરેશનની પદ્ધતિથી, એટલે કે ઇંગ્િલશમાં લખો અને ગુજરાતીમાં દેખાય એ રીતે. ડીઓઇના કીબોર્ડવાળી રીત થોડી લાંબી પ્રોસિજરવાળી છે. જોકે એ સાઇન્ટિફિક છે અને ગુજરાતીમાં ઝાઝું લખવાનું રહેતું હોય તો વધુ સારી છે, પણ છે શેરબજાર જેવી - સારું વળતર મેળવવા ધીરજ ધર્યા વિના છૂટકો નહીં. જયારે ટ્રાન્સલિટરેશનમાં કોઈ કડાકૂટ નથી. ટાઇપ કરો, કોપી કરો, જયાં જોઈએ ત્યાં પેસ્ટ કરો એટલે વાત પૂરી!

સંખ્યાબંધ વાચકમિત્રોના મેઇલ કે ઓકૂર્ટ જેવી સાઇટ પર નજર ફેરવતાં સમજાય કે ઇંગ્િલશ આલ્ફાબેટનો ઉપયોગ કરીને મનની વાત ગુજરાતીમાં વહેતી મૂકવામાં તો સૌ કોઈને હવે જબરી ફાવટ આવી ગઈ છે. યુએસ સ્થિત વિશાલ મોણપરાએ (‘કળશ’ના નિયમિત વાચકો હવે એમને સુપેરે ઓળખે છે) આ રીતે ઇંગ્િલશ લખીને ગુજરાતીમાં પરિણામ આપતું ટાઇપપેડ વિકસાવ્યું છે અને એ ઓફલાઇન પણ ઉપયોગમાં લઈ શકાય તેવું છે.

હવે ગૂગલે પણ આમાં ઝંપલાવ્યું છે. આમ તો ગૂગલે બે વર્ષ પહેલાં હિન્દી ભાષા સાથે આ સેવાની શરૂઆત કરી હતી અને પછી તેમાં ભાષા ઉમેરાતી ગઈ. લાંબી રાહ જોવડાવ્યા બાદ, ગયા મહિને આપણી ગુજરાતીનો પણ તેમાં વારો આવી ગયો છે. હવે તમારે ગુજરાતીમાં લખવા માટે આટલું જ કરવાનું છે: http://www.google.com/transliterate/indic/Gujarati પર જઈને, ગુજરાતીની લિંક પર કિલક કરી, આપેલા બોકસમાં બેધડક ઇંગ્લિશમાં ગુજરાતી ટાઇપ કરવા માંડો.

તમે શબ્દ લખવાની શરૂઆત કરશો ત્યારે એ ઇંગ્લિશમાં જ દેખાશે, પણ શબ્દ પૂરો કરીને સ્પેસબાર દબાવશો એટલે એ જ શબ્દ ગુજરાતી લિપિમાં ફેરવાઈ જશે. એટલું યાદ રાખજો કે અહીં માત્ર લિપિ ફેરવાય છે, અર્થ નહીં (ટ્રાન્સલિટરેશન પછી ગુજરાતીમાં ટ્રાન્સલેશન - અનુવાદની સુવિધા પણ આવી રહી છે). તમે લખેલો શબ્દ યોગ્ય રીતે ગુજરાતીમાં ફેરવાયો ન હોય એવું બની શકે છે (‘ણ’ અને ‘ન’ પ્રકારના ભેદ શરૂઆતમાં તકલીફ આપશે).

તો એ જ શબ્દ પર માઉસના લેફટ બટનથી કિલક કરો. તરત નીચે, એ પ્રકારના બીજા શબ્દોની યાદી દેખાશે. એમાં યોગ્ય શબ્દ પસંદ કરો અથવા એડિટનો વિકલ્પ પસંદ કરો એટલે સંભવિત વિકલ્પ અને સ્વર-વ્યંજન સહિત આખો કક્કો ધરાવતું બોકસ ખૂલશે, તેમાંથી ચાહો તે રીતે શબ્દ સુધારી લો. ગૂગલની મજા એ છે કે એક વાર તમે શબ્દ સુધારી લેશો, પછી એ બીજી વાર ભૂલ નહીં કરે (માણસ કરતાં સ્માર્ટ છે!). જોકે વિકિપિડીયા મુજબ, ભારતમાં ૧,૬૫૨ ભાષા છે, ગૂગલે ઘણા વધુ સ્માર્ટ થવું પડશે!

Teken From Divyabhasker

Tuesday, July 28, 2009

ઉપયોગી કિચન ટિપ્સ

>>બદામની છાલ સરળતાથી કાઢવા માટે તેને થોડીવાર સુધી ગરમ પાણીમાં પલાળી રાખો.
>>ખાંડના ડબ્બામાં કીડીઓ ન ચડે એટલા માટે ૩-૪ લવિંગ મૂકી રાખો.
>>દાઝ્યા પર કેળું છુંદીને લગાવો. કેળાથી ઠંડક મળે છે અને બળતરા ઓછી થાય છે.
>>રાંઘતી વખતે શાક કે કઢી બળીને ચોંટી જાય ત્યારે એ ચોંટેલું વાસણ સાફ કરવામાં મુશ્કેલી પડે છે. તેને સરળતાથી સાફ કરવા માટે ડુંગળી છીણીને ચોંટી ગયેલી વસ્તુ પર મૂકો. પછી તેના પર ગરમ પાણી રેડો. ૫ મિનિટમાં વાસણ સાફ થઈ જશે.
>>શાકભાજી સમારતી વખતે લાકડાના પાટિયાનો ઉપયોગ કરો. ઘણી મહિલાઓ પ્લાસ્ટિકના પાટિયાનો ઉપયોગ કરે છે. આમ કરવામાં ઘણી વાર પ્લાસ્ટિકના સુક્ષ્મ કણો સમારેલા શાકભાજીમાં જતા રહે છે. જયારે લાકડાંના પાટિયામાં આવું થવાની શકયતા રહેતી નથી.
>>લસણ ફોલતાં પહેલાં લસણની કળીઓને નવશેકા પાણીમાં પલાળી રાખવાથી તેના ફોતરાં સહેલાઈથી નીકળશે.
>>લીલા કે લાલ મરચાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે પહેલાં તેના ડીંટિયા કાઢી નાખો.
>>દૂધ ગરમ કરતી વખતે તે ઉભરાય નહીં, તે માટે તપેલીની કિનારી પર સહેજ ઘી લગાવો.


Teken From Divyabhasker

Monday, July 27, 2009

ગૂગલ ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ: માઈક્રોસોફટ માટે નવો માથાનો દુખાવો?



google-chromeસર્ચ જાયન્ટ ગૂગલ હવે ઓપરેટિંગ સ્સિટમ લોન્ચ કરવા જઈ રહ્યું છે! દુનિયાભરના ડેસ્કટોપ, લેપટોપ, પામ ટોપ કે બીજા કોઇ પણ કમ્પ્યૂટર પર માઈક્રોસોફટની ઓપરેટિંગ સિસ્ટમ ‘વિન્ડોઝ’ રીતસરનું રાજ કરે છે.

બીજી બાજુ ઇન્ટરનેટ જગતમાં ગૂગલનું સામ્રાજય અજાણ્યું નથી. અત્યાર સુધી બન્ને બળિયાઓના ક્ષેત્રો નોખાં હતા. હવે બન્નેની ટક્કર ઓપરેટિંગ સિસ્ટમ મુદ્દે થવા જઈ રહી છે. ગયા વર્ષે ગૂગલે સર્ચ એન્જિન ‘ક્રોમ’ લોન્ચ કર્યું હતું. હવે ‘ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ’ આવી રહી છે. ગૂગલના કહેવા પ્રમાણે સસ્તાં લેપટોપ માટે તેઓ આ ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી રહ્યાં છે. તેનો ઉપયોગ ડેસ્કટોપમાં પણ થઈ શકશે.

ગૂગલનું કહેવું છે કે અત્યાર સુધીની ઓપરેટિંગ સિસ્ટમ્સ ઇન્ટરનેટ યુગ પહેલાંની હતી એટલે જૂનવાણી હતી.નિષ્ણાતોના મતે ગૂગલની આ નિ:શુલ્ક ઓપરેટિંગ સિસ્ટમ માઇક્રોસોફટને ભારે પડી શકે છે! થોડા સમય પહેલાં માઈક્રોસોફટે ‘બિંગ’ નામે સર્ચ એન્જિન લોન્ચ કર્યું છે.

આ પહેલા માઇક્રોસોફટ ‘વિન્ડોઝ લાઇવ’ નામે સર્ચ એન્જિન લાવ્યું હતું. નેટ વલ્ર્ડમાં બંનો ખાસ કંઈ ગજ વાગ્યો નથી તે અલગ વાત છે. ચાલુ વર્ષે માઇક્રોસોફટ ‘વિન્ડોઝ’ને આધુનિક શસ્ત્ર-સજજા સાથે લોન્ચ કરવાની જાહેરાત કરી ચૂકી છે. જોકે ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ ૨૦૧૦ના મઘ્યમાં આવવાની છે. ત્યાં સુધી માઈક્રોસોફટ પાસે આ ‘સાઈબર વોર’ માટે તૈયારી કરવાનો સમય છે!

રાખડી સાંજે ૫.૧૫ પછી જ બંધાશે

rakhadiભદ્રા યોગના કારણે શુભ કાર્યોકરવા પર નિષેધ

આ વર્ષે ભદ્રા યોગને કારણે ૫ ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર સાંજે ૫.૧૫ સુધી ઊજવી શકાશે નહી. બ્રાહ્મણો પણ આ યોગમાં જનોઈ બદલી નહીં શકે. કારણ કે આ સમયે શુભ કાર્યોકરી શકાતાં નથી. આ દિવસે સાંજે ૫.૧૫ કલાકથી ભદ્રા યોગના અંતિમ ચરણ શરૂ થયા પછી જ આ કાર્યોકરી શકાશે.

આ ઉપરાંત બે પૂનમ અને બીજા દિવસે ગુરુવારે ચંદ્રગ્રહણ છે, પરંતુ આ માંધ(છાયા) ગ્રહણ હોવાથી તેને પાળવાનું નથી. ગયા વર્ષે પણ ભદ્રાના કારણે રક્ષાબંધનનો સમય બપોર પછીનો રહ્યો હતો.

ભદ્રા યોગ : મંગળવારના દિવસે વિષ્ટિ કરણથી ભદ્રા યોગ રચાતો હોય છે. આ યોગમાં શુભ કાર્યોકરી શકાતા નથી.

ગ્રંથો અનુસાર શુભ કાર્ય નહીં થઇ શકે

પંડિત દેવવ્રત કશ્યપે કહ્યું હતું કે ધર્મસિંધુ અને નિર્ણયસાગર ગ્રંથમાં દર્શાવ્યા મજબ પ ઓગસ્ટના રોજ સવારે ૪ કલાકે શ્રવણ નક્ષત્રમાં વિષ્ટિ કરણને કારણે રચાતા ભદ્રા યોગમાં કોઈ પણ શુભ કાર્ય કરી શકાતા નથી. જેને લીધે બહેનો ભાઈને સાંજે ૫.૧૫ સુધી રાખડી બાંધી શકશે નહીં, ત્યારબાદ બાંધી શકાશે. આ ઉપરાંત સવારે ૪ કલાકે ઉદય તિથિ પૂનમ બેસતા જ ભદ્રા યોગ રચાય છે. આથી બપોર સુધી રાખડી પણ નહીં બંધાય અને જનોઈ પણ બદલી ન શકાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મકર રાશિમાં રહેતી કલ્યાણી નામની ભદ્રા લક્ષ્મી આપનારી હોવાથી સાધના માટે ઉત્તમ મનાય છે.

યજુર્વેદી સિવાયના બ્રાહ્મણો ગુરુવારે જનોઇ બદલી શકે

જયોતિષી નયનભાઈએ જણાવ્યું હતું કે જનોઈ બદલવા માટે ભદ્રા યોગ નડતરરૂપ નથી પરંતુ આ સમયે શુભકાર્ય કરી શકાતાં ન હોવાથી જનોઈ બદલાતી નથી. બીજું કે ૫ ઓગસ્ટના રોજ બુધવારે વ્રતની પૂનમને દિવસે સાંજે ૫.૧૫ પછી અને ગુરુવારે પણ પૂનમ હોવાથી તે દિવસે બપોરે ૧.૪૧ સુધી જનોઈ બદલી શકાય છે. આ ઉપરાંત બુધવારી પૂનમે યજુર્વેદી બ્રાહ્મણો માટેજનોઈ બદલવાનું મહત્ત્વ છે, બાકીના બ્રાહ્મણો ગુરુવારે જનોઈ બદલે તો પણ ચાલે.

ચંદ્રગ્રહણનું કોઇ અસર નથી

જયોતિષી કર્દમ દવેએ જણાવ્યું હતું કે બુધવારે ભદ્રા યોગ સાંજે ૫.૧૫ પછી પૂરછના ભાગે આવે છે. આ સમય પછી જ કોઈપણ શુભ કાર્ય કરી શકાય. જયારે ૬ઓગસ્ટના રોજ ગુરુવારે થનાર ચંદ્રગ્રહણ માંધ(છાયા) ગ્રહણ છે એટલે પાળવાનું હોતું નથી. બુધવારે સાંજે ૫થી ગુરુવારે બપોર સુધી રાખડી બાંધી શકાશે અને જનોઈ સૂર્યદેવની ઉપસ્થિતિમાં બદલવાની હોય છે. ગયા વર્ષે પણ ચૌદશની રાત્રિએ પૂનમ શરૂ થતી હતી અને વિષ્ટિને કારણે રક્ષાબંધન ઉજવાઈ ન હતી.

Teken From Divyabhaskar.co.in

Friday, June 5, 2009

નોકરી કે એડમિશન માટે શરત એક, વ્યસન છોડો LET OTHERS

Bhaskar News, Rajkot

Tuesday, May 26, 2009 01:34 [IST]




bankરાજકોટની પીપલ્સ બેંક અને શિક્ષણ સંસ્થાનું અનોખું અભિયાન

કોઈ બેંકમાંથી લોન જોઈતી હોય, સ્કૂલમાં એડમિશન લેવાનું હોય કે નોકરી કરવાની વર્તમાન માહોલમાં એવું ચોક્કસ કહી શકાય કે, ખિસ્સાં ભરેલા હોય તો બધું સરળ છે. પરંતુ રાજકોટની એક સંસ્થાએ નવો અભિગમ અપનાવ્યો છે અને તે એ છે કે નોકરી, એડમિશન કે ટ્રસ્ટીપદ જેવી બાબતો જોઈતી હોય અને ટકાવવી હોય તો મોઢા ખાલી હોવા જોઈએ એટલે એ વ્યકિતને કોઈ પ્રકારનું વ્યસન હોવું ન જોઈએ.

વ્યસન મુકિત માટે સૂત્રો અને પ્રવચનો તો અનેક પ્રકારના પરંતુ તેનો અમલ રાજકોટ પિપલ્સ કો.ઓપ. બેંક અને સરદાર પટેલ વિધા સંકુલ વિશેષ રીતે કરે છે. આ સંસ્થાઓના સંચાલક શામજીભાઈ ખૂંટને પણ જો કે, વ્યસન છે. વ્યસન મુકિત સામે લડત આપવાનું વ્યસન છે. શામજીભાઈને એક નશો છે. તમાકુ અને અન્ય કોઈપણ પ્રકારના વ્યસન સામે ઝઝૂમવાનો !

શામજીભાઈ કહે છે, અમારી બેંકને દસ વર્ષ થયા છે કેટલીક અઘરી શરતો અમે પાડીએ અને પડાવીએ છીએ. બેંકમાં ભરતી માટેની લાયકાત ગ્રેજયુએશન વીથ ફસ્ર્ટ કલાસ છે. તે ઉપરાંત અમે ચૂસ્તપણે એવો આગ્રહ રાખીએ છીએ કે અમારે ત્યાં કામ કરતો કર્મચારી વ્યસન વગરનો હોય બેંકમાં કે અંગત જીવનમાં તેને તમાકુ, બીડી, સિગારેટ, ગુટખા દારૂ જેવી કોઈ ચીજનું બંધાણ હોવું ન જોઈએ.

આ શરત બેંકના ડિરેકર્ટસને પણ લાગુ પડે છે. અમે ૧૧ ડિરેકર્ટસ છીએ અને કોઈને વ્યસન નથી. જે વ્યકિત કે પાર્ટી લોન લે તે તો ઠીક પરંતુ અમારા ડિપોઝિર્ટસ માટે પણ એટલું ફરજિયાત છે કે, તે લોકો બેંકમાં આવે ત્યારે તો તેના મોઢામાં પાન-ફાકી કે તમાકુ ન જ હોવા જોઈએ. અને તેનું પાલન પણ થાય છે.

બેંક ઉપરાંત ૧પ૦ ફૂટ રિંગ રોડ પર આવેલું સરદાર પટેલ વિધાસંકુલ લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટીઓ ચલાવે છે ત્યાં આજ શરત છે. બાળકને સ્કૂલ અને હોસ્ટેલમાં મેરિટ પર એડમિશન મળે છે. પિતાની આર્થિક સ્થિતિ નબળી હોય તો તેની ફી ટ્રસ્ટી ભરે છે પરંતુ શરત એ છે કે, તેના પિતા કે વાલીને કોઈ વ્યસન ન હોય. તેમાં જામીન રાખીએ છીએ. એટલે કોઈ વાલીને વ્યસન હોવાનું પછીથી જાણમાં આવે તો એ જામીન પાસેથી ફી લેવાય છે. વ્યસન મુકિત માટે આવા પ્રોત્સાહનો અમે આપીએ છીએ.

વ્યસન ન હોય તેને ફીમાં રાહત !

સરદાર પટેલ વિધાસંકુલના ટ્રસ્ટી મંડળ દ્વારા એવી વિચારણા થઈ રહી છે કે, કોઈ વિધાર્થી એડમિશન લે ત્યારે જો તેમના વાલીને વ્યસન ન હોય તો તેને ફીમાં થોડી રાહત આપવી આ અંગે અંતિમ નિર્ણય થયો નથી.

વ્યસન ન છૂટયું, તો ટ્રસ્ટી પદ છોડવું પડયું

સરદાર પટેલ વિધાસંકુલના ટ્રસ્ટીઓ માટે પણ શરત છે કે, તેમને વ્યસન ન હોવું જોઈએ. એક ટ્રસ્ટી પ્રયત્ન કરવા છતાં વ્યસન છોડી ન શકયા તો તેમણે અંતે ટ્રસ્ટીપદેથી રાજીનામું આપ્યું હતું. ઉપરાંત બેંકની બહાર ફાકી ખાઈ રહેલા ત્રણ કર્મચારીઓને પણ છૂટા કરી દેવાયા હતા. તેમ શામજીભાઈ કહે છે

Monday, May 25, 2009

ઠંડાપીણાંથી ‘કેન્સર’નો ખતરો

Ketan Dave, Ahmedabad

આગ ઝરતી ગરમીમાં કુલ થવાનો ફન્ડા ઠંડાપીણાં પીવાનો જ છે. કમનસીબે કયા ઠંડાપીણાં પીવાથી બળબળતી ગરમીમાં શરીરને ટાઢક મળે તેની ભેદરેખા ભૂંસાઈ જવા પામી છે. એક સમયે વરિયાળીનું શરબત, લસ્સી, છાશ, લીંબુ પાણી વગેરેનો મહિમા હતો.

વિવિધ ફ્રૂટ જયૂસ અને ફ્રૂટ ડીશ હજુ પણ એક વર્ગમાં ફેવરિટ છે. પણ ખાસ કરીને યુવાવર્ગ દેખાદેખીમાં અને અંજાઈને કેટલાક એવા ઠંડાપીણાં પીવે છે જે વાસ્તવમાં ગરમી સામે રક્ષણ આપી શકતા નથી. ઊલટાનું લાંબાગાળે શરીરને હાનિ પહોંચાડી શકે છે.

છેલ્લા કેટલાક સમયથી દરેક બાબતોમાં પિશ્ચમનું આંધળું અનુકરણ કરતા દેશના યુવાનોને ઠંડાપીણાંનું વળગણ એટલી હદે વળગી ગયું છે કે હવે આ પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. નિયમિત ઠંડાપીણાંના સેવનથી કેન્સર જેવી બીમારીઓ પણ થવાની શકયતા હોવાનું શહેરના તબીબો જણાવી રહ્યા છે, માત્ર દેખાદેખી ખાતર જ પીવાતા આ ઠંડાપીણાંથી શારીરિકની સાથે સાથે ઘણી માનસિક આડઅસરો પણ થઇ શકતી હોવાથી તબીબો શહેરના યુવાધનને હવે ઠંડાપીણાંથી દૂર રહેવા જણાવી રહ્યા છે.

ફિઝિશિયન ડો. અશ્વિન ગઢવીએ જણાવ્યું હતું. કે ઠંડાપીણાં પીવાથી શરીરને કોઇ જ વિટામિન, કેલ્શિયમ કે પ્રોટીન મળતાં નથી, પરંતુ તેમાં રહેલા સ્યુગર તથા કેફીન જેવાં તત્ત્વોને કારણે શરીરને અતિશય નુકસાન થાય છે. જો નિયમિત રીતે ઠંડાપીણાં પીવામાં આવે તો તેમાં રહેલા આ જોખમી તત્ત્વોને લીધે શરીરમાંથી કેલ્શિયમ વિટામિન તથા પ્રોટીન ઘટે છે. એટલું જ નહીં ઠંડાપીણાંના અતિશય સેવનને લીધે પેશાબની કોથળીનું કેન્સર થવાની પણ શકયતા હોવાનું ડો.અશ્વિન ગઢવીએ જણાવ્યું હતું.

જયારે શહેરના અગ્રણી ડોકટરના જણાવ્યા અનુસાર ઠંડાપીણાંની કંપીઓનું હાલમાં ટાર્ગેટ માત્ર યુવા વર્ગ જ છે. અને યુવા વર્ગને પણ હવે સ્ટેટસ સિમ્બોલ તરીકે માત્ર ફાસ્ટ ફૂડ તથા ઠંડાપીણાં જ દેખાતાં હોય શહેરના યુવાનો વધારે પ્રમાણમાં ઠંડાપીણાંનું સેવન કરી રહ્યા છે. જેને કારણે તેમાં રહેલાં તત્ત્વોથી ઘણી વખત પેટમાં ચાંદા પડવા, આંતરડા તથા પાચનતંત્ર નબળું પડી જવું. તથા તેમાં રહેલા કેટલાક પદાર્થોને લીધે ઠંડાપીણાંનું એક પ્રકારનું વ્યસન થઇ જાય છે જે પણ ખૂબ જ જોખમી છે.

આ ઉપરાંત ઠંડાપીણાંથી માણસોનો સ્વભાવ ચીડિયો થઇ જાય છે માટે હવે બને ત્યાં સુધી યુવાનોએ ઠંડાપીણાંથી દૂર રહેવું જોઇએ મનોચિકિત્સક હેમાંગ દેસાઇના મતે આ પીણાંના સેવનથી તેમાં રહેલા કેફીન જેવાં તત્ત્વોને લીધે મગજની ઉત્તેજના વધી જાય છે. જેનાથી જે તે વ્યકિતની માનસિકતા સ્થીર રહેતી નથી અને સ્વભાવ પણ ચીડિયો થઇ જવાની શકયતા રહે છે. તેવા વિદેશોમાં સંશોધનો થયાં હોવાનું ડો. દેસાઇએ જણાવ્યું હતું.

તો બીજી તરફ ઓનેસ્ટ રેસ્ટોરંટના સંચાલક વિજય ગુપ્તાએ જણાવ્યું હતું કે કયારેય કોઇને ઠંડાપીણાં પીવાની ઇરછા થતી નથી, પરંતુ યુવાવર્ગ ફિલ્મસ્ટાર્સ, ખેલાડીઓ તથા અન્ય સેલિબ્રિટીને જે તે ઠંડાપીણાંની જાહેરાતમાં ઠંડાપીણાં પીતા જોઇ તેમનું અનુકરણ કરવા દેખા દેખીમાં તેઓ ઠંડાપીણાં પીતા હોય છે. જેનાથી શરીરને કોઇ ફાયદો થતો નથી, માત્ર નુકસાન જ થાય છે.

ઘણી વખત આ ઠંડાપીણાંની બોટલોમાંથી ગુટખા કે અન્ય કચરા ઉપરાંત મરેલા જીવજંતુઓ પણ મળી આવ્યાં હોવાના બનાવો પ્રકાશમાં આવવા છતાં યુવાવર્ગ ઠંડાપીણાંના વળગણમાંથી મુકત થતો નથી તે ચિંતાનો વિષય હોવાનું કન્ઝ્યુમર એજયુકેશન રિસર્ચ સેન્ટરના સંચાલક પ્રીતિબહેન શાહે જણાવ્યું હતું.

પ્રીતિબહેને જણાવ્યું હતું કે દુનિયાભરમાં આ ઠંડાપીણાંમાં રહેલાં અમુક તત્ત્વોથી શરીરને ખૂબ જ નુકસાન થતું હોવાના સંશોધનો થયાં હોવાં છતાં સેલિબ્રિટી તથા પિશ્ચમી દેશોનું આંધળું અનુકરણ કરી રહેલા દેશના યુવાનો ઠંડાપીણાંનું સેવન કરી પોતાના શરીરને નુકસાન કરી રહ્યા છે.

ગુજરાતિ માં એક ટપાલ

તારીખ : આજની જ.

પ્રતિ
તમોને જ

વિષય: જિંદગી અને તમે!

ભાઈશ્રી/બહેનશ્રી,

હું, ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. 9ું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે.


[૧] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસBટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા, મારા સમયે, તમારા સમયે નહીં!

[૨] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.

[૩] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.

[૪] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.

[૫] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.
[૬] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફ20સોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.

[૭] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર ક્યારેક આવે તો એવા લોકોને Aાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.

[૮] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !

[૯] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.

અને છેલ્લે…
હું તમારE0 પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો મારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.

એ જ લિ,

ભગવાનની આશિષ.

Monday, May 11, 2009

નિ:સ્વાર્થ પ્રેમની પરિભાષા

N. Raghuraman





girl-bald.jpgવંદના દહીં-ભાત ખાવાની ના પાડી રહી હતી. પિતાએ તેને સમજાવવાની કોશિશ કરી, બેટા, દહીં-ભાત ખાઈ લે. તારા પપ્પા માટે એટલું પણ નહિ કરે? આ સાંભળીને તેણે કહ્યું, પપ્પા, હું બધા દહીં-ભાત ખાઈ લઉ તો તમે હું જે માગું તે આપશો? પપ્પા બોલ્યા, પ્રોમિસ. તેણે પરાણે પરાણે દહીં-ભાત ખાઈ લીધાં. તેણે હાથ ધોઈને કહ્યું, પપ્પા, હું આ રવિવારે માથે મુંડન કરાવવા માગું છું. આ સાંભળતાં જ તેની મમ્મી બરાડી ઊઠી, શું બકે છે! છોકરી થઈને માથું મુંડાવવા માગે છે? હું એવું નહીં થવા દઉ. વંદુ આજકાલ બહુ ટીવી જોવા લાગી છે.

આ ટીવીએ તો આપણી સંસ્કૃતિને બરબાદ કરી નાખી છે. પપ્પાએ પણ ઢીલા સ્વરે કહ્યું, બેટી, તું બીજું કંઈ કેમ નથી માગી લેતી? તારું વાળ વિનાનું માથું જોઈને અમને કેટલું દુ:ખ થશે. તું અમારી લાગણી કેમ નથી સમજતી? વંદુ બોલી, પપ્પા તમે જોયું હતું ને કે દહીં-ભાત ખાવા મારા માટે કેટલું મુશ્કેલ હતું, છતાં મેં ખાધા અને તમે પ્રોમિસ કરેલું. હવે તમે જ વચન આપીને ફરી જાવ છો? તમે જ રામની વાર્તા કહીને અમને કહેલું કે આપેલું વચન પાળવું જોઈએ. પપ્પાએ હથિયાર હેઠાં મૂકી દીધાં, કહ્યું, હું આપેલું વચન નિભાવીશ.

રવિવારે વંદુએ મુંડન કરાવ્યું. સોમવારે તેના પપ્પા તેને શાળાએ છોડવા ગયા ત્યારે તેમની બાજુમાં એક કાર આવીને અટકી. તેમાંથી ઊતરતા છોકરાએ બૂમ પાડી, વંદુ મારા માટે ઊભી રહે! એ છોકરાને માથે એકેય વાળ નહોતો. આ જોઈને વંદનાના પપ્પા સ્તબ્ધ રહી ગયા. એટલામાં કારમાંથી ઊતરતી મહિલા ભીની આંખે બોલી, ભાઈ, તમારી દીકરી વંદના બહુ મહાન છે.

મારા દીકરા હરીશને બ્લડ કેન્સર હોવાથી તેના બધા વાળ ખરી ગયા છે. બધા તેને ખિજાવતા હોવાથી તેણે સ્કૂલે આવવાનું બંધ કરી દીધેલું ત્યારે તમારી દીકરીએ તેને વચન આપેલું કે શાળામાં કોઈ તેને ચીડવે નહિ તેનો રસ્તો કાઢીશું.

ત્યારે મને કલ્પના પણ નહોતી કે તે તેના આટલા સુંદર વાળની કુરબાની આપી દેશે. આ સાંભળીને વંદનાના પપ્પાની આંખો પણ રડી પડી. તેમના હોઠ ફફડ્યા, મારી નાનકડી પરી! તે મને આજે શીખવાડયું છે કે સાચો અને નિ:સ્વાર્થ પ્રેમ શું હોય છે.





ફંડા એ છે કે પોતાની શરતો પર જ જીવનાર લોકો સૌથી વધુ ખુશ નથી, બલકે સૌથી વધુ સુખી તો એ છે જેઓ પ્રેમ ખાતર પોતાની શરતો બદલી નાખે છે.

Saturday, May 2, 2009

મન : મુક્તિ અને બંધનનું કારણ

મન મૂર્ત, અમૂર્ત તમામ પદાર્થોના સંબંધમાં ચિંતન કરવાની ક્ષમતા ધરાવે છે. મનની આ ચંચળતા મનુષ્ય માત્ર માટે એક મોટી સમસ્યા છે કારણ કે ચંચળતાને કારણે મન એકાગ્ર થઈ શકતું નથી. મનની આ ચંચળતા સફળતામાં બાધક છે કારણ કે આવી સ્થિતિમાં મનુષ્ય નિર્ણય કરી શકતો નથી. મન એકાગ્ર થઈ જાય તો સફળતાના દ્વાર આપોઆપ ખૂલી જાય છે.

જીવનમાં જે બને છે તે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે મનનું જ કારણ હોય છે. મનમાં ઉત્પન્ન થનાર સંકલ્પ - વિકલ્પ અને વિચાર- તરંગોને જો શાંત કરી દેવામાં આવે તો અંતરમન પર તમામ બાબતો સ્પષ્ટ થઈ જાય છે. જેમ તળાવમાં ઉત્પન્ન થતાં વમળો શાંત થઈ જાય છે તેમ તળાવનું તળિયું સ્પષ્ટ દેખાય છે. મન એ એક સમસ્યા છે. મનમાં ઉત્પન્ન થનારા વિચારો ચારે બાજુ વાદળો ઉત્પન્ન કરે છે. જેમાં એક ધૂંધળું વાતાવરણ બને છે અને સ્પષ્ટતા તેમાં ક્યાય ખોવાઈ જાય છે. જ્યારે ચારે બાજુ વાદળ હોતાં નથી ત્યારે આપણે સૌ સહજ અસ્તિત્વમાં હોઈએ છીએ અને બધું સ્પષ્ટ જણાઈ આવે છે.

આવી સ્થિતિમાં મનની ચંચળતા પર કેવી રીતે નિયંત્રણ અને એકાગ્રતા લાવી શકાય ? વગેરે પ્રશ્નોના ઉત્તર મેળવતાં પહેલાં જાણી લઈએ કે આખરે મન એ શું છે ? ભારતીય દર્શનમાં મનને ખૂબ જ સ્થૂળ કહ્યું છે જ્યારે જૈનદર્શનમાં તેને પુદ્ગલ (સૂક્ષ્મ- જડ તત્ત્વ)થી બનેલું છે તેમ કહેવામાં આવ્યું છે. તે સ્થૂળ હોવા છતાં મનમાં ચંચળતા કેમ ઉત્પન્ન થઈ ? જૈનદર્શન આ પ્રશ્નનો ઉત્તર ચિત્તના માધ્યમથી આપે છે. જૈનદર્શન અનુસાર મન અચેતન છે અને ચિત્ત એ ચેતનયુક્ત છે. ચિત્ત આપણી અંદરની સમગ્ર ચેતનાનું પ્રતિનિધિત્વ કરે છે. મન પણ ચિત્તનો સ્પર્શ પામી ચેતન થઈ જાય છે.

વેદાન્ત ગ્રંથોમાં અંતઃકરણ ચતુષ્ટય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનું વર્ણન છે. ચિત્ત ચેતન છે. આ પ્રથમ અનુભૂતિ છે. ચેતના બાદ બીજી અનુભૂતિ છે. અહંકાર અર્થાત્ ‘હું’ના અસ્તિત્વનું ભાન, મન ત્રીજું ચરણ છે. જેનું કાર્ય ચિંતન કરવાનું છે, સંકલ્પ - વિકલ્પ કરવાનું છે. બુદ્ધિ અંતઃકરણ ચતુષ્ટયનું ચોથું ચરણ છે. જેનું કાર્ય મનમાં ઊભા થતા વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરવી. આ રીતે પતંજલિ યોગમાં પણ ચિત્તને જ ચેતનશક્તિ કહેવામાં આવી છે. આમ સૌથી પહેલાં ચિત્તને શાંત કરવું અનિવાર્ય હોય છે. બુદ્ધ પણ કહે છે કે મન જ એક એવું માધ્યમ છે જેના થકી મનુષ્ય પ્રકાશને પ્રાપ્ત થાય છે.

મન એ મનુષ્યમાં ઈચ્છાશક્તિનું બળ છે. આ પ્રકારનો આદર્શ રાખવાથી ઈચ્છાશક્તિને ક્રિયાશીલ બનાવી શકાય છે. આ ઈચ્છાશક્તિના માધ્યમથી મનને જે દિશામાં લઈ જવું હોય ત્યાં લઈ જઈ શકાય. મન જ આપણને જીવનરૃપી કારાગારમાં કેદી બનાવે છે અને મન જ તે કેદમાંથી મુક્ત કરાવે છે. આપણું જીવન સમ્યક દૃષ્ટિવાળું હોય તો તે ખરા અર્થમાં સફળ બને છે.

ચેતન વિભિન્ન સંસ્કારોથી પ્રભાવિત છે. તેની નિર્મળ ધારા આગળ આવે છે. રાગદ્વેષ રહિત થઈ જાય છે. ચેતનાની સાથે જે મલિનતા ભળે છે તેનાથી આસક્તિ, અજ્ઞાન, રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે. આ પ્રકારે મન-સાધનામાં જૈનદર્શન બુદ્ધદર્શનથી નજીક છે પરંતુ મનની સ્વચ્છતા માટે તે ચિત્તને આધાર બનાવે છે. મર્હિષ પતંજલિ જણાવે છે કે ચિત્તવૃત્તિઓને રોકવી અને મનને અંતર્મુખી બનાવવું તે જ યોગ છે. યોગનો અર્થ થાય છે ‘સ્વ’થી યોગ.

જ્યારે મનુષ્યને સ્વના અસ્તિત્વનું ભાન થઈ જાય છે ત્યારે મન સમાપ્ત થઈ જાય છે. આ રીતે મન - સાધના માટે પતંજલિ પણ ચિત્તસાધનાના માર્ગ ને જ બતાવે છે પરંતુ પતંજલિ ચિત્તને જ સ્થૂળ સ્વરૃપમાં સ્વીકાર કરે છે.

ચિત્ત સ્વભાવથી જડ છે પરંતુ આત્માના સંપર્કમાં રહેવાથી તે પ્રકાશિત થઈ જાય છે. આ રીતે પતંજલિ દર્શનમાં ચિત્ત અને મનની વચ્ચે કોઈ વિશેષ ભેદ નથી. ચિત્તની સાધના માટે અષ્ટાંગ માર્ગ બતાવવામાં આવેલો છે. જેમાં શારીરિક અને માનસિક શુદ્ધિ ઉપરાંત ચિત્તની એકાગ્રતાનું ચરણ આવે છે. જેને ‘ધારણા’ કહેવામાં આવે છે. ધારણાનો અર્થ છે ચિત્તનું કોઈ પણ વિષય પર એકાગ્ર થવું. આ સ્થિતિમાં ચિત્તના બધા જ સંકલ્પ - વિકલ્પ સમાપ્ત થઈ જાય છે.

પતંજલિ યોગસૂત્રની જેમ જૈનદર્શન પણ મનની એકાગ્રતાને સ્વીકારે છે. તેના અનુસાર એ બે મનની ભૂમિકાઓ છે. મનના ભટકી જવા પર નિયંત્રણ લાવીને તેની સાથે સંબંધ સ્થાપવો જરૃરી બને છે. આ ધારણાની સ્થિતિ છે.

જ્યારે આપણું મન ધ્યાનમાં નથી રહેતું ત્યારે તણાવગ્રસ્ત રહે છે. તણાવના સમયે મન એક વિચારથી બીજા વિચારમાં જલદીથી ખેંચાઈ જતું હોય છે. અશાંતિથી થાકીને તે સાવ તૂટી જાય છે. ધ્યાનથી ચંચળતા દૂર થાય છે. જ્યારે આપણે એકાગ્રતા કેળવીએ છીએ ત્યારે મનમાં અનેક વિચાર ઊઠે છે અને ચંચળતાથી છુટકારો મળે છે. જો આપણે મનની ગતિને સમજીએ તો પણ શાંતિ મળે છે. આપણે વિચારોને ઓળખવા, પરંતુ તેની સામે પ્રતિક્રિયા ન આપવી. આ પણ એક ધ્યાનનો લાભ છે.

જો આપણે એકાગ્રતા કેળવવાનો પ્રયત્ન કરીએ અને મનમાં ઊઠતા વિચારોના સાક્ષી બની રહીએ તો ધીરે ધીરે ખોટા વિચાર આવતા જ બંધ થઈ જશે. આપણા માનસિક તણાવ અને દબાણ ઘટતા જશે. પ્રત્યેક વ્યક્તિ આ રીતે એકાંતમાં બેસીને થોડો સમય એકાગ્રતા કેળવવા અંતરાત્મામાં ડૂબી જાય તો તેનામાં નકારાત્મક વિચારો આવતા બંધ થશે અને એક પ્રકારે સાકારાત્મક ઊર્જા શરીરમાં ઉત્પન્ન થવા લાગશે. ધ્યાનનું એક મહત્ત્વનું પરિણામ એ પણ છે કે અંતરાત્માના ઉંડાણમાં જતા સ્કૂરિત થતી શાંત અવસ્થાનો આભાસ આપણને થવા લાગે છે.

આજનો યુગ એ ટેકનોલોજીનો યુગ છે, બીજું કે લોકો સતત પોતાની નોકરી અને વ્યવસાયમાંથી સમય કાઢી શકતા ન હોવાથી સતત માનસિક તણાવમાં જ રહેતા હોય છે. સતત ભાગદોડવાળી જિંદગીમાં ફુરસદનો સમય મેળવવો એ પણ તેમના માટે અઘરો બની ગયો છે ત્યારે તણાવમાંથી મુક્ત થવા એકાગ્રતા કેળવવી એ ખૂબ જ જરૃરી બની રહે છે.

જેઓ નિયમિત રીતે ધ્યાન કેળવતા રહે છે તેઓને અવશ્ય શાંતિ મળે છે. શાંત મન એ કોઈ પણ જાતનું કાર્ય પૂરું કરવા માટે સક્ષમ હોય છે. આમ શાંત મગજ ધરાવનારને કાર્યમાં જલદીથી સફળતા મળે છે. જ્યારે અધીરા અને ચંચળ, અસ્થિર મનવાળી વ્યક્તિઓને સફળતા મેળવવી ખૂબ જ અઘરી બની રહે છે. આમ આ ભાગદોડમાં ધ્યાન ધારણા એ શાંતિપદ વિરામ છે. ક્યારેક આપણે અમુક પરિસ્થિતિઓમાં માનસિક સમતુલા ગુમાવી દઈએ છીએ ત્યારે ચિત્તની એકાગ્રતા આપણા મનને શાંત પાડે છે.

Thursday, April 30, 2009

કોઈ પણ સંજોગોમાં સ્થિર રહેવું જોઈએ





mind_breathજેણે ધીરજ સાધવી હોય અને ઇચ્છાશકિતને પ્રબળ રાખવી હોય, તેમને શ્વાસોશ્વાસને નિયંત્રણમાં રાખતા આવડવું જોઈએ. નિયંત્રિત શ્વાસ મનને અંકુશમાં રાખે છે.




પ્રતિકૂળતાઓ અને મુશ્કેલીઓમાં કાં તો માનવીનો માનસિક વિકાસ થઈ જાય છે અથવા તો તે નિરાશામાં ડૂબી જાય છે. તમે ઇચ્છો કે ન ઇચ્છો અંતરાયો, મુશ્કેલીઓ તો આવે જ છે.




આપણે જયારે સુખી, સુવિધા-સંપન્ન અને બેફિકર રહીએ છીએ ત્યારે આપણે કંઈક જુદા જ હોઈએ છીએ. આપણે સૌને સારા લાગીએ છીએ અને બધા આપણને સારા લાગે છે, પરંતુ જિંદગીમાં દુ:ખ, સમસ્યાઓ આવે છે ત્યારે આપણે બેચેન થઈ જઈએ છીએ અને કયારેક ક્રોધમાં પણ આવી જઈએ છીએ. ઘણા સૌમ્ય લોકો ચીડિયા થઈ જાય છે.




સંજોગો બદલાતા જ આપણે બદલાઈ જઈએ છીએ. વિચાર કરો કે આપણે કેમ બદલાઈ જઈએ છીએ? જેની પાસે સબળ વિચાર છે, તેઓ મુસીબતમાં પણ બદલાતા નથી અને નબળા વિચારોવાળા તત્કાલ પલટી મારી દે છે. પ્રતિકૂળ સંજોગોમાં પણ આપણે શાંતિ, સંતુલિત અને સ્થિર રહી શકીએ એ માટે શું કરવું જોઈએ?




અઘ્યાત્મ કહે છે કે બે કામ કરીએ- પ્રબળ ઇચ્છાશકિત ટકાવી રાખો અને ધીરજ ન ગુમાવો. આ બન્ને બાબતોને મૂળ સ્વભાવ બનાવી લો તો પછી સ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ, તમારી મૌલિકતા, મસ્તી કયારેય ખતમ નહીં થાય. જેણે ધીરજ સાધવી હોય અને ઇરછાશકિતને પ્રબળ રાખવી હોય, તેમને શ્વાસોશ્વાસને નિયંત્રણમાં રાખતા આવડવું જોઈએ.




નિયંત્રિત શ્વાસ મનને અંકુશમાં રાખે છે અને મન જો કાબૂમાં આવી જાય તો તે વ્યકિતત્વને સબળ કે નિર્બળ બનાવવામાં સફળ નથી થતું. શ્વાસના નિયંત્રણ માટે રોજ થોડા સમય માટે પ્રાણાયામ કરો. નિયમિત પ્રાણાયામ કરનારા નબળા પુરવાર નથી થતા.

Tuesday, April 28, 2009

Mahatma's Teachings

[gallery columns="2"]

गुजराती थेपले













विधि : 
सारी सामग्री को मिलाकर मुलायम
आटा गूंथ लें। अगर आवश्यकता पड़े तभी पानी का इस्तेमाल करें। आटे को
पन्द्रह बराबर भागों में बांट लें। फिर प्रत्येक भाग को पांच इंच व्यास
में बेल लें। नॉन स्टिक बर्तन में थेपला को दोनों तरफ हल्का सुनहरा होने
तक तलें। गर्मागर्म परोंसे।




सामग्री  : 
2 कप गेहूं का आटा, तीन चौथाई कप कसी लौकी, आधा कप कम वसा वाला दही, आधा टी
स्पून पिसी हल्दी, 1-आधा टी स्पून पिसी मिर्च, 1 टी स्पून तेल, नमक
स्वादानुसार।
कितने लोगों के लिए : 7

गुजराती कढी

सामग्री: 250ग्राम दही, 100 ग्राम बेसन, 5 ग्राम मैदा, 15 मि०ली० घी, 5 ग्राम जीरा, 5 ग्राम मेथी, 3 ग्राम दाल, 50 ग्राम चीनी, 3 ग्राम हींग, 3 ग्राम करीपत्ता, 3 ग्राम नमक, 5 ग्राम हरी मिर्च, 3 ग्राम अदरक.

विधि: दही मे बेसन, मैदा और 100 मि०ली० पाने डाल कर घोल बना लें. कडाही मे घी गरम करें और सारी सामग्री डाल कर तडका लगा लें. ओर फिर इस मे तैयार घोल डाल कर 10 मिनट तक पका लें गुजराती कढी तैयार है.

Thursday, April 23, 2009

‘ફન વકર્સ’ રમૂજ એક થેરપી

Bakul Baks


navi-nazare


કોઇ પણ કામને બે રીતે કરી શકાય છે. બહુ ગંભીર થઇને અથવા મન હળવું રાખીને. જે લોકો હસતા રમતાં કામ કરવાની ટેવ પાડી શકે છે તેમને કામનું બહુ ટેન્શન રહેતું નથી. મન હળવું રાખીને કામ કરવું એટલે બેદરકાર રહેવું તેવું નથી પણ એનાથી કામના ટેન્શનનો ભાર જરૂર ઓછો થાય છે.




કામ પ્રત્યે કેવો અભિગમ રાખવો તે દરેકના સ્વભાવને અનુરૂપ હોય છે. ઘણાં લોકો મુસીબતની સ્થિતિમાં પણ પોતાની રમૂજી વૃત્તિ જાળવી શકે છે. આવા લોકો પોતાની સમસ્યાઓનો સામનો પણ હસતાં રમતાં કરી શકે છે. પુસ્તક ‘ફન વકર્સ’માં લેખક લેઝલી યરકીસ દરેક વાચકને જીવન તથા વ્યવસાયને સરળતાથી લેવાનો સંદેશ આપે છે.




એથવા એમની પાસે સમય નથી. લેખક એન્ડિનેવિયાની એક કહેવત ટાંકે છે- જીવનમાં કોઇ પણ ઉંમરે ફરી બાળક બની શકાય છે. જે બાળકની સહજતા અને કુતૂહલને આપણા જીવનમાં ફરી લાવી શકાય તો ઘણું ટેન્શન ઓછું કરી શકાય.




કામ કરતાં મજૂરો ગીત ગાતા રહે છે. કાળી મજૂરી સામે આ એમનું રિલેકસેશન છે. સ્નો વ્હાઇટની પરિકથામાં સાત વહેંતિયાઓ હંમેશ કામ કરતા હોય છે પણ સાથે સાથે સિટી વગાડતા જાય છે. એમનો સિદ્ધાંત છે- વ્હીસલ વ્હાઇલ યૂ વર્ક. મન પ્રફુલ્લિત અને હળવું રાખવાથી કામ કરવાની ક્ષમતા વધે છે અને પરિણામ સારું આવે છે.




પોતાના વિચારો કે પ્રવૃત્તિમાં જડતા નહીં આવવા દો. જયારે પણ હળવા થવાનો મોકો મળે ત્યારે એને ઝડપી લો. જે હસે છે એની સાથે દુનિયા પણ હસે છે. ઓફિસમાં પણ એવી હળવાશ લાવી દો કે પારિવારિક વાતાવરણ બની જાય. નોકરી કે વ્યવસાય જયારે કોઇ હોબી કે શોખ જેવો લાગવા માંડે ત્યારે જ ખરેખર રિલેકસ થઇ શકાય છે.




રમૂજ જો વહેંચી શકાય તો એ ટોનિક બની જાય છે. આવા સરળ અને હળવા વાતાવરણમાં દરેકની કાર્યક્ષમતા પણ વધે છે. સારા માણસોની ટીમ બનાવી એમના પર વિશ્વાસ મૂકતાં શીખો. એમના માર્ગમાં અવરોધો ઊભા નહીં કરો તો એ લોકો સારામાં સારું પરિણામ આપશે.




થોડા સમય માટે રજા લઇ કયાંક ચાલ્યા જાઓ. કયારેક કામની ગતિને ધીમી કરી દો અને જીવનનો આનંદ માણતા શીખો. વ્યસ્ત અને કાર્યરત હોવા છતાંય રમૂજ કે આનંદનું વાતાવરણ ઊભું કરી શકશો તો ટેન્શનની અસરથી બચી શકશો, રમૂજ એક પ્રકારની થેરપી બની જશે.

Tuesday, April 14, 2009

"મારી પહેલી રચના" - "ફેનિલ કોઠારી"

આજે બેઠો છુ ચન્દ્ર નીચે,
ગરમી ના વાતવરણ મા મારા માથા મા પડેલ
પાણિ જોઇ ને લાગ્યુ કે જાણે કોઇ મોટા આંસુ એ રોવે છે,
ચન્દ્ર જાણે કહિ રહ્યો છે ઈર્ષા થાય છે મને તારુ જિવન દેખિ ને,
મે કહ્યુ શા માટે મારિ મજાક ઊડાવો છો,
ચન્દ્રે કહ્યુ તારિ જોડે તારા મિત્રો છે,
મે કહ્યુ મારિ જોડે મારા મિત્રો સિવાય બિજુ કાંઈ નથિ,
ચન્દ્રે કહ્યુ મારા મિત્રો તો યોજનો દૂર તારિ ધરતી પર છે,
જેને ચાંદની આપવા રાત્રે બહાર નિક્ળુ છુ તો મારા ૩ સાથિ જાણે મને કહિ રહ્યા છે,


૧. મ્રુગજળ કહે છે કે


હું છુ રણ માં રહેલુ તારી ચાંદની થી ચમકતુ પાણી,
જેને પીવા ધરતી ના લોકો પણ આવતા નથી,


૨. ગુલાબ કહે છે કે


હુ કાંટા ની વચમા રહેલ એક સુગંધિ સફેદ ગુલાબ છું

જેને તોડવા તો કોઈ પ્રેમી પણ નથી આવતો


૩. કમળ કહે છે કે


હું કદાચ રાજા છું ફુલો નો પરન્તુ

કાદવ માં પગ મુકી ને કમળ ને મળવા આવે કોણ,

"આભાર યારો કે તમે રણ માં આવી,કાંટા ને ખસેડિ ને કાદવ માં પગ મુકિ ને મને અપનાયો જેથી આજે ચાંદને પણ ઈર્ષા થઈ ગઈ"


"ફેનિલ કોઠારી"

Saturday, April 11, 2009

દૂધીનો હલવો

recipe of white gourd halwaસામગ્રી :

૫૦૦ ગ્રામ દૂધી, ૨ ચમચી ઘી, ૩૦૦ ગ્રામ ખાંડ, ૩૦૦ ગ્રામ માવો, અડધો લિટર દૂધ, ૨ ચમચી બદામની કાતરી, ૨ ચમચી પિસ્તાની કાતરી, એલચીના થોડા દાણા.

રીત :

સૌ પ્રથમ દૂધીને છોલી, છીણી નાખવી. હવે એક વાસણમાં ઘી ગરમ કરી, તેમાં થોડા દાણા એલચીના નાખી, છીણ વઘારવું. થોડીવાર હલાવી તેમાં દૂધ નાખવું.

તાપ ધીમો રાખવો. દૂધ બળે અને છીણ બફાય એટલે તેમાં ખાંડ નાખવી. ખાંડનું પાણી બળે અને લોચા જેવું થાય એટલે તેમાં એક ચમચો ઘી નાખવું. બરાબર ઘટ્ટ અને ઠરે એવું થાય એટલે ઉતારી, માવાને છીણી નાખવો.

માવો બરાબર મિકસ કરી ફરી થોડીવાર તાપ પર મૂકવું. તેમાં બદામ પિસ્તાની કાતરી નાખવી. માવો બરાબર મિકસ થઈ જાય એટલે તારી, થાળીમાં ઘી લગાડી હલવો ઠારી દેવો.

સાધારણ ઠંડો પડે એટલે ચાંદીનો વરખ લગાડવો. બીજે દિવસે બરાબર ઠરે એટલે કટકા કરવા

Taken from Divyabhaskar

Tuesday, April 7, 2009

ચાઇના મોબાઇલનો રણકાર બંધ થઈ જશે

સીબીઆઇએ કરેલી દરખાસ્ત માન્ય રાખવામાં આવી
- ગુજરાતમાં સૌથી વધારે ચાઇના મોબાઇલ સુરતમાં છે
- તા. ૧૫મી પછી ચાઇના મોબાઇલ પથ્થર બની જશે
- આઉટગોઇંગ અને ઇનકમિંગ બંને સેવા બંધ થઈ જશે

ભારતભરમાં ચાઇના મોબાઇલ આવતા અઠવાડિયાથી રણકતા બંધ થઇ જશે. સીબીઆઇએ કરેલી દરખાસ્ત ભારતના ટેલિકોમ વિભાગે માન્ય રાખીને આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. ગુજરાત સેલ્યુલર મોબાઇલ ટેલિકોમ સર્વિસીસના જનરલ મેનેજર બાંઝલે જણાવ્યું હતું કે આઇએમઇઆઇ (ઇન્ટરનેશનલ મોબાઇલ ઇકિવપમેન્ટ આઇડેન્ટિટી) નંબર ન હોય અથવા તો તમામ નંબર ઝીરો કરેલો હોય તેવા તમામ મોબાઇલ ગત માર્ચ માસથી જ બીએસએનએલે સિસ્ટમ લાગુ કરી દીધી હોવાથી બંધ કરી દેવામાં આવ્યા છે.

હવે આ સિસ્ટમ લાગુ કરવાની છેલ્લી તા. ૧૫મી એપ્રિલ છે. આથી આ તારીખથી તમામ મોબાઇલ કંપની સિસ્ટમ લાગુ કરી દેશે. ભારતભરમાં ચાઇનાના મોબાઇલનું ચલણ ખૂબ જ વઘ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં સુરત શહેરમાં ચાઇના મોબાઇલ ફોનનું આખું માર્કેટ છે. લોકોને પણ ચાઇનાના મોબાઇલનું ધેલું લાગ્યું છે.

અન્ય મોબાઇલ ફોનની સરખામણીમાં સાઉન્ડ મોટો તથા બે સીમકાર્ડ વાપરી શકાય તેવા ચાઇના મોબાઇલ ફોન છેલ્લાં પાંચ વર્ષથી સુરત અને ગુજરાતનાં વિવિધ શહેરોમાં ધૂમ મચાવી રહ્યાં છે. ભારતનાં અન્ય રાજ્યોમાં પણ ચાઇના મોબાઇલ ફોનની બોલબાલા વધી રહી છે.

પરંતુ સુરક્ષા એજન્સીઓ અને ખાસ કરીને સીબીઆઇના નિષ્ણાતોએ જોયું કે મોટા ભાગના ચાઇનાના મોબાઇલ ફોનમાં આઇએમઇઆઇ નંબર ખોટા હતા અથવા તો ૦૦૦૦૦૦ કરી દેવામાં આવે છે. જેનો લાભ લઇને આતંકવાદીઓ તેમજ અંડરવર્લ્ડના માણસો વાતચીત કરતા હોવાથી તેમને ટ્રેક કરી શકાતા નથી.

આથી તપાસનીશ એજન્સીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ગુનેગાર સુધી પહોંચવામાં તકલીફ પડે છે. આઠેક માસ પહેલાં સીબીઆઇએ આ અંગે ભારત સરકારના ગૃહ વિભાગને એક દરખાસ્ત કરી હતી કે આ ચાઇનાના મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂકવો જોઇએ. આથી ગૃહ વિભાગે આ અંગે ટેલિકોમ વિભાગના નિષ્ણાતો સાથે મસલત કરીને ચાઇનાના મોબાઇલ ફોન બંધ કરવા માટેનો નિર્ણય લીધો હતો.

જાણવા મળ્યા મુજબ આ નિર્ણય આવે તે પહેલાં કેટલીક મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓએ આ સિસ્ટમ લાગુ કરી દીધી છે. તા. ૧૫મીથી તમામ મોબાઇલ કંપની આ સિસ્ટમ લાગુ કરશે ત્યારે ૦૦૦૦૦૦ આઇએમઇઆઇ નંબર અને આઇએમઇઆઇ નંબર વિનાના તમામ મોબાઇલ ફોનના સીમકાર્ડ લોક થઇ જશે.

તેમાંથી આઉટગોઇંગ તેમજ ઇનકમિંગ ફોન બંધ થઇ જશે. ટેલિકોમ વિભાગના આ નિર્ણયથી ચાઈનિઝ મોબાઈલનું વેચાણ કરનાર વિક્રેતાઓના પેટમાં તેલ રેડાયું છે. રોજ લાખો કરોડો રૂપિયાના ચાઈનિઝ મોબાઈલનું શહેરમાં બે નંબરમાં પણ વેચાણ થતું હોવાનું અવરનવર જાણવા મળે છે.

છતાં પણ ગુનેગારો હાથમાં આવશે નહીં

ચાઇનાના મોબાઇલમાં આઇએમઇઆઇ નંબર ન હોવાથી ટેલિકોમ વિભાગે ભલે બંધ કરવાનો નિર્ણય લીધો હોય પણ જાણકારો કોઇપણ મોબાઇલ ફોનમાં અન્ય મોબાઇલ ઇન્સ્ટ્રુમેન્ટનો આઇએમઇઆઇ નંબર નાંખીને વાપરે તો મોબાઇલ ચાલુ રહેશે. કારણ કે વિભાગે માત્ર આઇએમઇઆઇ નંબર ન હોય અથવા તો તમામ ઝીરો હોય તો તેને બંધ કરી શકે છે, પરંતુ અન્ય મોબાઇલનો આઇએમઇઆઇ નંબર નાખેલો હોય તો તે શોધી શકાતું નથી. ગુનેગારો બોગસ નંબરનો ઉપયોગ કરશે તો પોલીસ પકડી શકશે નહીં.

આઇએમઇઆઇ નંબર સાચવીને રાખવો જોઇએ

આઇએમઇઆઇ નંબર એ દરેક મોબાઇલ ફોનની એક ઓળખ હોય છે. મોબાઇલ બનાવતી કંપનીઓ દ્વારા આપવામાં આવતો આ નંબર યુનિક હોય છે. તે જોવા માટે …૦૬ ટાઇપ કરવાથી ૧૫ ડિઝિટનો નંબર મોબાઇલના ડિસ્પ્લે પર દેખાય છે. આ નંબરના આધારે પોલીસ મોબાઇલ ફોનને ટ્રેક કરી શકે છે. સુરક્ષા એજન્સીઓ ગુનાઓ શોધવામાં સફળ થઇ શકે છે. આથી દરેક વ્યકિતએ પોતાનો ફોન રેઢો મૂકવો જોઇએ નહીં, આઇએમઇઆઇ નંબર સાચવીને રાખવો જોઇએ.

સુરતમાં ચાઇનાના મોબાઇલનું આખું બજાર છે

ગુજરાતમાં સુરત જ એક એવું શહેર છે જ્યાં ચાઇના મોબાઇલ ફોનનું એક આખું બજાર છે. માગો તેવા અને મનગમતી કિંમતમાં અહીં મોબાઇલ ફોન મળે છે, પરંતુ આ નિર્ણયથી આ તમામ બજારોને ભારે ફટકો પડશે અને જેમની પાસે મોબાઇલ છે તે પણ નકામાં થઇ જશે. જોકે, અન્ય મોબાઇલના આઇએમઇઆઇ નંબર હશે તો આવા ચાઇના મોબાઇલ ફોન ચાલુ રહેશે. પરંતુ તે લાંબો સમય ચાલશે નહીં. આજે નહીં તો કાલે આવા ફોન પણ સિસ્ટમમાં પકડાઇ જશે અને લોક થઇ જશે.

સિકયોરિટીના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે : બાંઝલ

બીએસએનએલના જનરલ મેનેજર (સેલ્યુલર મોબાઇલ ટેલિકોમ સર્વિસીસ) વિવેક બાંઝલે જણાવ્યું હતું કે આ નિર્ણય સિકયુરિટીના હેતુ માટે લેવામાં આવ્યો છે. દરેક મોબાઇલમાં આઇએમઇઆઇ નંબરથી યુનિક પેરામીટર હોય છે. જેના આધારે કોઇપણ મોબાઇલ ટ્રેસ કરી શકાય છે. જો આ નંબર સાથે જ ચેડાં કરવામાં આવેલા હોય અથવા તો આ નંબર જ ન હોય તો સિકયોરિટી જોખમાય છે. આથી સુરક્ષાના હેતુસર ટેલિકોમ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Taken From divyabhaskar

Monday, March 16, 2009

સુરત જીલ્લો

સુરત જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ ગુજરાતનો ખુબ જ મહત્વ ધરાવતો જિલ્લો છે. આ જિલ્લામાં સુરત (શહેર), બારડોલી, કામરેજ, મહુવા, સુરત જિલ્લો, ઓલપાડ, માંડવી(સુરત જિલ્લો), પલસાણા, માંગરોળ, ઉમરપાડા અને ચોર્યાસી એમ કુલ ૧૦ તાલુકાઓ આવેલા છે. ૨૦૦૭ના વર્ષમાં આ જિલ્લાનું વિભાજન કરી તાપી જિલ્લો અલગ કરવામાં આવ્યો છે, જેમાં વ્યારા, સોનગઢ, વાલોડ, નિઝર અને ઉચ્છલ તાલુકાઓને સમાવવામાં આવ્યા હતા.

સુરત

સુરત દક્ષીણ ગુજરાતનું દરિયા કિનારે આવેલ શહેર તથા સુરત જીલ્લાનું વડું મથક છે. તેનું ભૌગોલિક સ્થાન ૨૧.૧૭° ઉ અક્ષાંશ તથા ૭૨.૮૩° પૂ રેખાંશ છે. તાપી નદીના દક્ષિણ તટ પર વસેલું છે. તાપીના મુખ પ્રદેશથી ૧૪ માઇલના અંતરે આવેલું છે. આ શહેર ખૂબ જ રમણીય છે.

ઈતિહાસ


સુરત ગુજરાતનું બીજા નંબરનું(ભારતનુ નવમું) મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. સુરતમાં વિશ્વનાં ૯૦ થી ૯૫ ટકા જેટલા હીરા ઘસીને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (ઝરી અને કિનખાબ) અને ડાઈંગનો છે.સાલ ૨૦૦૮ મા સુરત (૧૬.૫ % GDP) ભારત ના સર્વ ધિક્ GDP વિકાસ દર ધરાવતા શેહરો માનું એક હતું. સુર્યપુર નામથી આદિકાળમાં તાપી નદી કિનારે વસેલું આ શહેર મુગલ કાળમાં પહેલા પોર્ટુગાલીઓ અને પછી અંગ્રેજો માટે મુખ્ય બંદર બની રહ્યું. પાછળથી મુંબઇ શહેરના વધતા વિકાસથી સુરતનું મહત્વ ઘટી રહ્યું. નદી કિનારે બંધાયેલ અંગ્રેજોની કોઠી, જે આજે પણ સરકારી કચેરીનુ કામ આપે છે, અને ગોટાલાવાડી પાસે આવેલ પોર્ટુગાલીઓનું કબ્રસ્તાન એ જમાનાની યાદ આપે છે.

ભૌગોલીક સ્થાન


સુરત તાપી નદીના કિનારે વસેલુ એક બંદર છે. જોકે તાપી નદી ઉપર બનાવાયેલા બંધો ના કારણે હાલનુ બંદર ખુબજ નાનુ થઈ ગયુ છે. જે હજીરા પાસે આવેલ છે.સુરતની આસપાસ તાપી જીલ્લો,ભરૂચ જીલ્લો,વલસાડ જીલ્લો, નર્મદા જીલ્લો, નવસારી જીલ્લો અને ડાંગ જીલ્લા આવેલા છે જ્યારે પશ્ચિમે અરબી સમુદ્ર આવેલ છે. નક્શા મુજબ સુરત ૨૧.૧૭° ઉ. અક્ષાંશ અને ૭૨.૮૩° પૂ. રેખાંશ ઉપર આવેલ છે.

આઝાદી પછી


આઝાદી પછી પણ ત્રીસેક વર્ષ સુધી સુરત વડોદરા પછીના ત્રીજા સ્થાને આવતું. ૧૯૮૦ના દાયકામાં, પહેલા કાપડ ઉદ્યોગ અને પછી હીરા ઉદ્યોગના વીજવેગી વિકાસ ને લીધે આજે સુરત ગુજરાતનું જ નહિ પણ ભારતનું સૌથી વધુ ઝડપે વિકાસ કરી રહેલું શહેર છે. સુરતનો ટુંક સમયમાં ઘણા મોટા પાયે વિકાસ થયો પણ તેની સામે શહેરી સરકારી સેવાઓ ઘણી અવિકસિત રહી હતી. એને લીધે સુરત લગભગ આખા ભારતનું ગંદામાં ગંદુ શહેર બની રહ્યું હતું.પરંતુ એસ.આર.રાવ ના આગમન બાદ સુરતની કાયા પલટાઇ ગઇ. સુરત આજે ભારતનું બીજા નબરનું સ્વચ્છ શહેર છે

આજનું સુરત


૧૯૯૪ના ચોમાસામાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પુરને કારણે શહેરમાં બધેજ મરેલા પશુ પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનાદિના અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આમતો ૨૫ લાખની વસ્તીમાં ખાલી ૪૦ જેટલાજ લોકોને રોગની અસર થઇ પણ આખા દેશમાં એના પડઘા પડ્યા હતા. એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું. સુરતથી આવેલા માણસ તેમજ વાહનોને કોઇ પણ જગ્યાએ આવવા દેવાયા નહીં. પ્લેગને લીધે આખરે શહેર, રાજ્ય તેમજ દેશની સરકારો જાગી. ત્યારના મ્યુનિસિપલ કમિશ્નર સુર્યદેવરા રામચંદ્ર રાવની બાહોશ કામગીરીથી સુરતની ગણના આજે દેશના સૌથી ચોખ્ખા શહેરોમાં થાય છે.

બીજીવાર ૧૧ ઓગસ્ટ ૨૦૦૬એ થયેલી અત્યાધિક વર્ષા અને નદીમાં આવેલા પુરને લીધે લગભગ આખું શહેર પાણીમા ડુબેલુ હતુ. આ વખતનુ પુર સુરતના ઇતિહાસનુ સૌથી વિનાષક પુર હતુ. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનુ નુક્સાન થયુ હતું. આ પુરને લીધે લગભગ આખા શહેરને ૪૦ વર્ષૉ સુઘી પહોચાડી શકાય તેટલુ પાણી દરીયા મા વહી ગયુ હતુ.

સુરત ની મહાનગરપાલિકા ની ગણતરી ભારતની આગળ પડતી મહાનગરપાલિકા મા થાય છે.અને મહાનગરના કાર્ય ખુબજ વખાનવા યોગ્ય છે.

રાજ્ય સરકાર તથા ભારત સરકારની સતત ઉપેક્ષા થવા છતાં આ શહેર પોતાનાં પગ ઉપર અડીખમ ઉભું છે. કોઇ પણ બહારનું પરીબળ આ શહેરની શાંતિ તથા રમણીયતા ઓછી કરી શકે તેમ નથી.

રાજ્યમાં અમદાવાદ સૌથી મોટું શહેર હોવા છતાં માથાદીઠ આવકમાં અમદાવાદ બીજા ક્રમે આવે છે. સમગ્ર દેશમા સૌથી વધુ માથાદીઠ આવક સુરત શહેરની છે. સુરતની માથાદીઠ આવક રૂ.૪,૫૭,૦૦૦ છે જ્યારે અમદાવાદની માથાદીઠ આવક રૂ.૩,૨૮,૦૦૦ છે.

આ ઉપરાત સુરત દેશનુ સૌથી યુવાન શહેર છે. સુરત શહેરની કુલ વસ્તીના લગભગ ૭૪ ટકા એટલે કે ૩૩ લાખ લોકો ૩૫ વર્ષથી આછી ઉમર ધરાવે છે

જેની સુરત વાસીઓ ઘણા સમયથી રાહ જોતા હતાં તેવું આંતરિક હવાઇ મથક (domestic airport) ૨૯ એપ્રિલ, ૨૦૦૭નાં ખુલ્લુ મુકવામાં આવ્યું જ્યાંથી પ્રથમ ફ્લાઇટ ૬ મે, ૨૦૦૭નાં રોજ શરૂ કરવામાં આવી. અહિંથી દિલ્હી, જયપુર અને કંડલાની સીધી સેવાઓ ઉપલબ્ધ છે.

આજે સુરતમાં કતારગામમાં લક્ષ્મીકાન્ત આશ્રમ રોડ નો ખુબજ વિકાસ થઇ રહ્યો છે, સુરતનાં પિપલોદ વિસતારમાં આવેલ ગૌરવ પથ ઊપર રવીવારનાં દિવસે આખુ સુરત ઊમટી પડે છે.

હવામાન



  • શિયાળાનું તાપમાન : મહત્તમ ૩૧° સેં., અલ્પતમ 10.2° સેં.

  • ઊનાળાનું તાપમાન : મહત્તમ ૪૨° સેં., અલ્પતમ ૨૪° સેં.

  • વરસાદ (મધ્ય-જુન થી મધ્ય-સપ્ટેંબર) : આશરે ૯૩૧.૯ મીમી

  • અત્યાર સુધીનું સૌથી ઓછુ તાપમાન  : ૬.૫° સેં.

  • અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન  : ૪૮° સેં.


વહિવટ


સુરતનો રાજકિય વહિવટ સુરત મહાનગર પાલિકા દ્વારા ચાલે છે.
સુરત મહાનગર પાલિકા દેશની સૌથી ધનિક મહાનગરપાલિકામાં આવે છે.
સુરત જિલ્લા કલેક્ટર શ્રી દિલિપ રાવલ છે.
સુરત એરપોર્ટ સુરત ડુમ્મસ રોડ પર આવેલ છે.
સુરતના મેયર રણજીતસિંહ ગીલીટવાલા છે.

Saturday, March 7, 2009

દીકરી પરનાં પુસ્તકો વેચાય તો’ય દીકરી તો વેતરાય જ

Women-Weekગુજરાતી લેખકોએ પુસ્તકો લખીને દીકરીઓ પર વહાલ વરસાવ્યું છે,પણ વાચકોમાં જાગૃતિ કેમ નથી આવતી? પૂછે છે દિવ્યેશ વ્યાસ

દીકરી કોને વહાલી ન હોય? દીકરીને સાસરે વળાવતાં કયા માતા-પિતાની આંખ કોરી રહે છે? તો પછી વહાલનો દરિયો, ઘરનો દીવો, સ્નેહની સરવાણી, પ્રેમની પુષ્પાંજલિ ગણાવાતી દીકરીનો જન્મવાનો અધિકાર કેમ છીનવાઈ જાય છે? દીકરીને જન્મવા જ નહીં દેવાની માનસિકતા, ઠંડી ક્રૂરતા આવી કયાંથી? પોતાનો લાડનો ખજાનો માતા-પિતા સામેથી કેમ લૂંટાવી દેવા લાગ્યાં છે? આ એવા સવાલો છે, જેના જવાબ આજે ખુદ સમાજ પણ સ્વસ્થતાથી આપી શકે એમ નથી.

આપણે ત્યાં દીકરીને લગતાં જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે, તે ખૂબ વેચાયાં છે. ગુજરાતી પ્રકાશન ક્ષેત્રે દીકરીનાં પુસ્તકોએ બેસ્ટ સેલર તરીકે રેકોર્ડ સ્થાપ્યા છે, પરંતુ એ જ ગુજરાતમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. ગુજરાતમાં દીકરીને લગતાં પુસ્તકોમાં સૌથી પહેલું જીભે ચડતું નામ ‘દીકરી વહાલનો દરિયો’ છે.

સમભાવ મીડિયા લિમિટેડનું આ પુસ્તક હાલ નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થઈ રહ્યું છે. ગુજરાતનાં કવિઓ, સાહિત્યકારો અને અન્ય મહાનુભાવો એમ કુલ મળીને ૩૬ લેખકોએ આ પુસ્તકમાં પોતાની વહાલસોયી દીકરીઓ પર લાગણીસભર લેખો લખેલા છે. સપ્ટેમ્બર ૧૯૯૮માં પ્રથમ વાર પ્રકાશિત આ પુસ્તકની અત્યાર સુધીમાં અધધ કહેવાય એટલી બાવીસ આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે.

નવભારત સાહિત્ય મંદિરના વડા મહેન્દ્રભાઈ શાહના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં અંદાજે ૪૦,૦૦૦ નકલો વેચાઈ છે. આ પુસ્તકને મળેલા વ્યાપક પ્રતિસાદ બાદ તેમના દ્વારા આવું જ બીજું પુસ્તક ‘દીકરી એટલે દીકરી’ પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેની ૬૦૦૦થી વધુ નકલો વેચાઈ છે અને ત્રણ-ત્રણ આવૃત્તિ પ્રકાશિત થઈ છે.

ગયા વર્ષે માર્ચમાં પાર્શ્વ પબ્લિકેશનનું‘દીકરી અમારી કુળદીવડી’ પ્રકાશિત થયું હતું. સામાજિક સંશોધક શૈલજા ધ્રુવ અને ડો. ચંદ્રિકા રાવલ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પુસ્તકમાં એક જ સંતાન અને તે પણ બાળકી હોય તેવાં, ૧૫૭ માતા-પિતાની વાત રજૂ કરવામાં આવી છે.

માતા-પિતા દીકરીને સન્માનની દ્રષ્ટિએ જોતાં થાય, દીકરી પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવાય એવા દ્રષ્ટિકોણ સાથે તૈયાર થયેલા આ પુસ્તકને પણ ખૂબ સારો પ્રતિસાદ સાંપડયો છે અને તેનું વેચાણ એટલું ઝડપથી થયું છે કે તેની બીજી આવૃત્તિ ટૂંક સમયમાં જ પ્રગટ કરવાની સ્થિતિ સર્જાઈ છે.

ચોપડી નહીં, પણ ચોપડાપ્રેમી તરીકેની છાપ ધરાવતા ગુજરાતી લોકોમાં દીકરી પરનાં પુસ્તકો ખાસ્સા એવા પોંખાયા છે, વેચાયાં છે.

ગુજરાતમાં પ્રવર્તી રહેલા આ વિરોધાભાસને મહિલા વિકાસ ક્ષેત્રે કાર્યરત અને ‘અવાજ’ સંસ્થાનાં વડાં ઇલાબહેનનું કહેવું છે, ‘ઉચ્ચ મઘ્યમ વર્ગના લોકો આવાં પુસ્તકો ખરીદી-વાંચી શકે છે. બીજો આપણા સમાજનો મોટો વર્ગ નિમ્ન મઘ્યમ વર્ગ અને ગરીબ લોકોનો છે, જેઓ ભાગ્યે જ આવાં કોઈ પુસ્તકો ખરીદી શકે છે કે વાંચે છે.

તેમના સુધી આ પુસ્તકની વાત પહોંચતી જ નથી, તેઓ પોતાની જડ માનસિકતામાં રાચે છે અને દીકરી ઇરછતા નથી. જો કે વધુ દુ:ખની વાત એ છે કે આવાં પુસ્તકો વાંચનારા અને તેના ભારોભાર વખાણ કરનારા પણ અંદરખાને તો દીકરી સાથે કોઈ ને કોઈ રીતે તો ભેદભાવ રાખતા જ જોવા મળે છે. આને માટે સમાજનો દંભ શબ્દ જ વાપરવો પડે.’

પ્રતિષ્ઠિત સમાજશાસ્ત્રી ઘનશ્યામ શાહ કંઈક જુદો જ દ્રષ્ટિકોણ ધરાવે છે. ઘનશ્યામભાઈનું માનવું છે, ‘સમાજમાં જ માનસિક વિરોધાભાસ પ્રવર્તે છે. આપણે ત્યાં એવાં કોઈ માતા-પિતા નથી હોતા, જેમને દીકરીને ગર્ભમાં જ મારી નાખવાનું ગમતું હોય. તેઓ પણ અંદરથી તો એવું જ માનતા હોય છે કે તેઓ ખોટું કરી રહ્યાં છે.books and girls

તેમને દીકરી વહાલી જ હોય છે અને એટલે જ આવાં પુસ્તકો વેચાય-વંચાય છે, પરંતુ આજના સંજોગો સામે તેઓ લાચારી અનુભવે છે. આપણું સામાજિક માળખું એવું છે કે દીકરીના પિતાએ દહેજની ચિંતા કરવી પડે છે. દીકરી ઘરની બહાર નીકળે કે તેની સલામતીની ચિંતા દયને કોરી ખાતી હોય છે. આમ, આવા સંજોગોમાં માબાપને દીકરીનું સતત ટેન્શન રહેતું હોય છે. આ ટેન્શનના નિવારણ માટે તેઓ કમને પણ સ્ત્રી ભ્રૂણહત્યાનું પાતક વહોરે છે.

લોકો મૂરખ નથી, બધું સમજે છે, પરંતુ વાસ્તવિકતાને અવગણી નથી શકાતી. હું આ વિરોધાભાસને સમાજના દંભનું નહીં, પણ પ્રવર્તમાન સંજોગો સામેની લાચારીનું પરિણામ માનું છું.એક તરફ દીકરી પરનાં પુસ્તકો વેચાય અને બીજી તરફ દીકરી જન્મ પહેલાં ગર્ભમાં જ વેતરાઈ જાય, એ વિરોધાભાસ દૂર કરવા માટે લાગે છે કે સમાજની માનસિકતા જ નહીં સમગ્ર માળખું બદલવાની તાતી જરૂર છે.

પોતાના તમામ દંભ અને ડર દૂર કરીને દીકરીને માટે સુરિક્ષત વાતાવરણ ઊભું કરવું પડશે.’ કવિ દાદના શબ્દો વાપરીને કહીએ તો લૂંટાતો ‘લાડનો ખજાનો’ બચાવવા સમાજે બાલમુકુન્દ દવેની પંકિત ઉછીની લઈને પણ એકસાથે અને એકશ્વાસે કહેવું પડશે ‘તું શાની સાપનો ભારો? તું તુલસીનો કયારો લાડકડી!’

Wednesday, February 18, 2009

ગમ્યું તે લખ્યું

જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી,


લીમડાની ડાળ મીઠી થઇ ગઇ.


રચયિતાઃ- અદમ ટંકારવી


મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઇ ગઇ,


આંગળી જળમાંથી કાઢી ને જગ્યા પુરાઇ ગઇ.


રચયિતાઃ- સૈફ પાલનપુરી

Monday, February 9, 2009

સુરતી લોચો

સુરતી લોચો બનાવવાની રીત દેશગુજરાતને એટલા બધા વાંચકોએ પૂછી છે કે અમે તેની રીત ઝડપથી અહીં રજૂ ન કરીએ તો અમારો જ લોચો થઈ જાય. એટલાન્ટા(અમેરિકા)થી નેહાબહેને, દિલ્હીથી નલીનીબેન પરીખે, મુંબઈથી દેવયાનીબહેને, કનેક્ટીકટ(અમેરિકા)થી ભાવિનીબહેન મિસ્ત્રીએ, મુંબઈથી બકુલેશભાઈ મહેતાએ, અમદાવાદથી અપૂર્વા શાહે, પ્રિતેન પટેલે, અને સુરતથી સેજલબહેને લોચાની રીત દેશગુજરાતને પૂછી છે.લોચો એ ગુજરાતની સૌથી સ્વાદિષ્ટ ચટપટી ખાવાની ચીજો પૈકીની એક ચીજ છે. લોચો બનાવવાની બેઝીક રીત તો એક સરખી જ છે પરંતુ હોંશિયાર ગૃહિણી તેના પર કેટલું શું ભભરાવે છે અને ચાખીને સ્વાદ નક્કી કરીને પીરસે છે તેના પર છેવટની પ્રોડક્ટ નિર્ભર રહે છે.અહીં ખાસ અપીલ કરવાની કે દેશગુજરાતના ખાસ તો સુરતી વાંચકો આ રીતમાં કશુંક ઉમેરી શકે કે સજેશન કરી શકે તો કોમેન્ટ સેક્શન હાજર છે.

સામગ્રી: ચણાની દાળ: ૧ વાડકી, ચણાનો લોટ: ૧ ચમચી, ક્રશ કરેલું લીલું મરચું: ૧ ચમચી, મીઠું: સ્વાદ અનુસાર, હળદર: ચપટી, પાણી: જરૂર મુજબ, ખાવાનો સોડા બાયકાર્બ અથવા ફ્રૂટ સોલ્ટ: પા ચમચી, ખમણનો ટુકડો: એક, સંચળ:જરૂર મુજબ, શેકેલા જીરુંનો પાવડર:જરૂર મુજબ, મરી: સ્વાદ અનુસાર, ડુંગળી: ઝીણી સમારેલી એક, ઝીણી સેવ જરૂર મુજબ, બેથી ત્રણ ચમચા માખણ, ચટણી માટે કોથમીર, પાલક.

રીત: સૌપ્રથમ એક વાડકી ચણાની દાળ ચાર કલાક પલાળો. હવે તેમાં એક ચમચી ચણાનો લોટ, મીઠું નાખી વાટો. તેમાં થોડોક સોડા બાય કાર્બ અને હળદર નાખીને અર્ધો કલાક રહેવા દો. હવે આ ખીરુંને ગોટા/ભજીયાના લોટ જેવું ઢીલું કરો. તેમાં લીલું મરચું અને હળદર નાખો. હવે ઢોકળાના કૂકરમાં પાણી નાખી, કૂકરની ડીશ પર તેલ ચોપડો તથા તે ગરમ થાય એટલે આ મિશ્રણ તેમાં નાખી દો. હવે દસેક મિનીટ સુધી મિશ્રણ ગરમ થવા દો. પછી તેમાં ચપ્પુ નાખીને જો ચોંટે તો હજુ વધુ ગરમ થવા દો અન્યથા ગરમ ગરમ પીરસવા માટે ડીશમાં લઈ લો. આ થયો લોચો તૈયાર. હવે તેના પર બેથી ત્રણ ચમચા પ્રવાહી માખણ રેડો તેના પર ઝીણી સેવ અને સમારેલી ડુંગળી નાખો. હવે એક વાડકીમાં લાલ મરચું, સંચળ, જીરું, મરી, મીઠું નાખીને મિશ્રણ તૈયાર કરો અને જરૂર પ્રમાણે તેના પર ભભરાવો.

એક ખમણના ટુકડાનો ભૂકો, લીલું મરચું, પાલક, કોથમીર ખાંડ અને મીઠું આટલી ચીજો મીક્ષરમાં નાખીને ક્રશ કરીને ચટણી બનાવો. તેને લોચા સાથે પીરસો.

Taken by deshgujarat.com

‘આસીમ’ હવે એ વાત ગઈ, રંગ પણ ગયો, તાપી તટે થતો જે હતો તે સંગ પણ ગયો

સવારે સુબેદાર સ્ટ્રીટથી નીકળેલી અંતિમ યાત્રા ગોરેગરિમા કબ્રસ્તાન પહોંચી : એક દિવસે રાંદેરથી બે દિવ્ય જયોતની અંતિમ યાત્રા નીકળી હતી

Asim Randeri ગુજરાતમાં ગુજરાતી મુશાયરાના સ્થાપકો પૈકી એક પ્રસદ્ધિ સાહિત્યકાર આસીમ રાંદેરીની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળી ત્યારે શહેરભરના સાહિત્યકારો તેમના અંતિમ દર્શન માટે ઊમટી પડયા હતા. સુરતે તેના કવિરત્નોમાંના એક આસીમને ગુમાવ્યાની લાગણી બધાના ચહેરા પર સ્પષ્ટ પણે જોઈ શકાતી હતી.

મહમુદમિયાં મહમ્મદ ઇમામ સુબેદાર એટલે આસીમ રાંદેરીનું ગુરુવારે મોડી સાંજે ૧૦૪ વર્ષની જૈફ વયે તેમના નિવાસસ્થાન સુબેદાર સ્ટ્રીટ ખાતે નિધન થયું હતું. તેમના નિધનથી માત્ર સુરત જ નહીં પણ સમગ્ર ગુજરાતના સાહિત્યજગતમાં શોક છવાઈ ગયો હતો.

તા. ૧૫-૮-૧૯૦૪ના રોજ જન્મેલા આસીમ રાંદેરીએ તેમની યાદ રૂપે ગઝલસંગ્રહો ‘લીલા’ અને ‘તાપી તીરે’ આપ્યા છે. બે વર્ષ પૂર્વે પ્રતિષ્ડિત વલી ગુજરાતી એવોર્ડ વિજેતા આસીમ રાંદેરીની અંતિમયાત્રા શુક્રવારે સવારે ૧૧.૦૦ વાગ્યે રાંદેરના સુબેદાર સ્ટ્રીટથી નીકળી રાંદેરના ગોરેગરિમા કબ્રસ્તાન સુધી પહોંચી હતી. રાંદેરીના અંતિમ દર્શન કરવા માટે શહેરના સાહિત્યકારો ઉપરાંત શહેરની જાણીતી હસ્તીઓ ઊમટી પડી હતી જેમાં ભગવતી કુમાર શર્મા, જનક નાયક, નાનુભાઈ નાયક અને બકુલેશભાઈ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

રાંદેરના સમાજસેવક બોટાવાલાનું નિધન

એચઆઇએમએસ બોટાવાલા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા હાજીવાલા સુલેમાન અહેમદ બોટાવાલાનું શુક્રવારે સવારે નિધન થયું હતું. ૭૭ વર્ષની ઉંમર ધરાવતા સુલેમાન બોટાવાલા છેલ્લા કેટલાક દિવસોથી હૃદયની બીમારીથી પિડાતા હતા. મોરાભાગળસ્થિત બોટાવાલા ચેરિટેબલ ટ્રસ્ટે શહેરીજનોને સવલતો મળી રહે તે માટે અસંખ્ય પ્રયત્નો કર્યા છે. જરૂરિયાતમંદોને સહાય કરવાના હેતુસર બોટાવાલા ટ્રસ્ટની સ્થાપના ૧૯૩૨માં કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ દ્વારા રાંદેર વિસ્તારમાં રસ્તાઓ તેમજ આજથી ચાલીસ વર્ષ પહેલા જયારે રસ્તાઓ અંધકારમય હતા ત્યારે ટ્રસ્ટ દ્વારા રસ્તાઓ પર લાઇટ પણ મૂકવામાં આવી હતી.

સુરતે છેલ્લા ૧૦ દિવસમાં ત્રણ પ્રતિભા ગુમાવી

સુરત માટે ગર્વસમાન ગણાતી ત્રણ હસ્તીઓ જેવી કે હવામાન આગાહીકાર નટુભાઇ નાતાલી, ગુજરાતી મુશાયરાના સ્થાપક સાહિત્યકાર મહમુદમિયાં મહમ્મદ ઇમામ સુબેદાર એટલે આસીમ રાંદેરી બાદ શુક્રવારે સુરતના મોભી સમાન સુલેમાન બોટાવાલાના નિધનથી સંસ્કારજગતને આંચકો લાગ્યો છે. સાહિત્યકાર આસીમ રાંદેરીનું ગુરુવારે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. બહાર આવે તે પહેલાં બોટાવાલા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી હાજીવાલા સુલેમાન અહેમદ બોટાવાલાનું ૭૭ વર્ષની વયે હૃદયની બીમારીથી અવસાન થયું છે.

Monday, February 2, 2009

સુરતને ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાશે

ઔધોગિક નગરી સુરતની ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકેની ઓળખ વિકસાવવામાં આવશે. શહેરના ઔધોગિક સંગઠનો તથા હોટલ રેસ્ટોરન્ટ એસોસિયેશન દ્વારા શહેરના ફરવાલાયક સ્થળો, ઐતિહાસિક સ્મારકો તથા વાનગીની ખાસિયતોનો પ્રચાર કરી સુરતને રાષ્ટ્રીય ફલક પર ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે રજૂ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશને ૬ અને ૭ ફેબ્રુઆરીના રોજ દ્વિ-દિવસીય હોસ્પિટાલિટી અને ટુરિઝમ મીટ યોજી દેશભરમાંથી ૫૦ યુગલોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

ચેમ્બર ઓફ કોમર્સની ટુરિઝમ કમિટીના ગ્રુપ ચેરમેન પરેશ પટેલના જણાવ્યા મુજબ ઔધોગિક નગરી સુરત એક પ્રવાસન સ્થળ પણ છે. સુરતમાં અંગ્રેજોની કોઠી (કિલ્લો), મુઘલસરાઈ, ડચ સિમેટ્રી, ઇસ્લામિક મોન્યુમેન્ટ્સ સહિતના અનેક સ્થળો છે.

ઉપરાંત વિશ્વ વિખ્યાત જેમ-જવેલરી ઇન્ડસ્ટ્રી તથા સમગ્ર ભારતમાં સિન્થેટિક ફેબ્રિકસ પૂરું પાડતી ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી લોકોનું આકર્ષણ બની શકે છે. જયારે સુરતનું જમણ વિશ્વવિખ્યાત છે. આ તમામ બાબતો ટેકસટાઇલ, ડાયમંડ, ફૂડ (વાનગી) અને કલ્ચર (સંસ્કતિ)નો સમન્વય કરી એક ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે સુરતને વિકસાવી શકાય છે.

જે આશયસર ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, સુરત શહેર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન, રાજય સરકારના ટુરિઝમ વિભાગ તથા અન્ય સંસ્થાઓ દ્વારા સંયુકત રીતે ‘ડિસ્કવર સુરત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

પોંક અને ઊધિયાનો રસાસ્વાદ માણશે

સુરતના મહેમાન બનનારા દેશભરમાંથી આવનારા ૫૦ યુગલોને સુરતી ભોજનનો રસથાળ પીરસવામાં આવશે. જેમ-જવેલરી સંસ્થા, ટેકસટાઇલ માર્કેટ, ઐતિહાસિક સ્થળોની મુલાકાત બાદ આમંત્રિત મહેમાનોને પોંક તથા સુરતી ઊધિયા સાથેગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે.

Tuesday, January 13, 2009

મકરસંક્રાંતિ માટે સુરતીઓનો થનગનાટ

kitesમંદી અને નીરસતાની બુમરાણ વચ્ચે પતંગ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. મકરસંક્રાંતિ આડે માત્ર ગણતરીના બે દિવસ રહી જતાં ડબગરવાડ-કોટસફિલ રોડ, ટાવર રોડ સહિતનાં બજારોમાં પતંગ અને દોરી-માંજાની ખરીદીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગના જથ્થાબંધ વિક્રેતા ઘનશ્યામભાઈ છત્રીવાળાના જણાવ્યા મુજબ ૮ જાન્યુઆરીથી બજારમાં ચહલપહલ જોવા મળી રહી છે.

ગુરુવારે મોહરમની રજામાં તથા શનિ-રવિના રોજ બજારમાં પતંગની સારી ખરીદી નોંધાઈ રહી છે. લોકો દ્વારા પતંગની ખરીદીમાં ઉત્સાહ દર્શાવવામાં આવી રહ્યા છે. શહેરના ઘણાં જથ્થાબંધ પતંગ વિક્રેતાઓને ત્યાં પતંગનો સંગ્રહિત જથ્થો પૂર્ણ થઈ ગયો છે.

માંજો ઘસાવવામાં પણ પડાપડી

ડબગરવાડમાં બોબિન વિક્રેતા અને માંજો ઘસનારા રાજેશ છત્રીવાલાના જણાવ્યા મુજબ પ્રારંભિક તબક્કાની નીરસતા બાદ અંતિમ દિવસોમાં લોકોએ દોરી પર કાચનો માંજો ચઢાવવા ધસારો કર્યો છે.

ચાઇનીઝ પતંગની માગ ઘટી

પતંગવિક્રેતા સતીશભાઈ છત્રીવાલાના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે બજારમાં ચીલ-ખંભાતી તથા ગોળ પતંગની ડિમાન્ડ છે. થોડાં વર્ષોથી ચાઇનીઝ પતંગનું આકર્ષણ હતું. પરંતુ ચાલુ વર્ષે બજારમાં ચાઇનીઝ પતંગની માગ ઘટી છે.

પતંગના ભાવ ૨૦ ટકા ઊચા

ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પતંગના ભાવ ૨૦ ટકા ઊચા છે, જે માટે કાગળના વધતા ભાવ, પતંગમાં વપરાતી કામળી તથા કાગળ પર વેટ ભારણ જેવાં પરિબળો જવાબદાર છે.

મંગળવારે રાત્રે હરાજીબજાર જામશે

શહેરના વિસ્તરણ સાથે જુદા જુદા વિસ્તારોમાં પણ પતંગ-દોરી વિક્રેતાઓ ખૂલ્યા છે. પરંતુ મકરસંક્રાંતિના પર્વ માટે રાજમાર્ગ પર બજાર ભરાય છે. ખાસ કરીને મકરસંક્રાંતિની પૂર્વ રાત્રિએ દિલ્હીગેટથી લાલગેટ સુધીના માર્ગ પર શહેરભરના પતંગવિક્રેતાઓ રેંકડી ખોલે છે.

જેઓ દ્વારા છેલ્લી ઘડીનો સંગ્રહિત જથ્થો બજારની ચાલ અને પતંગની ડિમાન્ડના આધારે વેચવામાં આવે છે. આ બજાર હરાજીબજાર તરીકે પણ ઓળખાય છે. મકરસંક્રાંતિની પૂર્વસંઘ્યાએ હકડેઠઠ જામતી ભીડના કારણે રાજમાર્ગ પર ટ્રાફિક બંધ કરવાની પણ ફરજ પડે છે.

મકરસક્રાંતિનો સંપૂર્ણ મહિનો ફળદાયી

૧૪મી મકરસંક્રાંતિ, ૧૬મીએ ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, ૧૭મીએ હસ્ત નક્ષત્ર, ૨૧, ૨૫ અને ૨૬મી એ સર્વાર્થ સિદ્ધિ યોગ

kites૧૪મી જાન્યુઆરીએ આખો દેશ જયારે મકર સંક્રાન્તિ ઊજવશે ત્યારે યોગાનુયોગે આ જ દિવસે સંકટ ચતુર્થી પણ છે. છેલ્લાં ૧૯ વર્ષ પછી પહેલી વખત બનતો આ યોગ હવે આવનારાં પચાસ વર્ષ બાદ બનવાનો છે. આ જાન્યુઆરીનું છેલ્લું પખવાડિયું દરેક ઉત્તમ કાર્યો માટે ખાસ કરીને ખરીદી કરવા માટે શુભ મુહૂર્ત લઈને આવી રહ્યું છે.

વિદ્વાન જયોતિષીઓના મતાનુસાર આ દિવસોમાં જે કોઈ કામકાજનો આરંભ કરવામાં આવે તે સ્થાયી અને ફળદાયી નીવડે. ૧૪મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ અને ૩૧મી જાન્યુઆરીએ વસંત પંચમીની વરચેના સમયમાં મહાચતુર્થીએ સર્વાર્થ સિઘ્ધિયોગ, દ્વિપુષ્કર યોગ, ષટ્તલા એકાદશી, દ્વાદશી તેમજ સોમવતી અમાસે વિશેષ ફળદાયી યોગોનો સંયોગ બને છે.

સૂર્યની ઉત્તરાયણમાં ગતિની સાથેજ શુભ કાર્યોનો આરંભ થઈ જશે. મકરસંક્રાંતિએ કરવામાં આવેલાં શુભ કાર્યોનું ફળ વસંત પંચમી અને અક્ષય તૃતીયા જેવું મળશે. આ દિવસો દરમિયાન સોના, ચાંદી તેમજ જમીન જેવી ખરીદી ખુબ જ શુભ બની રહે છે.

જયોતિષી મુકેશભાઈ રાવલ (મહેસાણા)ના જણાવ્યા અનુસાર મકરસંક્રાંતિના દિવસે સંકટ ચતુર્થી પણ છે જે મહિલાઓ માટે મહત્ત્વપૂર્ણ છે. આ પ્રકારનો સંયોગ ૧૯ વર્ષ પછી આવ્યો છે અને હવે ૫૦ વર્ષ પછી આવશે.

સંયોગ અને ખરીદી માટેનાં શુભ યોગ

જયોતિષી કર્દમ દેવેએ જણાવેલા મુહૂર્ત અનુસાર નીચે મુજબના યોગો શુભ છે.

૧૪ જાન્યુઆરી.....મકરસંક્રાંતિ, તલ ચતુર્થી અને બુધવારનો સંયોગ
૨૧ જાન્યુઆરી.....અમૃત સિદ્ધિ યોગ
૨૬ જાન્યુઆરી.....સોમવતી અમાસ
૩૧ જાન્યુઆરી.....વસંત પંચમી : સોનું
૭ ફેબ્રુઆરી.......શનિ પ્રદોષ
૮ ફેબ્રુઆરી.......ગુરુ પુષ્યનો સંયોગ