Wednesday, December 31, 2008

૩૧ ની રાત ને સુરતીઑ ખુશી

આજે સુરતીઑ રાતે નાચસે ગાશે અને સાથે ઝુમ્શે. અને hotel જમવાના તો દીવાના તો ખરા જ ને. આજે આખી નીશા સુરતી રૉડ રોમીયૉ બની ને ૩૧ ની મોજ લુટશે.

વાર અને તહેવાર કંઈ પણ હોય સુરતીઓ તેને પોતાની ‘અસ્સલ’ સ્ટાઈલમાં ઊજવવા માટે જાણીતાં છે. ઊજવણી અને ઉત્સવપ્રિય સુરતીઓ માટે થર્ટી ફસ્ર્ટનું અદકેરું મહત્ત્વ છે. અને તેથી જ એની ઊજવણીમાં પણ વર્ષોવર્ષ વૈવિઘ્ય ઊમેરવા જાન લગાવી દેતાં હોય છે. સુરતીઓએ પાર્ટી પ્લોટ્સ, હોટેલ્સ અને મલ્ટીપ્લેકસમાં ડીજેના તાલે ડાન્સ કરવાની તૈયારી કરી જ લીધી છે. કેટલાક લોકો શહેરમાં રહીને જ શહેરની ભીડથી દૂર રહેવા આજકાલ લોકો ફાર્મ હાઉસ, ટેરેસ, પેન્ટ હાઉસ કે ઈન હાઉસ પાર્ટી કરે છે.

વિવાદોમાં ધેરાયેલી રાખી સાવંત પણ સુરત આવશે. કન્ટ્રી કલબ દ્વારા આયોજિત માન સરોવરની પાર્ટીમાં રાખી સાવંત ધૂમ મચાવશે.આ સિવાય શહેરમાં ઘણી જગ્યાએ પાર્ટીઓની તૈયારી થઇ ગઇ છે. ગેટવે માં યુરોપથી ડાન્સ ટ્રુપ અને મુંબઇથી ડીજે રાહુલ આવશે. ગેટવે, વેલેન્ટાઇન, રાજ એમ્પાયર, સિટી પ્લસ, રોયલ પાર્ક, વગેરેમાં મોટી પાર્ટીનાં આયોજનો શહેરમાં થયાં છે.

Thursday, December 25, 2008

નાતાલનો સંદેશ માણસ પરનો ઇશ્વરનો પ્રેમ

ishuદુનિયાભરમાં જાણીતું થયેલું ચલચિત્ર છે ‘ધ ગ્રેટેસ્ટ સ્ટોરી એવર ટોલ્ડ’. એ ફિલ્મમાં ઇસુનું પાત્ર ભજવનાર માકર્સ વોન સિડોએ મુખ્ય અભિનેતા તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે.

આ ફિલ્મમાં બે હજાર વર્ષ પહેલાં ઇઝરાયલના બેથલેહેમ ખાતે એક ગમાણમાં જન્મેલા ઇશ્વર પુત્ર ઇસુની કથા છે. ૧૯૬૫માં બહાર પડેલું એ રંગીન ચલચિત્ર જોતજોતામાં ખૂબ લોકપ્રિય બન્યું હતું અને ઘણા અવોર્ડોજીત્યું છે.વારંવાર જોવી ગમે એવી આ ફિલ્મની વાત ખૂબ જાણીતી છે. બાઈબલના નવા કરારમાં સંત માથ્થી જણાવે છે તેમ, ઇશ્વર પુત્ર ઇસુ બેથલેહેમમાં જન્મ્યા છે, તેમ જાણીને રાજા હેરોદ અને મળતિયાઓ ભય પામ્યા અને બધા યરુશાલેમવાસીઓ ચિંતામાં પડી ગયા.

પૂર્વમાંથી આવેલા પંડિતો (માગી રાજાઓ) પાસેથી યહૂદીઓના નવા જન્મેલા રાજાની વાતથી રાજા હેરોદનો ‘રોષ એકદમ ભભૂકી ઊઠયો, અને તેણે પંડિતો પાસેથી જે સમય ખાતરીપૂર્વક જાણી લીધો હતો તેને આધારે બેથલેહેમ અને તેની આસપાસના પ્રદેશમાંનાં બે વર્ષનાં અને તેથી નાનાં બધાં છોકરાઓનો વધ કરવાનો હુકમ છોડયો’.

રોમન ઇતિહાસ દર્શાવે છે તેમ, નિર્દોષ માસૂમ બાળકોની હત્યા પછી હેરોદ યહૂદિયાના રાજા તરીકે લાંબો સમય ટકી શકયા નહીં. એમના મૃત્યુ પછી તેમનો પુત્ર આર્ખિલાઉસ રાજગાદી પર આવ્યો.

‘ધ ગ્રેટેસ્ટ સ્ટોરી એવર ટોલ્ડ’ની કથા મુજબ યહૂદિયામાં આર્ખિલાઉસ ખૂબ ક્રૂર રીતે યહૂદી લોકો પર રાજય ચલાવતો હતો. એટલે રોમન સત્તાએ રાજા આર્ખિલાઉસને નાથવાનો નિર્ણય કર્યો. રોમન બાદશાહનો એ સંદેશ લઈને એક રોમન સૂબેદાર આર્ખિલાઉસના રાજમહેલ પહોંચ્યો.

રાજા આર્ખિલાઉસ અને રોમન સૂબેદાર રાજમહેલમાં વાતો કરતા હતા ત્યારે તેમને યહૂદી મંદિરમાંથી પ્રાર્થનાના અવાજો અથડાયા. યહૂદી લોકો યરુશાલેમ મંદિરમાં ઇશ્વર પાસે એક મુકિતદાતાને મોકલવાની વિનવણી-પ્રાર્થના કરતા હતા.

ભકતોના અંતરાત્માના આર્તનાદની પ્રાર્થના સાંભળીને રોમન સૂબેદારે રાજા આર્ખિલાઉસને પૂછ્યું કે, ‘આ લોકો કયા મુકિતદાતા માટે પ્રાર્થના કરે છે?’

આર્ખિલાઉસે તરત જ સૂબેદારને કહ્યું કે, ‘કદી નહીં આવનાર એક મુકિતદાતા માટે યહૂદી લોકો વિનવણી-પ્રાર્થના કરે છે.’ સદીઓથી યહૂદી પ્રજા પોતાના મુકિતદાતાની પ્રતીક્ષા કરતી હતી. મુકિતદાતાના આગમનની તૈયારીઓ કરતા હતા, પરંતુ મુકિતદાતાની રાહ જોનાર લોકો વચ્ચે રાજા આર્ખિલાઉસની જેમ ‘મુકિતદાતા કદી નહીં આવે’ એમ માનનાર લોકો પણ હતા.

આર્ખિલાઉસે માન્યું હશે કે પોતાના પિતાએ મુકિતદાતાના જન્મની વાતથી ડરી જઈને બેથલેહેમ અને આસપાસમાં હત્યા કરેલાં બાળકો સાથે, કોઈ મુકિતદાતા જન્મ્યો હોય તો તેનો પણ વધ થઈ ગયો હશે, પરંતુ આર્ખિલાઉસ અને તેના એ સાથીદારો ખોટા પડયા.

ખ્રિસ્તી લોકો માને છે કે, દૈવી યોજનાનો સમય પાકયો ત્યારે ઇશ્વરપુત્ર ઇસુનો જન્મ થયો. સમગ્ર માનવજાત જેની આતુરતાથી પ્રતીક્ષા કરતી હતી તે મુકિતદાતા બાળ ઇસુનો જન્મ યહૂદિયાના બેથલેહેમમાં થયો. શુભસંદેશકાર યોહાનના શબ્દોમાં કહીએ તો, ‘ઇશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો’.

બાળ ઇસુનો જન્મ થયો ત્યારે એનો ઇન્કાર કરનાર રાજા આર્ખિલાઉસ જેવા લોકો વરચે સ્વર્ગ અને ધરતી જ નહીં પણ સમગ્ર બ્રહ્માંડ આનંદથી પુલકિત થયું. સંત લૂકે આપલા ઇસુના જન્મના વૃતાંત મુજબ જયારે સગર્ભા મરિયમ અને એમના પતિ દાવિદના વંશના યોસેફ બાદશાહ ઓગસ્તસે ફરમાવેલી વસ્તીગણતરીમાં પોતાનાં નામ નોધવા માટે યહૂદિયાના નાસરેથ ગામથી સ્વવતન બેથલેહેમ પહોંચ્યાં હતાં. ‘એ દરમિયાન જ તેમની પ્રસૂતિનો સમય આવી પહોંચ્યો અને તેમણે પોતાના પહેલા ખોળાના પુત્રને જન્મ આપ્યો. બાળકને વસ્ત્રમાં ઢબૂરીને ગમાણમાં સુવાડયો, કારણ કે ઉતારામાં તેમને માટે જગ્યા નહોતી’.

ઇસુનો જન્મ થતાં જ પૃથ્વી પર નાસરેથ પાસે ખુલ્લા મેદાનમાં રાતે પોતનાં ધેટાંની વારા-ફરતા ચોકી કરતા કેટલાક ભરવાડો આગળ અચાનક એક દેવદૂત પ્રગટ થયો અને દૂતે તેમને સંદશ આપ્યો કે ‘ડરશો નહીં, સાંભળો, હું તમને ભારે આનંદના શુભસમાચાર આપવા આવ્યો છું.

આખી પ્રજાને પણ એથી આનંદ આનંદ થઈ રહેશે, આજે દાવિદના નગરમાં મારો મુકિતદાતા અવતર્યો છે. એ જ ખ્રિસ્તી અને પ્રભુ છે. એની એધાણી એ કે, તમે એક બાળકને કપડામાં લપેટીમાં ગમાણમાં સુવાડેલો જોશો’.

બેથલેહેમ ખાતે ગમાણના દ્રશ્ય સાથે આકાશમાં ભરવાડોને સંદેશ આપતા દેવદૂત સાથે એક બીજા દ્રશ્યનું પણ લૂકે વર્ણન કર્યું છે. ‘પલકારામાં એ દેવદૂતની સાથે બીજા સ્વર્ગીય દૂતોનો સમૂહ ઇશ્વરની સ્તુતિ ગાતો નજરે પડયો, પરમધામમાં ઇશ્વરનો મહિમા, અને પૃથ્વી ઉપર ઇશ્વરની પ્રીતિપાત્ર માણસોમાં શાંતિ!’.

આજે ઇસુના જન્મનાં બે હજાર વર્ષ પછી ખ્રિસ્તી લોકો સમગ્ર દુનિયામાં નાતાલ ઊજવતાં દેવદૂતો જોડે ઇશ્વરની સ્તુતિ ગાય છે અને ભરવાડો સાથે કે અદનામાં અદના લોકો સાથે ભળી જઈને ઇશ્વરપુત્ર ઇસુના જન્મનું રહસ્ય મનથી સંપૂર્ણપણે ગ્રહણ કરવા મથે છે.

એટલે ખ્રિસ્તી ભકતો પોતાના ઘરે કે દેવળમાં બાંધેલા ગમાણ અને એમાં મૂકેલી બાળ ઇસુની મૂર્તિ આગળ ઘૂંટણિયે પડીને બાળ ઇસુને પ્રશ્ન પૂછી શકે છે ‘અદનામાં અદના માણસ તરીકેના તારા જન્મનું રહસ્ય શું છે?’ કે, ‘તું બેથલેહેમના ગમાણમાં જન્મ લઈને મને શો સંદેશ પાઠવે છે?’

હા, ખ્રિસ્તી લોકો માને છે કે સમગ્ર માનવજાત પર -મારા-તમારા જેવા દરેક માનવી પર ઇશ્વરપિતાનો અઢળક પ્રેમ છે અને એ અસીમ પ્રેમને પ્રગટ કરવા માટે જ ઇસુએ માનવ-અવતાર લીધો છે. ગમાણનો બાળ ઇસુ તમારા-મારા માટેના ઇશ્વરપિતાના પ્રેમની ઘોષણા કરે છે.

તો મૂળભૂત પ્રશ્ન એ છે કે, માણસમાત્ર માટેના ઇશ્વરના અગાધ પ્રેમને આપણે ઓળખીએ છીએ? અને ઓળખતા હોઈએ તો તેનો સ્વીકાર કરીએ છીએ?
Father Vargis Paul

Wednesday, December 24, 2008

जड़ी-बूटियों के लिए भी प्रसिद्ध है पन्ना

पन्ना। मध्यप्रदेश के बुंदेलखण्ड क्षेत्र का पन्ना जिला बेशकीमती रत्न हीरे के लिए ही नहीं बल्कि प्रचुर संख्या में दुर्लभ जड़ी बूटियों के लिए भी जाना जाता है।

जिले में सारंग मंदिर की पहाड़ि‍यों से लेकर कालिंजर तक वनौषधियों का अकूत भण्डार है। जिले के दक्षिण में आदिवासी बहुल कल्दा पठार पवई और शहनगर दो विकासखण्डों के सीमा को घेरता है। यहां के समृद्ध वन क्षेत्र में प्राकृतिक रूप से प्रचुर मात्रा में दुर्लभ जड़ी-बूटियां पाई जाती हैं।

Monday, December 22, 2008

આંખો રડી પડી અને રેલાય છે અવાજ




આંખો રડી પડી અને રેલાય છે અવાજ,
છે બંધ હોઠ તો ય વહી જાય છે અવાજ.

બોલ્યાં તમે એ વાતને વર્ષો થઈ ગયાં,
દિલમાં હજીય કેમ એ પડઘાય છે અવાજ !

નહિતર આ અંધકારમાં રસ્તો નહીં જડે,
થઈને પ્રકાશ કોઈનો પથરાય છે અવાજ.

છે એમનાથી તો એ પરિચિત ઘણો છતાં,
દિલની છે વાત એટલે શરમાય છે અવાજ.

હોઠોનું સ્મિત, આંખના મદમસ્ત ઈશારા,
શબ્દો વિનાય આજ તો સંભળાય છે અવાજ !

દિલની દીવાલો ગુંજતી થઈ જાય છે ‘મહેક’,
જો એની યાદનો કદી અથડાય છે અવાજ.

-’મહેક’ ટંકારવી

Saturday, December 20, 2008

ઇન્ટરનેટ એકસપ્લોરર અસુરક્ષિત

internet explorer unsafeખુદ માઈક્રોસોફટે જ તેના સોફટવેરની સુરક્ષામાં ખામીઓની કરેલી કબૂલાત

ઇન્ટરનેટ બ્રાઉઝરમાં ખામી હોવાના કારણે કમ્પ્યૂટર હાઇજેક થવાનું જોખમ

માઇક્રોસોફટ કોર્પોરેશનના ઇન્ટરનેટ એકસપ્લોરરનો ઉપયોગ કરી રહેલા લોકોના કમ્પ્યૂટર હાઇજેક થવાનું જોખમ ઊભું થઇ ગયું છે. કંપનીએ સ્વીકાર કર્યોછે કે, તેના સોફટવેરની સુરક્ષામાં રહેલી ખામીઓ છે, તેને સુધારવાના તમામ પ્રયાસો છતાં પણ તે નિષ્ફળ રહી છે.

માઇક્રોસોફટના એકસપ્લોરર સોફટવેરમાં સુરક્ષા ખામીઓના કારણે ગુનેગારો અને હેકરોને સાધારણ પ્રયત્નથી જ કોઇ પણ વ્યકિતના કમ્પ્યૂટરમાં ઘૂસવાની તક મળી જાય છે. આ માટે તેણે ફકત તે વ્યકિતને લલચાવીને દૂષિત પ્રોગ્રામ કોડવોળી કોઇ વેબસાઇટ ખોલવા માટે મજબૂર કરવાનો રહેશે. નિષ્ણાતોના અનુસાર આમ કરવું કોઇ કપરું કામ નથી.

એન્ટી વાઇરસ સોફટવેર નિર્માતા ટ્રેન્ડ માઇક્રોસોફટના અનુસાર આ ખામીના કારણે છેલ્લા એક સપ્તાહમાં લગભગ ૧૦ હજાર વેબસાઈટોનો આ કામ માટે ઉપયોગ થઇ ચૂકયો છે. જેમાં મોટાભાગની ચીનની વેબસાઈટ છે, જેનો ઉપયોગ કમ્પ્યૂટર ગેમનો પાસવર્ડ ચોરવા માટે કરવામાં આવે છે. જેને કાળા બજારમાં ઊચા ભાવે વેચવામાં આવે છે.

કેવી રીતે પકડાયું :

ટ્રેન્ડ માઇક્રોસોફટની સકિયોરિટી રિસર્ચ કરનાર પોલ ફગ્ર્યુસનના અનુસાર સામાન્ય રીતે સોફટવેર આ પ્રકારની ખામીઓ સુધારવામાં ચૂક ખાઇ જાય છે. આ ખામી ફકત એટલા માટે પકડાઈ ગઇ, કેમકે આઈઈ નામનો ડિફોલ્ટ બ્રાઉઝર દુનિયાના લગભગ તમામ કમ્પ્યૂટર સેટોમાં ઉપયોગમાં લેવાય છે. પરંતુ, કંપની ફકત તેના સાતમા વર્ઝન પર થનાર હુમલાને જ શોધી શકી છે. બીજા વર્ઝન પરનું જોખમ જેમનું તેમ છે. કંપનીએ જણાવ્યું છે કે, તે સમસ્યા દૂર કરવાના પ્રયાસો કરી રહી છે.

બીજા વિકલ્પ સુરક્ષિત

‘જયાં સુધી સમસ્યાનો ઉકેલ નથી આવતો ત્યાં સુધી આઈઈનો ઉપયોગ કરતા લોકો માટે મોજિલાનું ફાયરફોકસ, ગૂગલનું ક્રોમ, ઓપેરા સોફટવેરનો ઓપરા અને એપલના સફારી વિકલ્પનો ઉપયોગ કરવું ઉચિત રહેશે.’ -સુરક્ષા નિષ્ણાત.
Agency, San Francisco

કાડિયાવાડમાં ભૂલો પડ ભગવાન, કૌતુક દેખાડું શ્યામળા

સૌરાષ્ટ્રના બારોટો અમને કાડિયાવાડીઓને હુલાવવા-ફુલાવવા એક દુહો ગાતા ‘કાડિયાવાડમાં તું ભૂલો પડ ભગવાન, તને સરગ દેખાડું શ્યામળા.’ હવે ૨૧મી સદીમાં ભૌતિક-સ્વર્ગ તો તમારી નજર હોય તો જ જોવા મળે પણ દરેકે દરેક સૌરાષ્ટ્રવાસીનાં દિલમાં તો સરગ છે જ, (સ્વર્ગ). રાજકોટથી બે કલાકને રસ્તે ડુંગરા વચ્ચે પ્રાંસલા ગામ છે. ત્યાં ૧૮ ડિસેમ્બર ૨૦૦૮માં સૌરાષ્ટ્ર-ગુજરાત અને ભારતના ૧૩૦૦૦ વિધાર્થી-વિધાર્થિની એક આત્મબળ કેળવવાની સ્વામી ધર્મબંધુની શિબિરમાં ભેગા થયા હતા. તેમાં કા"લેજ અને સ્કૂલની ૬૫૦૦ વિધાર્થિઓ હતી.

તેમાં બિંદુ વિઠ્ઠલપરા નામની બળૂકી કા"લેજિયન અને કડવા પટેલની દીકરીને મળ્યો. મોરબીની આ કન્યા એમ. કોમ.નું ભણતી હતી. એમ. કોમ. કરીને તેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ. એ.વિથ સાયકોલોજીનું આગળ ભણવું હતું. ખેડૂત પિતા ભણવા દેશે જ. પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુએ આખા ભારતના અડધો ડઝન સાયન્ટિસ્ટોને બોલાવેલા. તાતા ઇન્સ્ટિ. ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને ભાભા એટમિક રિસર્ચના વિજ્ઞાનીઓ આવીને કોસ્મોલોજીથી માંડીને અણુ રિએકટર વિશે બાળક-બાલિકાઓને સમજાવતા હતા.

નવી દિલ્હીથી બોર્ડ સકિયુરિટી ફોર્સના પોલીસ આ"ફિસર પ્રેમસિંહ ચૌહાણ આવેલા. તે પ્રાંસલાના કેમ્પની યુવતીઓને રાઇફલ શૂટિંગ અને સ્વરક્ષા શીખવવા આવેલા. આ બધી ૮ દિવસના કેમ્પની તાલીમને અંતે બિંદુ નરભેરામ વિઠ્ઠલપરા નામની યુવતીનો ઇન્ટરવ્યૂ લઈ છેવટે પૂછ્યું ‘તારે શું થવું છે?’ તો કહે ‘મારે ડેપ્યુટી કમિશનર આ"ફ પોલીસ થવું છે!’ કાડિયાવાડમાં જયાં કણબી પટેલની દીકરીઓના પારણામાં હોય ત્યાં સગપણ થઈ જતાં અને ત્રીજું ધોરણ ભણાવીને ઉઠાડી મૂકતા ત્યાં એમ. એ. ભણીને સંતોષ નથી. તેથી એમ. કોમ. ભણીને પોલીસ આ"ફિસર થવાના સપનાઓ જોતી અનેક કન્યાઓ તમને સૌરાષ્ટ્રમાં દેખાશે.

સોરઠની હરિયાળી કે આંબાવાડી કે લહલહતી ખેતી કે ત્યાંના ભગરી ભેંશના દૂધ કે ગિરની ગાયોની ડોકનાં ઘંટડીના રણકાર સાંભળવા અમે દેશી ગીતમાં ભગવાનને ભૂલો પડીને કાડિયાવાડ આવવા કહેતા પણ આજે ૨૧મી સદીમાં મારે ભગવાનને કહેવું પડશે કે તું સૌરાષ્ટ્રની દીકરીયુંનું ખમીર જોવા તો એક દી સૌરાષ્ટ્ર આવજે જ. બીજી એક પટેલની દીકરીનું નામ દીપિકા અંબારામ છે. રાજકોટમાં તે સંસ્કૃત સાથે એમ. એ. થઈ છે. અને હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સંસ્કૃત ડિપાર્ટમેન્ટમાં તેને આગળ ભણીને પ્રોફેસર થવું છે.

તે કહે છે ‘અમારી બહેન દીકરીઓ ભણીગણીને સંસારમાં જઈને પણ અઘ્યાત્મને આત્મસાત્ કરે, તેમ જ ખાસ કરીને આરોગ્ય સુધારે. એટલું જ નહીં, આ લોક સાથે પરલોક પણ સુધારે તેવું મારે પ્રોફેસર બની વિધાર્થીઓને કહેવું છે.’ નવાઈ માટે !!! આવા ચિહ્નો મુકાય છે. મારા જેવા અનુભવીને પણ એક ખેતી કરતા પટેલની પૌત્રી સંસ્કૃતની પ્રોફેસર થઈ તેના વિધાર્થીઓનાં પરલોકને સુધારવાની મહેરછા રાખે છે તેવો નક્કર આત્મવિશ્વાસવાળો રણકાર સાંભળી તમે ૧૦૦૦ આશ્ચર્યચિહ્ન મૂકી શકો. હવે તે થોડા વખતમાં પીએચ.ડી. થઈને ડો. દીપિકા બનવા માગે છે. તેને પૈસાની ખેવના નથી. તે ઋગ્વેદ અને વિષ્ણુપુરાણનો અભ્યાસ કરી ચૂકી છે. ઘરે લાઇબ્રેરી છે. અદ્ભુત અદ્ભુત!

અમદાવાદ-મુંબઈમાં કરોડપતિઓને ઘરે મેં લાઇબ્રેરી જોઈ નથી. દીકરીઓના ધનિકોને ઘરે જુદા જુદા ડ્રેસના બબ્બે કબાટો જોયા છે પણ અહીં એક એક કન્યાને મળો તો લાગે કે ભારતનું કૌવત, ભારતનું ગૌરવ, ભારતનું ભાવિ બળ ગામડાંમાં અને નાનાં શહેરોમાં છુપાયેલું પડયું છે.

‘ધ ઇકોનોમિસ્ટ’માં કવર સ્ટોરી હતી કે ‘ચાયના એન્ડ ઇન્ડિયા-એ ટેઇલ ઓફ ટુ વુલનરેબલ-ઇકોનોમિઝ.’ આપણા આ લેખ માટે એ મથાળાનું હું અર્થઘટન કરું તો આ ૮૦૦૦ માઈલ છેટે બેઠેલું આર્થિક સાપ્તાહિક જેમાં અર્ધદગ્ધ ભાડૂતી ભારતીય અર્થશાસ્ત્રીઓ દૂર દૂર મુંબઈ કે કોલકાતા કે દિલ્હી બેસીને ભારતનાં અર્થતંત્ર ઉપર ધડામ દઈને તેમનું ઉપરછલ્લું જજમેન્ટ આપી દે છે. કહે છે કે ભારતનું અર્થતંત્ર વુલનરેબલ છે.

ભારતનું અર્થતંત્ર છીછરું છે. વીંધાઈ જઈને તૂટી પડે તેવું છે. આ વાંચીને મારું અર્થશાસ્ત્રનું જે થોડું ઘણું જ્ઞાન છે તે જોતાં મારું કાળજું બળી ગયું. ‘વુલનરેબલ’ એટલે શું કહેવા માગે છે? અને ભારતમાં અર્થતંત્રનો આ ટેબલ પંડિતો શું અર્થ કાઢે છે?

(૧) શું ભારતમાં શોપિંગ મા"લ ઠેર ઠેર હોય અને આખું ભારત ઠંડાપીણા પીતું હોય અને અમેરિકાના જંકફૂડ કે મેકડોનાલ્ડઝના નાસ્તા કરતું હોય તો ભારતનું અર્થતંત્ર મજબૂત ગણાય?

(૨) શું અમેરિકાના ભૂંડા જિનેટિકલી મોડિફાઇડ બિયારણો મોંઘા ભાવે ખરીદી શકે તો ભારતનું અર્થતંત્ર તગડું અને અભેધ ગણાય?

(૩) શું મિલ્ટનેશનલ કંપનીઓ ભારતના ઉપભોગકર્તાને ચૂસવાનો પૂરો પરવાનો મેળવીને ભારતમાં તેનો માલ છૂટથી ઘુસાડે અને મબલક નફો કરે તેને ભારતનું અર્થતંત્ર તગડું મનાય?

(૪) શું શેરબજારમાં કાળાંધોળાં નાણાં લાવીને સટ્ટો કરીને શેરબજારના સેન્સેકસને સતત ઊચો કરે તો ભારતનું અર્થતંત્ર અભેધ (ઇનવુલનરેબલ) ગણાય?

તમે જરાક ભારતનાં ઓરિસ્સાથી હરિયાણા અને સૌરાષ્ટ્રથી વિશાખાપટ્ટનમ સુધીના ગામડાં જોઈ આવો. અમારા ગામડાઓમાં શિક્ષણનો જબરજસ્ત વિસ્ફોટ જાગ્યો છે. કોલેજોમાં-સ્કૂલોમાં આદિવાસી, અસ્પૃશ્યો અને ખેડૂતોની કન્યાઓ ઊચું ભણતર ભણવા માંડી છે. ભારતનું કૌવત આ માનવબળમાં છે-બુદ્ધિબળમાં છે. શેરબજાર વુલનરેબલ છે. અંબાણીઓની કંપનીઓ કે તાજમહાલ હોટેલ વુલનરેબલ છે પણ અમારા કાડિયાવાડનો દાખલો લઈએ તો ‘ધ ઇકોનોમિસ્ટ’ની વ્યાખ્યા પ્રમાણે વુલનરેબલ નથી જ નથી. હા એક વાત સ્વીકારવી પડે.

આ જગતમાં કોણ વુલનરેબલ નથી? વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો અમેરિકા પણ વુલનરેબલ છે. તેના ન્યૂ યોર્ક ટ્રેડ સેન્ટરને ઘ્વસ્ત કરી શકાય છે. તેની ૧૩-૧૪ વર્ષની છોકરીઓને સેકસમાં પાડી શકાય છે. ગાંજો કે ચરસ પીતી થાય છે. અરે ધ ઇકોનોમિસ્ટના તંત્રીઓની દીકરીઓનું તે તંત્રી ઘ્યાન ન રાખે તો તેને પણ ભગાડી શકાય કે તેને ગંજેરી બનાવી શકાય તેવી તે વિદ્વાન તંત્રીઓની દીકરીઓ વુલનરેબલ છે પણ અમારું સ્ત્રીધન, ખાસ કરીને ગામડાનું સ્ત્રીધન તમારા પિશ્ચમના દેશ જેટલું વુલનરેબલ નથી જ નથી. અહીં ફ્રાંસલામાં રોજ ૧૩૦૦૦ યુવા લોહીને સ્વામી ધર્મબંધુનું રસોડું કોઈ વખત શુદ્ધ ઘીનો અડદિયાપાક અને રગડા જેવા ગાયનાં દૂધ પિવડાવતા હતા.

કાડિયાવાડની ઘોડીઓ કે ઘોડા લાવીને આંધ્ર, ઓરિસ્સા બંગાળ અને કેરળ-તામિલનાડુની છોકરીઓને ઘોડેસવારી શીખવાતી હતી. માસ્ટર આર્ટ અને જૂડો-કરાટે શીખવીને ત્રાસવાદીને કેમ ઝબ્બે કરવા તે પ્રાંસલા ગામના આશ્રમમાં શીખવાતું હતું. પંજાબી છોકરીઓ સાથે રાજસ્થાન અને સૌરાષ્ટ્રની છોકરીઓ રાઇફલ શૂટિંગ શીખતી હતી. બધાં જ બાળકો ૪ વાગ્યે ઊઠી જતા હતા. આણંદથી આટ્ર્સ કોલેજમાં ૫૧૭ જેટલા વિધાર્થી-વિધાર્થિની આવેલાં. શેરબજારના સેન્સેકસ કે ‘ઇકોનોમિસ્ટ’ જે ગ્રોસ ડુમેસ્ટિક પ્રોડકટ ઉર્ફે જીડીપીની મોકાણ માંડે છે પણ અમે એ પ્રોડકટને ગણતા નથી. અમારી ગ્રોસ નહીં પણ નક્કર પેદાશ આ યુવાબળ છે.

સ્વામી ધર્મબંધુના કહેવા પ્રમાણે આ શિબિર ચાર વર્ષથી યોજાય છે. અહીં ધર્મધુરંધરો, વિજ્ઞાનીઓ, મહાત્માઓ આવેલા. મહાભારત ટીવી સિરિયલના ભીષ્મપિતામહ મુકેશ ખન્ના આવેલો. તાતા ઇન્સ્ટિ.ઓફ ફંડામેન્ટલ રિસર્ચના અવકાશ વિજ્ઞાનીઓ સાથે કો. સૌરાષ્ટ્રની છોકરીઓ તેમને અવકાશ વિજ્ઞાનના પ્રશ્નો પૂછતી. ‘નાસા’માં મિસાઇલ ગાઇડેડ શસ્ત્રોના નિષ્ણાત ગણાતા ડો. આર. કે. ત્યાગી ન્યૂ યા"ર્કથી આવેલા. ન્યૂ યોર્ક યુનિ.ના ફિલોસોફર અશોક મલ્હોત્રા આવેલા. આ મલ્હોત્રા સાહેબ બાળકોને સાદાઈ અને પ્રામાણિકતાનો ઉપદેશ આપતા હતા અને ‘યસ વી કેન’નું સૂત્ર બોલાવતા હતા.

જામનગરના ભરવાડનો દીકરો અહીં આવેલો. તેના પિતા બાળપણ મૃત્યુ પામતા દાદાએ ઉછેર્યોહતો. તેને તેના દાદાએ દૂધમાં પાણી ભેળવવાનું કહ્યું. કાના ભરવાડ નામના યુવાને શિબિરમાં આવ્યા પછી કહ્યું. ‘હું ભૂખે મરીશ પણ દૂધમાં પાણી નહીં ભેળવું.’ તે કુટુંબથી અલગ થઈ મજૂરી કરીને ભણ્યો. બીજો એક શિબિરાર્થી ગ્રેજયુએટ થયો. ગુજરાતમાં શિક્ષક થવા રૂ. ૫ લાખની લાંચ આપવી પડે છે. તે શિબિરાર્થી ગ્રેજયુએટે શિક્ષક થવા લાંચ ન આપી. આજે તે રાજકોટ એરપોર્ટમાં સામાન ચેક કરનારા શ્રમિક બનીને તેના ગ્રેજયુએટની ડિગ્રી અને કાડિયાવાડના ગૌરવને દીપાવે છે. તો ‘ઇકોનોમિસ્ટ’ સાહેબો, અમારું આ ગૌરવ અને ખુમારી ઇનવુલનરેબલ છે. તમારા શહેરી અર્થતંત્રો કે પિશ્ચમની સમૃદ્ધિનાં ધોરણો જાય જહાન્નમમાં.

Wednesday, December 17, 2008

गाजर का हलवा














गाजर का हलवा

सामग्री


8-10 मध्यम आकार का गाजर कसा हुआ, 3 टेबल स्पून शुद्ध घी, 2 कप स्किम्ड मिल्क
10-12 पिस्ता, 1/4 टी स्पून छोटी इलायची पाउडर, 10-15 किशमिश, 1/4 कप कसा हुआ खोया, 18 टी स्पून शुगर फ्री नैचरा डाइट शुगर

विधि

1. एक कडाही में शुद्ध घी डालकर गर्म करें। कसा हुआ गाजर डालें और 5 मिनट तक भूनें। 
2. स्किम्ड मिल्क डालें और पकाएं।
3. पिस्ते को ब्लैंच करके छीलें और काट लें।
4. छोटी इलायची पाउडर, किशमिश, शुगर फ्री नैचरा डाइट शुगर डालकर मिलाएं। 10-15 मिनट तक पकाएं।
5. खोया डालें और मिलाएं। तब तक पकाएं जब तक कि मिश्रण सूख न जाए। पिस्ते से सजाएं।              
6. गर्म या ठंडा सर्व करें।

Tuesday, December 16, 2008

વિચારો બદલી જીવન બદલો

આપણું જીવન આપણા વ્યવહાર, આપણી પરિસ્થિતિને લીધે જવાબદાર નથી. પરંતુ આપણા નિર્ણયોનું પરિણામ છે. તમે અત્યારે જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છો. એ માટે તમારી વિચારશ્રેણી જવાબદાર છે.

પોઝિટિવ વિચારો તમને પ્રગતિના પંથે લઇ જશે અને નકારાત્મક વિચારો તમે જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છો તેનાથી પણ ખરાબ સ્થિતિ તરફ લઇ જશે. તો સ્વભાવિક છે કે તમે પ્રગતિના પંથે જ જવા માંગશો. એ માટે એક બે દિવસ સુધી તમે તમારી અને તમારી આસપાસના લોકોની ભાષા પર ઘ્યાન આપો. તમે દિવસમાં કેટલી વખત નકારાત્મક શબ્દો ઉરચારો છો તેની નોંધ લો. કોઇ એવી પરિસ્થિતિનું અનુમાન કરો જેનો તમારે ટૂંક સમયમાં સામનો કરવો પડે તેમ હોય. તે સ્થિતિની કલ્પના કરી તમે કેવું વર્તન કરશો એ અંગે વિચારો. તમારા વ્યકિતગત જીવનમાં તમને સતાવી રહી હોય એવી સમસ્યાઓને પહેલાં સમજો. તેનું નિરાકરણ પ્રત્યક્ષ રીતે કરવાનો જ આગ્રહ રાખો.

આમ પોઝિટિવ એટિટયૂડને આપનાવી જીવનમાં પરિવર્તન લાવો. તો હવે તેનો અમલ કયારથી કરવાનું વિચારો છો?

Monday, December 15, 2008

મોબાઈલ, લેપટોપમાં કલાકો સુધી ચાલે તેવી બેટરી શોધાઈ


betteryસંશોધકોએ ત્રિપરિમાણિક અને વધુ છીદ્રો ધરાવતા સિલિકોનના વિશેષ પ્રકારના સ્તર બનાવ્યા

કલ્પના કરો કે તમારા મોબાઈલ કે લેપટોપની બેટરી ચાર્જ કર્યા બાદ કલાકો સુધી સતત ચાલતી જ રહે તો? આ કલ્પના હવે ટૂંક સમયમાં હકીકતમાં ફેરવાય તેવી શકયતા છે, કારણ કે વૈજ્ઞાનિકોએ એક એવી બેટરી તૈયાર કરી છે જે એક વખત ચાર્જ કર્યા બાદ ખૂબ લાંબા સમય સુધી ચાલી શકે છે.

કોરિયાની સંશોધક ટીમે બેટરીમાં ગ્રેફાઈટ એનોડ માટે નવું મટિરિયલ વિકસાવ્યું છે જેનાથી લિથિયમ બેટરીની કાર્યક્ષમતા અનેકગણી વધી જાય છે. કોરિયાની હેન્યાંગ યુનિવર્સિટીની સંશોધક ટીમે ત્રિપરિમાણિક અને ખૂબ જ વધારે છીદ્રો ધરાવતું સિલિકોનનું ખાસ માળખું તૈયાર કર્યું છે.

સંશોધકોએ જણાવ્યા અનુસાર લિથિયમ બેટરીમાં કેથોડ(ધન આયન) હોય છે જે લિથિયમ કોબાલ્ટ ઓકસાઈડ જેવા મેટલ ઓકસાઈડમાંથી બને છે જયારે એનોડ(ઋણ આયન) હોય છે જે ગ્રેફાઈટમાંથી બને છે. આ બેટરી ચાર્જ થતી હોય છે ત્યારે લિથિયમ આયન એનોડમાં જતા રહે છે અને ગ્રેફાઈટના સ્તર વચ્ચે સંગ્રહિત થાય છે. ત્યારબાદ બેટરીનું ચાર્જિંગ પૂરું થઈ જાય ત્યારે આ આયન ફરી કેથોડમાં આવી જાય છે.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે સિલિકોન એક વૈકિલ્પક તરીકે ગણી શકાય, પરંતુ તેમાં સમસ્યા એ છે કે જયારે આ બેટરીને ચાર્જમાં મૂકવામાં આવે ત્યારે ઘણા લિથિયમ આયન ખેંચે છે, પરંતુ ચાર્જિંગમાંથી દૂર કરીએ એટલે સંકોચાઈ જાય છે. આ ઉપરાંત થોડો સમય સિલિકોન બેટરી ઉપયોગ થયા બાદ તેના સ્તર ખરાબ થઈ જતા હોવાથી બદલવી પડે છે. નવી વિકસાવાયેલી બેટરીમાં આ બાબતનું ખાસ ઘ્યાન રાખવામાં આવ્યું છે.

બ્લેક બેરી કંઈક તો ખાસ

અમેરિકાના રાષ્ટ્રપતિપદ પર બિરાજેલ બરાક ઓબામાનું બ્લેકબેરી ફેવરેટ છે. બ્લેકબેરી છે શું અને તેની ખાસયિત કઈ કઈ છે, એની જાણકારી આપી રહ્યું છે ટેક્નોટોક.

બ્લેકબેરી શું?

Black berryઆ એક પ્રકારની વાયરલેસ હેન્ડલ્ડ ડિવાઇસ છે. ઓરિજનલ બ્લેકબેરી ડિવાઈસનું મોનોક્રોમ ડિસ્પ્લે છે. સૌથી પહેલા બ્લેકબેરી ૧૯૯૯માં એક ટૂ-વે પેજરના રૂપમાં ઇન્ટ્રોડયુસ થયું હતું. આજે તેને સ્માર્ટ ફોન બ્લેકબેરી કહેવામાં આવે છે, જેની મદદથી તમે ઇ-મેલ, મોબાઈલ ટેલિફોન, ટેકસટ મૈસેજીંગ, ઇન્ટરનેટ ફૈકિસંગ, વેબ બ્રાઉસિંગ જેવી વાયરલેસ ઇન્ફોરમેશન સર્વિસસિનો લાભ લઈ શકો છો.

આ કન્વરજેન્ટ ડિવાઇસનું એક રૂપ છે. એને કેનેડાની રિસર્ચ એન્ડ મોશન (આરઆઇએમ) કંપનીએ તૈયાર કર્યું છે, જેના દ્વારા મોબાઇલ ફોન સેવા કંપનીઓ વાયરલેસ ડેટા નેટવર્ક દ્વારા સૂચનાઓની આપ-લે કરે છે. આરઆઇએમ હાલમાં નોન બ્લેકબેરી ડિવાઇસ ઉપર પણ બ્લેકબેરી ઇ-મેઇલ સર્વિસની સગવડ કરાવી રહી છે.

ફીચર્સ

બ્લેકબેરીમાં પીડીએ એપ્લિકેશંસ (જેમાં એડ્રેસ બુક, કેલેન્ડર, ટુ-ડૂ લિસ્ટ વગેરે છે)ની સાથે નવા મોડલ્સમાં ટેલિફોનની સગવડ પણ છે. બ્લેકબેરીની સૌથી મોટી ખાસયિત એ છે કે તમે કયાંય પણ કયારેય પણ તેના વાયરલેસ નેટવર્ક દ્વારા ઇમેલ ચેક કરી શકો છો. એમાં એક બિલ્ડ-ઇન કવેર્ટી કી-બોર્ડ છે, જેમાં ફકત અંગૂઠાથી જ ટાઇપ કરી શકાય છે.

મોડલ્સ

બ્લેકબેરી પર્લ-૮૧૩૦
તેના પહેલા પેજર મોડલ્સ : ૮૫૦, ૮૫૭, ૯૫૦, ૯૫૭
મોનોક્રોમ જાવા - બેસ્ટ મોડલ્સ : ૫૦૦૦ અને ૬૦૦૦ સિંરીજના મોડલ્સ
ફસ્ર્ટ કલર મોડલ્સ : ૭૨૦૦, ૭૫૦૦, ૭૭૦૦ સિંરીજ
ફસ્ર્ટ શ્યોર ટાઇપ ફોન મોડલ્સ : ૭૧૦૦ સિંરીજ
મોડર્ન બ્લેકબેરી મોડલ્સ : ૮૦૦૦ સિંરીજ જેમાં બ્લેકબેરી ૮૮૦૦, બ્લેકબેરી પર્લ અને બ્લેકબેરી કર્વ પણ છે,
લેટેસ્ટ બ્લેકબેરી મોડલ : બોલ્ડ અથવા ૯૦૦૦ સિંરીજ
બ્લેકબેરી કિકસ્ટાર્ટ, જાવેલિન (૮૯૦૦)
બ્લેકબેરી સ્ટ્રોમ (૯૫૦૦)
ઓપરેટીંગ સસ્ટિમ
બ્લેકબેરી ૭૨૫૦ આરઆઇએમ બ્લેકબેરીને એક મિલ્ટ-ટાસ્કિંગ ઓપરેટિંગ સસ્ટિમ (ઓએસ)ની સગવડ પ્રદાન કરે છે.

વિશેષતા

બ્લેકબેરી સૌથી વધુ પસંદ કરાય છે. તેની મોડલ ડિવાઇસ અને ઓરલ કમ્યુનિકેશન શ્રેષ્ઠ છે. આ એક પોર્ટેબલ ટેકનોલોજી છે, જે યૂઝર્સને બીજા સાથે કમ્યૂનિકેટ કરવાની ઉત્તમ સગવડ આપે છે, તે યૂઝર્સને પિકચર્સ, ઇ-મેલ્સ, ટેકસ્ટ, વીડિયો જેવી ઇન્ફોર્મેશન ઓછા સમયમાં શેર કરવાની સુવિધા આપે છે.

Bhaskar News, Ahmedabad

શિયાળામાં તબિયત બનાવો

ગુજરાતી પત્રકારત્વમાં ભારતીય લશ્કરના ઇતિહાસથી માંડીને ડિફેન્સની તમામ વાતોના સૌથી વધુ જાણકાર પત્રકાર ડો. અરુણકુમાર ભટ્ટ હતા. એમને ડિફેન્સના વિષયમાં ડોકટરેટની પદવી મળી હતી પણ થોડા મહિના પહેલાં માત્ર ૪૯ વર્ષની ઉંમરે એમને હૃદયરોગનો હુમલો આવ્યો અને આણંદની હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા. ચંદ્રકાન્ત બક્ષી એમના બાથરૂમમાં હૃદયરોગનો હુમલો આવતાં મરણને શરણ થયા હતા. દેવ ગઢવી પછીના અરછા કાર્ટૂનિસ્ટ મહેન્દ્ર ત્રિવેદી ઉર્ફે નારદ હૃદયરોગથી મૃત્યુ પામ્યા. મહાન અર્થશાસ્ત્રી ડો. નરોત્તમ શાહ, મુકુન્દ આયર્નના મેનેજર કનુભાઇ ગોરડિયા, અભિનેતા આઇ.એસ. જોહર, ઉરુલીકાંચનના ગાંધી આશ્રમના મેનેજર અને મેગસાયસાય એવોર્ડના વિજેતા અને અરવિંદ મફતલાલના પરમમિત્ર મણિભાઇ દેસાઇના મૃત્યુનું કારણ એક જ હતું, હૃદયરોગ.

આ લેખ હું હૃદયરોગ ઉપર લખવા માગતો નથી. આ લેખ આપણા ગુજરાતીઓની સમૃદ્ધિ વધી છે તે સાથે એમનો આહાર પણ વધુપડતી સમૃદ્ધિવાળો થયો છે તે વિષે અને હવે શિયાળાનો લાભ લેવા શરીરને કેવી રીતે અંદરથી શુદ્ધ કરવું તે વિષેનો છે. ગરીબ માણસે સમૃદ્ધ ખોરાક ખાવો જોઇએ અને સમૃદ્ધ માણસે ‘ગરીબ’ ખોરાક ખાવો જોઇએ. અમેરિકા જેમ જેમ ધનમાં સમૃદ્ધ થયું તેમ તેમ આરોગ્યમાં ગરીબડું થઇ રહ્યું છે. હવે અમેરિકનો જાગ્રત થઇ જંકફૂડ ઓછો ખાય છે.

‘અવર ટોકિસક વલ્ર્ડ’ નામના તાજા પુસ્તકમાં ડો. ડોરિસ રેપે આંકડા આપ્યા છે તે અમેરિકાના છે, પણ આપણો અમુક ગુજરાતી વર્ગ ખાનપાનમાં અમેરિકનાઇઝડ થતો જાય છે. તેણે ચરબીવાળા, તેલવાળા તળેલા પદાર્થો, મેંદાના પદાર્થોઅને જંકફૂડથી દૂર રહેવું જોઇએ. પણ ડો. ડોરિસ રેપ કહે છે કે અમેરિકનોના ખોટા આહારવિહારને કારણે તેમ જ હિન્દુઓની જેમ તહેવારના કે અગિયારસના ઉપવાસ કે આયુર્વેદનું ભાન નહીં હોઇને દરેક ૨.૧૮ અમેરિકનમાંથી ૧ને કેન્સર થશે. ૬૨ ટકા અમેરિકનો અદોદળા (બ્ણુફૂસ્ન્ફૂ) છે. ૧.૬ કરોડને ડાયાબિટીસ છે. ૨ કરોડને ક્રોનિક કિડનીના રોગ છે. ૨.૧ કરોડ અમેરિકનોને પેટ, આંતરડાં, ગેસ અને અલ્સરના રોગ છે. ૪૯ ટકા અમેરિકનો રાત્રે ઊંઘી શકતા નથી. તાત્પર્ય કે આખું અમેરિકા અમુક અપવાદ સિવાય રોગિષ્ઠ છે.

આજે અમેરિકા નાહકનું ટેરરિસ્ટથી ડરે છે. અમેરિકનોનો ખોટો આહાર જ એમનો મોટો ઇન્ટરનલ ટેરરિસ્ટ-આંતરિક દુશ્મન છે. અમેરિકા કરતાં અમુક દૃષ્ટિએ આપણા ગુજરાતીઓ વધુ ભયમાં છે, કારણ કે અમેરિકનો તો જાગ્રત થયા છે — હેલ્થ કોન્સિયસ થયા છે. વધુ ને વધુ અમેરિકનો ડાયેટ-આહારનું ઘ્યાન રાખે છે. આપણે ભાદરવો આસો મહિનામાં વડવાઓનાં શ્રાદ્ધ તેમ જ શ્રાવણના તહેવારોમાં અને દિવાળીમાં કેટલાં દૂધ, રબડી, દૂધપાક ખાધાં છે — અરે, ઝાપટયાં છે. દિવાળીની મીઠાઇઓ ખાધી છે. હવે સ્વાદુ જીભવાળો ગુજરાતી વધુ આત્મઘાતક આહાર લઇને હૃદયરોગ કે પેટની એસિડિટીનો રોજનો ગ્રાહક બનશે. શીલા ભટ્ટને રિડિફની એકિઝકયુટિવ એડિટરશિપ મળી છે. વડા પ્રધાન સાથે દેશદેશ ફરે છે. ઘરનું ખાવાનું નસીબ નથી. ફરિયાદ કરે છે કે તેને સખત-સખત (બે વખત બોલે છે) એસિડિટી છે. દિલ્હીમાં શિયાળો શરૂ થઇ ગયો છે. મુંબઇમાં શિયાળો આવી રહ્યો છે. તેનો લાભ તો જ લઇ શકાય છે જૉ પેટની શુદ્ધિ થાય.

આયુર્વેદના રયવનપ્રાશની જાહેરખબરો હવે આવવા માંડશે તે જોઇને ઘણા ‘તાકત’ મેળવવા શિયાળામાં નાહકના રયવનપ્રાશ આરોગશે. કઠણાઇ એ છે કે હવે મુંબઇમાં ચારેય ઋતુમાં ઉનાળો જ ઉનાળો છે. કોઇ ગુજરાતી(વયસ્ક)ના પેટ રયવનપ્રાશ માટે હરગિઝ લાયક નથી. ગુજરાતીનાં પેટ વખતોવખત ઉપવાસ અને શનિવારે એકટાણાં કરવા માટે લાયક રહ્યા છે.

શરદઋતુ વિદાય લે અને હેમંત ઋતુના આગમન સાથે ઋતુ પરિવર્તનકાળમાં શરીરનું ઘ્યાન રાખીને સૌએ પ્રથમ તો એ પરિવર્તનકાળ વખતે ઉપવાસ કરવા જોઇએ. ઋતુ પરિવર્તન વખતે આજે મુંબઇમાં શરદી, તાવ, ઉધરસ, અને સાંધાના દુખાવા શરૂ થઇ ગયા છે. દમના દર્દી જેને આસો-ભાદરવામાં રાહત હતી એને હવે શિયાળામાં દમની તકલીફ વધશે. મૂળ સતારાના ડો. નટરાજ દ્રવિડ મુંબઇ આવ્યા ત્યારે મને કહ્યું કે ‘હવે હું એલોપથીની દવા આપતો નથી. હર્બલ દવાઓ એટલે કે આયુર્વેદના ઔષધીય છોડમાંથી બનેલી દવા જ આપુ છું, પરંતુ દર્દીના આહાર ઉપર ખાસ ઘ્યાન આપું છું. અડધા બીમાર લોકોએ અને દમના દર્દીએ થોડો સમય મુંબઇ છોડી દેવું જોઇએ, અગર તો જૂના ઋષિઓ જેવા ફળફૂલનો આહાર એક ટાણે લેવો જોઇએ.’

હવે મુંબઇમાં કે અમદાવાદમાં પણ પર્યાવરણ ખરાબ છે, તેમાં દિવાળીના ફટાકડા આ વખતે શેરબજારની મંદી છતાં એવા ને એવા ખૂબ ખૂબ ફૂટયા અને પર્યાવરણને વધુ બગાડયું છે. દિવાળીનું ફટાકડાનું બાહ્ય પોલ્યુશન, ઉપરાંત દિવાળીના સ્પેશિયલ તળેલાં ફરસાણો અને મીઠાઇનો ઉપભોગ તેમ જ ધંધાની હડિયાપટ્ટી થકી આંતરિક પોલ્યુશન વધેલું છે. ગુજરાતીઓ એના આહારમાં તેલ અને ગોળનો પાગલની માફક ઉપયોગ કરે છે. હવે માત્ર ગાંિઠયામાં ગોળ નાખવાનું બાકી છે. પૂરીમાં ગોળ, ચેવડામાં ગોળ, થેપલામાં ગોળ, દાળમાં ગોળ અને દરેક ફરસાણમાં ગોળ વાપરે છે. આ લેખ વાંચી થોડીક ગુજરાતણો શાક-દાળમાં ગોળ નાખવાનું બંધ કરે તોય લેખે લાગશે. શાકદાળમાં ગોળ નાખવાથી દુ:પારય બને છે. યુઝર્સ કાઉન્સિલનું મિડિયા રિસર્ચ કહે છે કે ગુજરાતીઓ ભારતમાં સૌથી વધુ તેલ આરોગે છે. ગુજરાતમાં માથાદીઠ તેલનો વપરાશ વર્ષે સરેરાશ ૨૫ કિલો છે. ઉત્તરપ્રદેશમાં માત્ર ૮ કિલો છે. ચીનાઓ શાકભાજીમાં એક ટીપુંય તેલ નાખતા નથી. આપણા ગુજરાતીનાં શાક તો તેલમાં ઝબકોળ્યાં હોય તેવાં પીરસાય છે.

‘ઇન્ટર હાર્ટ’ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ૨૦૦૮ની શરૂઆતમાં પિશ્ચમના લોકોના આહાર વિષે સંશોધન કર્યું તો માલૂમ પડયું કે વેસ્ટર્ન-ડાયેટ થકી હૃદયરોગનું જોખમ ૩૫ ટકા વધી જાય છે. જગતભરમાં નમકવાળા, તેલવાળા અને ચરબીવાળા આહારનો ઉપભોગ વધી પડયો છે. ‘ઇન્ટર હાર્ટ’ સંસ્થા કહે છે કે ૧૬૦૦૦ જેટલા હાર્ટએટેકના દર્દીને તપાસતાં માલૂમ પડયું કે એમના આહારમાં તળેલા અને મીઠાવાળા પદાર્થો વિપુલ પ્રમાણમાં હતા. જે ગુજરાતી પૂરીપકોડીભેળ, તેલવાળા પરોઠા અને ઊંધિયું ખાતા હોય એમને રયવનપ્રાશ ફાયદો કરવાને બદલે નુકસાન કરે છે.

ઇન્ટર હાર્ટ સંસ્થાએ પ્રુડન્ટ ડાયેટની ફોમ્ર્યુલા આપી છે. ડહાપણ ભરેલો ખોરાક એ જ છે જેમાં લીલાં બાફેલાં અને તેલ વગરનાં શાકભાજી હોય, પાંદડાંવાળી ભાજી હોય, કાચાં કચુંબર હોય તેમ જ ફળો હોય અને રોટલી કે રોટલાનું પ્રમાણ આહારમાં માત્ર ૨૦ ટકા હોય. ડો. જોસેફ મેરકોલાએ તો અમેરિકનો માટે ‘નો ગ્રેઇન ડાયેટ’ની ભલામણ કરી છે. એટલે કે આહારમાં અનાજ બિલકુલ ન લેવું. ઉરુલીકાંચન આશ્રમમાં વિનોબા ભાવેના નાના ભાઇ બાલકોબા ભાવે અનાજ લેતા જ નહીં. આજે ઘઉંની રોટલી મુંબઇગરાએ તો માત્ર ૧થી ૨ જ ખાવી જોઇએ. મહેમાનોને ગરમ ગરમ રોટલીઓ પીરસવાનો આગ્રહ જંગલી ગણાવો જોઇએ. જમતી વખતે જ બે રોટલી લઇને એને નિરાંતે ચાવીને કચુંબર-શાક ખાવાં જોઇએ. પીરસવાની પ્રથા બંધ થવી જોઇએ. તે બાબતમાં જૈન સાધુ બનવું જોઇએ.

શરીરસંપત્તિ સારી નહીં હોય તો શેરબજારના ઊંચા ઇન્ડેકસ કે તેમાંથી થયેલી દસગણી કમાણીનો કોઇક અર્થ નથી. પિશ્ચમના લોકો આ વાત સમજી ગયા છે. અમેરિકા-યુરોપમાં તમામ અખબારો રોજરોજ આરોગ્યની કટારો છાપવા માંડયાં છે. લંડન ટાઇમ્સમાં દર શનિવારે ૨૦ પાનાંની આરોગ્ય પૂર્તિ (સપ્લિમેન્ટ) પ્રગટ થાય છે. આપણે ત્યાં ઓછા તેલવાળો ખોરાક ખાવાનો પ્રચાર કરનારું કોઇ મંડળ છે? બ્રિટનમાં ચરબીવાળો ખોરાક ન ખાવો તેનો પ્રચાર કરનારું કોરોનરી પ્રિવેન્શન ગ્રુપ છે. લંડનમાં ‘એન્ટીસ્મોકિંગ ગ્રુપ’ છે. અમેરિકાની સરકાર અને ‘અમેરિકા હાર્ટ લંગ એન્ડ બ્લડ ઇન્સ્ટિટયુટ’ નામની સંસ્થાના પ્રચારને કારણે અમેરિકન લોકો આજકાલ ચરબી વગરનું દૂધ લેતા થયા છે અને આહારમાંથી મીઠું, બટર અને ખાંડ ઓછાં પ્રમાણમાં લેતા થયા છે.

આજે મેરેજ બ્યુરોમાં કન્યાને જોવા ગુજરાતી મુરતિયો જાય છે ત્યારે ઘણી ગુજરાતી કન્યા તો કેવી કેવી સ્વાદિષ્ટ વાનગી અને તળેલા નાસ્તા બનાવી શકે છે તેની બડાઇ મારે છે — મને કટલેટ આવડે છે, પકોડા, કચોરી આવડે છે, અરે હું ઘરે પિત્ઝા પણ બનાવી શકુ છું. ખરેખર તો હવે કન્યાને મુરતિયાએ પૂછવું જોઇએ:-

તને બિલકુલ ઓછા તેલવાળું શાક બનાવતાં આવડે છે?

પતિ કે સસરા-સાસુ બીમાર પડે એને ખાવા માટે બાજરાની ધેંશ કે ઘઉં અગર ચોખાના લોટની રાબ બનાવતાં આવડે છે?’

સ્વાદિષ્ટ મગની દાળ જેમાં બિલકુલ ગોળ કે ખાંડ ન હોય તેવા મગ કે આખા મગ બનાવતાં આવડે છે? મગને ફણગાવીને તેનું શાક બનાવતાં આવડે છે? મગને ફણગાવતાં આવડે છે?

દરેક અગિયારશે તું ઉપવાસ કરી શકે છે? જૈન ધર્મ પ્રમાણે એકાસણાં કે પર્યુષણમાં અમુક ઉપવાસ કરી શકે છે? આવા સવાલો પૂછવાનો સમય આવ્યો છે.

આયુર્શકિત નામના ઉપચાર કેન્દ્રમાંથી મોટેભાગે ડો. પંકજ નરમ પરદેશ હોય છે ત્યારે તેનો ચાર્જ સંભાળનારા વૈધને મેં પૂછ્યું કે ઋતુના પરિવર્તન વખતે શરીરશુદ્ધિ માટે અને શિયાળાના પૌષ્ટિક આહારને પચાવવા માટે શરીરને કેમ તૈયાર કરવું? ત્યારે આ પ્રમાણેનો જવાબ મળ્યો:

બની શકે તો બે ઉપવાસ કરવા. ઉપવાસમાં સૂંઠનું ઉકાળેલુ પાણી અગર તુલસીનાં પાન અને આદુનો ઉકાળો બે ચમચા મધ સાથે લેવો. (જેની પિત્તપ્રકૃતિ હોય એણે તુલસીના પાનનો ઉપયોગ વૈધને પૂછીને કરવો.)

જો અનાજ વગરનો ઉપવાસ ન થઇ શકે તો જમવામાં મગનું પાણી એકદમ મુલાયમ ભાત અને એકટાણે મેથીની ભાજી લેવી. માત્ર સંતરાં-મોસંબી જેની ઋતુ હવે આવી છે તેનો રસ ગ્લાસ ભરીને ત્રણ વખત પીને વધુ સારો ‘ઉપવાસ’ થઇ શકે છે. સંતરાં-મોસંબીનો રસ માત્ર સવારે જ પીવો.

જૂના જમાનામાં આ ઋતુમાં કરિયાતુંનો ઉકાળો પીવાતો હતો. કરિયાતુંને પલાળીને સવારે ગરમ કરીને એક સપ્તાહ સુધી પીવું.

ગાજર, બીટ, કાકડી, કોબી કે પાલકનો રસ પીવાની આ સિઝન છે. ખાસ કરીને મુંબઇમાં હવે ઘઉંના જવારાનો તૈયાર રસ મળે છે (અમદાવાદમાં પણ મળે છે), તે સવારે માત્ર ૫૦થી ૧૦૦ ગ્રામ લેવો. મગના પાણીમાં એમિનો એસિડ નામનાં પોષક દ્રવ્ય છે. હવે ૫૦ની ઉપરની ઉંમરવાળાએ તુવેરદાળ છોડીને આખા મગ કે મગની દાળનું જ સેવન કરવાનો સમય આવ્યો છે.

આરોગ્યની રત્નકણિકાઓ

૧. ‘બિઝનેસ વીક’ જેવું વ્યાપારને લગતું સાપ્તાહિક પણ આરોગ્યના લેખો છાપવા માંડયું છે. ૨૩-૭-૨૦૦૮ના અંકમાં લખ્યું છે કે સોયાબીન્સનો ઉપયોગ અમેરિકા-યુરોપ પછી ભારતમાંય અજાણતાં વઘ્યો છે. હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના રિસર્ચફેલો ડો. જયોર્જ કહે છે કે સોયાબીનનો આહાર પુરુષોના શુક્રાણુ ઘટાડે છે. ઉપરાંત તેની એસ્ટ્રોજનની એકિટવિટી વધારે છે. અર્થાત્ તેના હોર્મોન બેલેન્સમાં ફેરફાર કરે છે. ખાસ કરીને અદોદળા પુરુષે સોયાબીનનો આહાર ન ખાવો.

૨. ‘ન્યુ સાયન્ટિસ્ટ’ નામના વિજ્ઞાનના સાપ્તાહિક(૮-૩-૦૮)માં લખ્યું છે કે કેટલાક લોકો ડિપ્રેશન માટેની દવા લે છે, તેમ જ ઘણા માનસિક ઉપચાર વખતે દવા લે છે તે દવા થકી ચરબી વધે છે. એલીલીલી નામની દવા કંપનીએ કબૂલ કર્યું છે કે મિજાજને ઠેકાણે રાખવાની દવા કે મૂડ સ્ટેબિલાઇઝર માટેની દવા ઝાયપ્રેકસા થકી દર્દીનું વજન ખૂબ વધી જાય છે. ૧ વર્ષમાં ૧૦ કિલો વજન વધે છે! બકરું કાઢતાં ઊંટ પેસે છે. એલોપથની તમામ દવા આડઅસર કરે છે.

૩. છેલ્લે યુનિવર્સિટી ઓફ ન્યુ ઓર્લિયન્સના અભ્યાસ પ્રમાણે પૂર્ણચંદ્ર અગર પૂનમનો ચાંદ માનવીને અસર કરે છે! છેલ્લે ૧૯૭૮માં એક પુસ્તક ડો. આર્નોલ્ડ લિબરે પ્રગટ કરેલું તેનું નામ હતું ‘હાઉ ધ મૂન અફેકટસ યુ’ તેમાં લખે છે કે પૂનમને કારણે ગુનાઓ વધી શકે છે, માનવીની વર્તણૂક બદલી શકે છે અને... અને... શેરબજારમાં પણ મોટી થલપાથલ થાય છે. ૧૯મી સદીમાં તો ઇંગ્લેંડના વકીલો કોર્ટમાં બચાવ કરતા કે મારો અસીલ આ ગુનો કરી ચૂકયો છે તે પૂનમની ચાંદનીની અસર હતી! માનવીનું શરીર ૬૫ ટકા પાણી છે. જેમ દરિયાની ભરતીને પૂનમ અસર કરે છે તેમ માનવીના શરીરમાં પૂનમ જ ભરતી-ઓટ લાવી શકે છે. ૮૧ ટકા જેટલા માનસ-ઉપચારકો માને છે કે ચંદ્રની માનવીની વર્તણૂક ઉપર અસર થાય છે. પણ સિડની યુનિવર્સિટી તેમ જ કેનેડાની યુનિવર્સિટી ઓફ સાસ્કા ચેવાનના ડો. ઇવાન કેલી માને છે કે ચંદ્રની કોઇ ખાસ અસર નથી. હા, જૂના જમાનામાં વીજળીના દીવા નહોતા ત્યારે આવી અસર થતી!’ એનો અર્થ એમ કે વીજળીના દીવા આજુબાજુ ન હોય તેવા સ્ત્રી કે પુરુષને પૂનમની અસર થાય છે—થઇ શકે છે.
Kanti Bhatt

Friday, December 12, 2008

Thursday, December 11, 2008

haal tane haal surat batavu

આ વિડીયો જોવો આમા તમે સુરત ની ઝાખી જોય શકશો. અને કાઠીયાવાડી ની મોજ ની એક ઝલક જોય શકશો.
[youtube=http://in.youtube.com/watch?v=eRVIfYKA1Hg]

Surat Air Port Photo Gallery

[gallery link="file"]

Wednesday, December 10, 2008

‘સ્પાર્કલ’માં સુરતનો ૬૦૦ વર્ષ જૂનો ભવ્ય ઇતિહાસ રજૂ કરાશે

સરકાર દ્વારા ૨૬થી ૨૮ ડિસેમ્બર દરમિયાન યોજાનારા જેમ એન્ડ જવેલરી પ્રદર્શન સ્પાર્કલમાં રજૂ થનારા મેગા કલ્ચરલ ઇવેન્ટમાં સુરતના વેપાર અને વાણિજયનો ભવ્ય ઇતિહાસ, સુરતને એક વ્યાપાર કેન્દ્રનો દરજજો અપાવનાર શ્રેષ્ઠીઓ અને રાજનૈતિક પ્રભુત્વ સુરતની સિમાચિહ્ન રૂપ ઐતિહાસકિ ઘટનાઓ સાંપ્રત સમયના સુરત શહેરના વિકાસની તવારીખ, હીરાઉધોગનો વિકાસ, વર્ચસ્વ અને પ્રદાન વગેરે બાબતોને નાટય અને નૃત્ય દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ૫૦ નાટય કલાકારો, ૪૦ નૃત્ય કલાકારો અને ૨૦૦ જેટલા વિધાર્થી કલાકારો તેમની કલા દર્શાવશે. જેમ એન્ડ જવેલરી પ્રદર્શનમાં સહયોગી સંસ્થા તરીકે ભાગ લેનાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ચેતન શાહે જણાવ્યું હતું કે સુરતના ભવ્ય ઈતિહાસ અને વેપાર ધંધાનો ચિતાર આંતરરાષ્ટ્રીયસ્તરે સ્થાપિત કરવા માટે કલ્ચર ઇવેન્ટમાં સુરતની દરેક બાબતને આવરી લેવામાં આવી છે.

સમગ્ર કાર્યક્રમનું સંકલન ડેપ્યુટી કલેકટર (પ્રોટોકોલ) રાજેન્દ્રભાઈ ગઢવી કરી રહ્યા છે. લેખન અને નિર્દેશન કપિલદેવ શુકલ, વિઝ્યુઅલ ડિરેકટર મનીષ બારડિયા અને સંગીત મેહુલ સુરતીનું હશે.

આ કાર્યક્રમમાં શહેરના ઉદ્ભવની ગાથા, તાપી પ્રદેશના પ્રાગેતિહાસકિ ઉલ્લેખો, ઇ.સ. ૧૫૧૧માં થઈ ગયેલા સુરતના આધ વ્યાપરીશાસક ગોપી મલિકની ગાથા, વ્યાપાર વિકાસ ખાતેનું પ્રદાન ઇ.સ. ૧૫૨૯ના વ્યાપારીશાસક ખ્વાજા સફર સલમાનીનું સુરતને લશ્કરીમથક બનાવવા પ્રદાન, ૧૫૪૧માં સુરત કિલ્લાનું નિર્માણ, ૧૭મી સદીમાં સુરતનું વ્યુહાત્મક બંદર, આર્થિક રાજધાની, કેન્દ્ર સાથે સીધું જોડાણ, લશ્કરી થાણું કિલ્લો, વિદેશ વ્યાપાર, તે સમયના આધ વેપારીઓ વિરજી વોરા , હરિ વૈશ્ય, મોહનદાસ પારેખ, હાજી ઝાહીદ બેગ, તાપીદાસ પારેખ, રૂસ્તમ માણેક વગેરેની વાતો. ઇ.સ. ૧૬૬૪ અને ૧૬૭૦ એમ બે વખત શિવાજી દ્વારા સુરતને લૂંટવાની ઘટના, ૧૭૮૨નું પવનનું તોફાન, ૧૮૨૨ની મહારેલ, ૧૮૩૭ની આગ વગેરે બાબતો કાર્યક્રમમાં વણી લેવામાં આવી છે.

ઔધોગિક ક્રાંતિ બાદ ૧૮૬૧માં શરૂ થયેલી જાફર મિલ, ૧૮૭૫માં માણેકજી દોરાબજીનું લોખંડનું કારખાનું, આઝાદી બાદ ખાતર, ઊર્જા, રેયોન, પેટ્રોકેમિકલ્સનું સુરત હબ બન્યું અને સાથોસાથ હીરાઉધોગની પણ શરૂઆત થઈ. હીરાઉધોગને વેગ આપનાર રત્નકલાકારો વગેરે બાબતોનું પણ નિરૂપણ કરવામાં આવશે.

Monday, December 8, 2008

કિચન ટિપ્સ


Kitchen Tips‘રસગુલ્લા ફાટી જતા હોય તો માવામાં થોડો રવો અને મેંદો સરખા પ્રમાણમાં લઇને મિકસ કરો. જેથી રસગુલ્લા ફાટશે નહીં.

‘ઘણી વખત કટલેસ બનાવતી વખતે તેનું મિશ્રણ વધારે નરમ થઇ જાય છે. આવા સમયે ટોસ્ટને મિકસરમાં ક્રશ કરી કટલેસના મિશ્રણમાં ભેળવી દેવાથી મિશ્રણ ઘટ્ટ બની જશે.

‘કોઇ પણ શાકના સ્ટફડ પરોઠાને વધુ સ્વાદિષ્ટ બનાવવા કોથમીર અને ફુદીનાના પાન નાખો.

‘શીરો બનાવતી વખતે પાણીમાં ખાંડની સાથે અડધો કપ દૂધ નાખો અને એની ચાસણી બનાવો. શીરાના સ્વાદની સાથે તેની પૌષ્ટિકતા વધી જશે.

‘પલાળેલા સાબુદાણાને મેશ કરી શિંગોડાના લોટમાં ભેળવી તેના ભજીયા બનાવો. તેમાં મરચાં-આદુંની પેસ્ટ વગેરે સ્વાદ મુજબ ભેળવી શકાય.

‘લાલ મરચું, હળદર, ધાણાજીરું વગેરે મસાલા લાંબા સમય સુધી તાજાં રહે એ માટે તેમાં હિંગનો ટુકડો મૂકી રાખો.

Sunday, December 7, 2008

શિયાળામાં ચટાકેદાર ઊબાડિયું મન લલચાવે

શિયાળાની ફૂલગુલાબી ઠંડી સાથે શરૂઆત થઈ ગઈ છે. શિયાળાની શરૂઆત સાથે જ આંધળીવાનીનો પોંક, પોંકવડા, સુરતીલાલાઓ ખાવા મંડી પડયા છે. આ તરફ નવસારી-વલસાડ જિલ્લામાં ગરમાગરમ મસાલેદાર ઊંબાડિયું મળવા માડયું છે. ગરમાગરમ ઊબાડિયાની જયાફત લોકો મોજથી ઉડાવે છે. ગણદેવી ચાર રસ્તા સતિમાતાના મંદિરની સામી બાજુએ ધરમપુર તાલુકાના બારોલીયા ગામના શિવલાલ શિંગોડાવાળા ટેસ્ટફૂલ ઉંબાડીયાનું વેચાણ કરે છે.

vangiગણદેવી સતિમાતાના મંદિર સામે છેલ્લા ૩૫ વર્ષથી શિંગોડાના વેપાર સાથે જોડાયેલા શિવલાલ છેલ્લા પાંચેક વર્ષથી ઉંબાડીયું બનાવે છે. બરોડા જિલ્લામાંથી આવતી ત્રણ દાણાની લીલીછમ પાપડી, નડિયાદ જિલ્લાના શક્કરીયા, ગણદેવી તાલુકાનો ગોરોકંદ, બટાટાને લીલા મસાલામાં ભેળવવામાં આવે છે. આ બધી વસ્તુના એક માટલામાં ભરી દેવામાં આવે છે. તેની ઉપરના ભાગે કલાર નામની વનસ્પતિ મૂકી માટલાનું મોં બંધ કરી દેવામાં આવે છે. પછી આ રીતે તૈયાર થયેલા માટલાને ઊધું મૂકી તેની ફરતે છાણા ગોઠવીને તેને સળગાવવામાં આવે છે. બાહ્ય ગરમીના કારણે માટલામાં મૂકવામાં આવેલા કંદ, બટાટા, શક્કરીયા, પાપડી બફાઈ જાય છે. આમ ઊબાડિયું તૈયાર થાય છે. આ રીતે ઊબાડિયું તૈયાર થતા ૩૦ મિનિટ જેટલો સમય લાગે છે.

શિવલાલની સાથે થયેલી વાતચીત મુજબ એક માટલામાં ૪થી ૫ કિલો ઊબાડિયું તૈયાર થાય છે. હાલના પ્રારંભિક તબક્કામાં દરરોજ ૧૦થી ૧૫ જેટલા માટલા બનાવાય છે. જેમ શિયાળો આગળ ધપશે એટલે ઘરાકી વધશે. હમણા રજાઓના દિવસે ઊબાડિયાનો ઉપાડ વધારે રહે છે. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારના લોકો ઘરે જ ઊબાડિયું બનાવે છે. ગામડામાં વેપારીઓ કાળાવાલની પાપડીનું ઊબાડિયું બનાવે છે. હાલમાં કાળાવાલની પાપડીની શરૂઆત હોય તે મોંઘી મળે છે.

ઊબાડિયું ૬૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ થાય છે. લગ્નપ્રસંગે પણ કેટલાક લોકો ઓર્ડર આપી ઊબાડિયું બનાવડાવે છે. ગામડામાં જે લોકો ઘરગથ્થુ ઊબાડિયું બનાવે છે તેઓ એમાં અજમો નાંખે છે. આયુર્વેદ મુજબ અજમો ગુણકારી અને વાયુનાશક હોય તે નાંખવામાં આવે છે. પાપડી વાયડી હોય અજમો નાંખવો ઘણો હિતકારી છે.

ગણદેવી ચાર રસ્તા ઉપર શિવલાલ ઉપરાંત બીજા પાંચથી છ ઊબાડિયાની દુકાનો છે. નવસારી, સુરતથી આવતી ગાડી, મોટરસાઇકલ સવારો ઊભા રહીને ટેસ્ટફૂલ ઊબાડિયાની લિજજત માણે છે. રાજુભાઈ, જીતભાન, લક્ષન વગેરે પણ ટેસ્ટફૂલ ઊબાડિયું બનાવી વેચે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ઊબાડિયાની માગ વધશે.
Ketan Desai, Gadat

Saturday, December 6, 2008

મકાઇ પનીરના સમોસા

સામગ્રી

પનીર - ૨૫૦ ગ્રામ, મકાઇના બાફેલા દાણા (અમેરિકન) - ૨૦૦ ગ્રામ, લીલાં મરચાં - ૨૫ ગ્રામ, બારીક સમારેલી કોથમીર - ૧૦૦ ગ્રામ, ગરમ મસાલો - ૧ ચમચી, મેંદો - ૨૫૦ ગ્રામ, મીઠું - પ્રમાણસર

રીત

સૌ પ્રથમ પનીર છીણો. બાફેલી મકાઇમાં પનીરનું છીણ મિકસ કરો. તેમાં ગરમ મસાલો, મીઠું, વાટેલાં લીલાં મરચાં અને બારીક સમારેલી કોથમીર નાખો. પછી બરાબર મિકસ કરો. મેંદામાં મીઠું તથા ૧ ચમચો તેલ નાખી પૂરી જેવો લોટ બાંધો. પટ્ટી સમોસાની જેમ બધી રોટલીઓ તૈયાર કરી, પટ્ટી કાપી, સમોસા ભરો. આમાંથી સાદા સમોસા પણ વાળી શકાય. સમોસા ગરમ તેલમાં તળી, લીલી ચટણી અને કેચઅપ સાથે પીરસો.
Asha Desai, Ahmedabad

Friday, December 5, 2008

પિયરનાં ‘સંસ્કાર’, સાસરે થાય ‘સાકાર’!

લાડકોડથી ઉછેરેલી કન્યાઓ જયારે લગ્ન પછી સાસરે જાય ત્યારે દરેક મા-બાપ શિખામણ આપે કે ‘બેટા, ગમે તેવા સંજોગોમાં પણ તું તારા સંસ્કાર ભૂલતી નહીં’. આજનાં જમાનામાં કન્યાઓને સારા સંસ્કાર સાથે સારું ભણતર અને જ્ઞાન પણ આપવામાં આવે છે પરંતુ પહેલાં તો સાસરે જતાં જ તે ભણતર, આવડત વગેરે કયાંય મૂકાઈ જતા અને ઘરનાં કે સામાજિક વ્યવહારમાં ‘ઘરની વહુ’ તરીકે તેને પોતાની બધી જ આવડત કે ભણતરનું બલિદાન આપી દેવું પડતું. આજે કન્યાઓનું ભાવિ ઘણું ઉજજવળ દેખાઈ રહ્યું છે. પિયરમાંથી મળેલા સંસ્કારને એક આકાર આપીને તે પોતાનું નામ અને તેના પતિ તથા પિતાના ઘરનું નામ પણ સમાજમાં રોશન કરી શકવાની પરિસ્થિતિ ધરાવવા લાગી છે. આજે આપણો સમાજ ઘરની વહુ-દીકરીઓને પોતાની આવડત સાબિત કરવાનો મોકો આપીને એક ક્રાંતિ આણી રહ્યો છે.

૩૪ વષીર્ય સજની મહેતા તેના ઈન્સ્ટિટયૂટની એક તેજસ્વી વિધાર્થિની હતી. ફેશન ડિઝાઈનિંગ સ્કૂલમાં ક્રિએટિવિટી માટે ખૂબ આગળ હતી. તેનાં કેટલાંય કલેકશન પ્રાઈઝવિનિંગ બન્યા હતા પરંતુ પિતાજીને ત્યાં સંજોગોવશાત્ તે એ કામ પ્રોફેશનલી ન કરી શકી. એવામાં તેના લગ્ન એક આર્કિટેકટ યુવાન અર્ચિત સાથે ગોઠવાયા ને તેણે પોતાના ડિઝાઈનિંગના કામને ખૂબ મન હોવાં છતાં ભૂલવા પ્રયત્ન કરી તે એક ઘરરખ્ખુ ગહિણી બનવા કોશિશ કરવા લાગી. દરમિયાન તેમની પ્રથમ લગ્નતિથિ પર તેના પતિએ તેને એક ‘ફેશન સ્ટુડિયા’ ગિફટ કર્યો. સજનીની ખુશીનો પાર ન રહ્યો. તેના સાસરિયાનાં સહયોગથી તેણે આ ફેશનની દુનિયામાં પગ મૂકયો ને આજે તેના કલેકશન ‘ન્યૂયોર્ક ફેશન વીક’માં સ્થાન પામીને દુનિયામાં નામ રોશન કરી રહ્યા છે. ભરતકામમાં નાનપણથી જ ખૂબ હોંશિયાર પાયલમાં તેની માનીજ આવડત ભરપૂર પ્રમાણમાં આવી હતી. મા ના ઓથારે તે જાતજાતનાં ટાંકા, ભરતકામની ટેકિનકસ વગેરે શીખતી. તેના લગ્ન બાદ તેના મનમાં હંમેશાં કંઈક ખૂટયા કરતું. તેના પતિ જિગેશની અને તેના સાસુમા રંજનાબહેનની ખૂબ ઈરછા હતી કે પાયલ ભરતકામમાં ખૂબ આગળ આવે. વખત જતાં તેના પતિએ તેમની નવી ઓફિસમાં જ તેને માટે એક ભાગ ‘ભરતકામ વર્કશોપ’ તરીકે તૈયાર કરાવ્યો. સાસુમા ઓર્ડર લાવવા લાગ્યા ને પાયલ તેની નિપુણતા અજમાવવા લાગી.

આજે ગુજરાતભરની એમ્બ્રોઈડરી તેનાં વર્કશોપમાં થાય છે ને ઝીણા નકશીકામવાળા ભરતકામ માટે તેને હેન્ડીક્રાફટસ માટેનાં કેટલાંય એવોર્ડસ પણ પ્રાપ્ત થાય છે. માતાપિતાની આવડત, હોંશિયારી, વ્યવહાર-કુશળતા જાણે-અજાણે તેનામાં આવતી હોય છે. તેનાં આદર્શ હંમેશાં તેના માતા-પિતા જ હોય છે. આવા સુંદર સંસ્કારને જયારે સાસરિયાં જીવનમાં સાબિત કરવાનો મોકો આપે છે, ત્યારે જીવતર સ્વર્ગસમું બની રહે છે. ત્યારે માતાપિતા ચંદ્ર સમા બનીને દૂર બેઠાંબેઠાં પોતાની શીતળતા પાથરતા મરકમરક મલકી ઉઠે છે ને દીકરીઓ સાસરીરૂપી સૂર્યના પ્રકાશના ઝળહળી ઉઠે છે.!

‘‘મૈં તો ભૂલ ચલી બાબુલકા દેશ, પિયાકા ઘર પ્યારા લગે’’....

Tekan from Divya Bhaskar

સૂર્યને પૂજતી સન્નારી એટલે આપણી સૃંસ્કતિ

દેવાધિદેવ સૂર્યનારાયણ આદિદેવ કહેવાયા છે. આપણા શરીરને જરૂરી એવું પોષકતત્ત્વ વિટામિન ડી માત્ર સૂર્યપ્રકાશ દ્વારા જ કુદરતી રીતે મળે છે. પિશ્ચમના દેશોમાં વિટામિન ડીની ઊણપથી ઘણા રોગો થાય છે તો આપણે શિયાળામાં શા માટે સૂર્યસ્નાનનો લાભ ન લઈએ!

આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમભાસ્કર
દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોસ્તુતે

Godસૂર્યને અઘ્ર્ય આપતી ભારતીય નારી એટલે આપણી સંસ્કારભરેલી સંસ્કતિ! સૂર્યપૂજા કરતી સ્ત્રીઓ હજી આજે પણ ઘણાં ઘરોમાં જોવા મળે છે. આપણી સંસ્કૃતિ એટલે આપણાં પુરાણો અને પ્રાચીન શાસ્ત્રોનો અર્ક. પૂર્વ દિશામાં ઊગતા સૂર્યને તાંબાના કળશ વડે જળ ચઢાવવાથી બુદ્ધિ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે, તેમ આપણાં શાસ્ત્રોમાં કહેલું છે. સૂર્યનાં બાર નામોનું ઉચ્ચારણ, સૂર્યનમસ્કાર, સનથેરપી, કુમળો તડકો શરીર પર લેવાના ફાયદાઓ એમ ઘણી બધી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની રહે છે. સતત છેલ્લાં કેટલાંય વર્ષોથી માત્ર સૂર્યનાં કિરણો પર જીવતા રતન માણેકનું નામ આજે કોઈથી અજાણ્યું નથી.

બ્રાહ્મણો ગાયત્રીમંત્રમાં ઉચ્ચારણ દ્વારા સૂર્યને જળ ચઢાવે છે તો ઘણા લોકો સૂર્યદેવના મંત્રો કે શ્લોકો દ્વારા જળ ચઢાવીને સૂર્યઉપાસના પૂણ કરે છે. ગર્ભવતી સ્ત્રી કે પ્રસૂતા અને તેના નવજાત બાળક માટે ડોકર્ટસ સૂર્યોદય પછી અડધા કલાક સુધીનો તડકો ફાયદાકારક ગણાવે છે, જેનાથી રોગપ્રતિકારશકિતમાં વધારો થાય છે અને સારા પ્રમાણમાં વિટામિન ડી શરીરને પ્રાપ્ત થાય છે.

દેવાધિદેવ સૂર્યનારાયણ આદિદેવ કહેવાયા છે. આપણા શરીરને જરૂરી એવું પોષકતત્ત્વ વિટામિન ડી માત્ર સૂર્યપ્રકાશ દ્વારા જ કુદરતી રીતે મળે છે. પિશ્ચમના દેશોમાં વિટામિન ડીની ઊણપથી ઘણા રોગો થાય છે તો આપણે શિયાળામાં શા માટે સૂર્યસ્નાનનો લાભ ન લઈએ! આપણા પૂર્વજો ખરેખર આપણને ઘણું જ જ્ઞાનધન વારસામાં આપી ગયા છે. યુગયુગાંતર વહી ગયા પરંતુ સૂર્યનારાયણ આજે પણ તે જ રીતે તેજોમય છે. સૂર્ય અનંત છે, તેનો મહિમા અપરંપાર છે.

શિયાળો આવતાં જ સૂર્યનો ઉનાળામાં આકરો લાગતો તાપ સૌને વહાલો લાગવા માંડે. છેલ્લાં ૪૫ વર્ષથી નિયમિતપણે સૂર્યનારાયણને જળ ચઢાવતાં નિરૂપમાબહેન પોતાના નીરોગી અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે સૂર્યને યશ આપે છે. તેઓ સૂર્યનારાયણને જળ ચઢાવી, પ્રદક્ષિણા (સૂર્ય સામે) ફરી રોજ સૂર્યને અઘ્ર્ય આપે છે ને ફૂલ ચઢાવે છે. ત્યારબાદ તડકામાં ચટાઇ પાથરી રોજિંદી સેવા-પૂજા અને ઘ્યાન સૂર્ય સામે બેસીને જ કરે છે. તેઓના જણાવ્યા પ્રમાણે તેમની સુંદર ત્વચા પણ સૂર્યના કુમળા તડકાને આભારી છે.

કોલેજમાં અભ્યાસ કરતાં તનવી, માલા, રૂચિના જણાવ્યા અનુસાર તેઓ રોજ સૂર્યના કુમળા તડકામાં આસન પાથરીને લગભગ ૩થી ૫ સૂર્યનમસ્કાર કરે છે. સૂર્યનમસ્કારના નિયમાનુસાર ઓછામાં ઓછા ૩ અને વધુમાં વધુ ૧૨ સૂર્યનમસ્કાર થઈ શકે. સૂર્યનમસ્કારમાં બધી જ જાતની કસરત શરીરને મળી રહે છે, જેનાથી તન અને મન બંનેને લાભ થાય છે. સૂર્યનમસ્કારથી મનને અજબ તાજગીનો અહેસાસ થાય છે. તેઓ સૂર્યનમસ્કાર બાદ સૂર્યનારાયણની વંદના કરીને જ પોતાનો દિવસ શરૂ કરે છે.

આજે ઘણા લોકો સોલરકૂકર, સોલર પેન, સોલરહીટર વગેરેના ઉપયોગ દ્વારા સૂર્યની ઊર્જાનો મહત્તમ ફાયદો મેળવે છે. રસ્તે જતા-આવતા ઘણા લોકો વહેલી સવારે સૂર્યનાં કિરણો લેવાં તડકામાં ખુલ્લી જગ્યાઓ શોધીને ઊભા રહેલા ઘણી વાર નજરે ચઢે છે. વિદેશોમાં પણ સૂર્યના તડકાનો મહિમા છવાયેલો છે.

અમુક દેશોમાં સૂર્યનો તાપ મળતો ન હોવાને કારણે ત્યાંના લોકો સનબાથ લેવા સૂર્યનો તાપ વધુ મળે તેવા દેશોમાં જવાનું પસંદ કરતાં હોય છે. સૂર્ય તેનાં અનંત કિરણો વડે પૃથ્વીલોકને સ્વસ્થ અને જીવંત રાખે છે. આજે આપણી ગૃહિણીઓ દેવાધિદેવ સૂર્યનારાયણનું અપાર મહત્ત્વ સમજીને સંસ્કતિને આવા હાઇટેક યુગમાં પણ જીવંત રાખી રહી છે તે માટે તેવી ભારતીય નારીઓને કોટિ કોટિ ધન્યવાદ!

Tekan from Divya Bhasker